Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાની ચૂંટણીમાં કોણ કપાશે-કોણ ફાવશે?:વિવાદ અને રોટેશનના કારણે 20થી વધુ સીટીંગ કોર્પોરેટરનું રિપિટ થવું મુશ્કેલ, 18 વોર્ડનું વોર્ડવાઈઝ એનાલિસિસ

    1 week ago

    રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે. ગમેત્યારે ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા છે. અગાઉ રાજય ચૂંટણી પંચ દ્વારા 18 વોર્ડના રોટેશન જાહેર થયા હતા. જેમાં 72 પૈકી 50 બેઠકો અનામત રહેતા હવે માત્ર 22 બેઠક સામાન્ય ઉમેદવારો માટે રહેશે. નવા રોટેશનના કારણે અનેક મહારથીઓનાં પતા કપાય અથવા તો વોર્ડ બદલી અન્ય વોર્ડમાં ચૂંટણી લડવી પડે તેવી સ્થિતી ઉભી થઈ છે. 20 નગરસેવકો જયાંથી ચૂંટણી લડી હતી તેમાં ફેરફાર થયો હોવાથી તેમની ટિકિટ કપાય તેવી શક્યતા છે. જેમાં પૂર્વ મેયરને પતિદેવનું ગેરકાયદે બાંધકામ નડી જાય તેવી શક્યતા છે. જ્યારે નવા રોટેશનને લઈ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન કે પૂર્વ દંડકમાંથી એક આઉટ થશે. નવા રોટેશન મુજબ રાજકોટ મનપાનાં સમીકરણો રાજકોટ મનપામાં કુલ 18 વોર્ડની 72 બેઠકો છે. જેમાં નવા રોટેશનને કારણે અમુક કોર્પોરેટરોને પોતાની સીટ માટે અન્ય વોર્ડમાં જવું પડે તેમ છે. જેમાં સ્ટેન્ડિંગ ચેરમેન, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના આગેવાનોએ પોતાના વોર્ડમાં ફેરફાર કરવો પડે તેમ છે. જોકે મહિલાઓની 36 બેઠકો યથાવત રહી છે. પરંતુ 50 બેઠક અનામત થતા સામાન્ય બેઠકો 31થી ઘટીને 22 થઈ છે. ત્યારે રાજકીય પક્ષોએ આ વખતે ટિકિટ ફાળવણી વખતે નવા સિમાંકન અને રોટેશન ધ્યાને લઈને ગોઠવણ કરવી પડશે. જેમાં ભાજપના 68 પૈકી 20થી વધુ જુના નગરસેવકો કપાય તેવી શકયતા છે. નવા રોટેશનની કયા વોર્ડમાં કેવી અસર થશે? વોર્ડ નં.1 ભાનુબેન બાબરીયાની સીટ બદલાતા તેની સામે સમસ્યા રહેશે. આમ પણ તેઓ ધારાસભ્ય હોય ચૂંટણી લડે તેવી શક્યતા ઓછી છે. અન્ય કોર્પોરેટર હિરેન ખિમાણીયાને નવા રોટેશનનાં કારણે બદલવા પડશે. જ્યારે દુર્ગાબા જાડેજા અને અલ્પેશ મોરજરીયા યથાવત રહે તેવી સંભાવના છે. વોર્ડ નં.2 પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર તેમજ પૂર્વ દંડક મનીષ રાડીયાનો વોર્ડ છે. ઓબીસીની સીટ આવતા હાલના જયમીન ઠાકર અને મનીષ રાડીયા પૈકી કોઈપણ એક આઉટ થશે. દર્શીતાબેન શાહ ધારાસભ્ય હોવાથી ચૂંટણી લડવાનો ઇનકાર કરે તેવું જાણવા મળ્યું છે. તો મીનાબા જાડેજા રિપીટ થવાની શક્યતા છે. વોર્ડ નં.3 પૂર્વ ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજાનો છે, જેમાં અનામતની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. આ કારણે ખાસ કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. જોકે આ વોર્ડ માટે નવા મહિલા ઉમેદવાર તરીકે હિરલબેન જોશી નામ ચર્ચામાં છે. ત્યારે અલપાબેન દવે અને કુસુમબેન ટેકવાણી પૈકી કોઈ એકની ટિકિટ કપાય તેવી શક્યતા છે. આ બેઠકમાં સિંધી સમાજનું પ્રભુત્વ હોવાથી અલ્પાબેન દવેનું પતું કપાય તેવી શક્યતા છે. વોર્ડ નં.4 રાજકોટનાં પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાનો વોર્ડ છે. તેમ પણ ગત ચુંટણી જેમ જ આગામી ચૂંટણી માટે રોટેશન રખાયું છે. ત્યારે રોટેશનનાં કારણે ફેરફારની શક્યતા નથી. પરંતુ મેયરના પતિદેવનું ગેરકાયદે બાંધકામ ભારે ચર્ચામાં રહ્યું હોવાથી ડેમેજ કંટ્રોલ કરવામાં તેમના સ્થાને અન્ય કોઈ મહિલા ઉમેદવારને તક મળવાની પણ પુરી શક્યતા છે. વોર્ડ નં.5 વિવાદીત રહેલા વજીબેન ગોલતરને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવી ચુક્યા હોવાથી સ્વાભાવિક રીતે તેમના સ્થાને નવા ઉમેદવાર આવશે. જોકે અન્ય ત્રણેય ઉમેદવારો રસીલાબેન સાકરીયા, હાર્દિક ગોહિલ તેમજ દિલીપ લુણાગરિયા યથાવત રહી શકે છે. વોર્ડ નં. 6 દેવુબેન જાદવ અગાઉથી સસ્પેન્ડ હોય તેમના સ્થાને નવા ઉમેદવાર આવશે. અન્ય કોર્પોરેટરોમાં ભાવેશ દેથરીયા બીમાર હોય ચુંટણી લડવાની નાં પાડે છે. જોકે આ વોર્ડના અન્ય બે નગરસેવકો પરેશ પીપળીયા અને મંજુબેન કુગાશીયા રિપીટ થાય તેવી શક્યતા છે. વોર્ડ નં.7 આદિજાતિ બેઠક આવતા દેવાંગ માંકડ અથવા નેહલ શુકલને સીટ છોડવી પડે તેમ છે. દેવાંગ માંકડની ત્રણ ટર્મ થઈ ગઈ હોય અને પંચનાથ હોસ્પિટલ સહિતના કામોમાં વ્યસ્ત હોવાને કારણે ચૂંટણી લડે તેવી શક્યતા ઓછી છે. તો જયશ્રીબેન ચાવડાની બેઠક અનુસૂચિત જાતિની હોય તેમની ટિકિટ કપાય તેવી સંભાવના છે. જ્યારે વર્ષાબેન પાંધી રિપીટ થાય તેમ છે. વોર્ડ નં.8 OBCની સીટ આવતા હાલના અશ્વીન પાંભર અથવા બિપીન બેરા પૈકી એકની ટિકિટ કપાશે. જેમાં પણ અશ્વિન પાંભરની ટિકિટ કપાય તેવી શક્યતા વધુ છે. અન્ય બંને મહિલા ઉમેદવારો પ્રીતિબેન અને ડો. દર્શનાબેન રિપીટ થઈ શકે છે. વોર્ડ નં.9 આશાબેન ઉપાધ્યાયની બેઠક નવા રોટેશન મુજબ SCની બેઠક હોવાથી તેની ટિકિટ કપાશે. જોકે તેમણે પતિ રાજીવ ઉપાધ્યાયને ટિકિટ આપવા ભલામણ કરી હોવાનું જાણવા મળ્યું છે. તો પુષ્કર પટેલ ત્રણ ટર્મથી કોર્પોરેટર હોય તેમના સ્થાને વિક્રમ પૂજારાનું નામ બોલાય છે. આ સાથે જ જીતુભાઈ કાટોળીયાની ટિકિટ પણ કપાય તેવી શક્યતા છે. વોર્ડ નં.10 નવા રોટેશનનાં કારણે સામાન્ય કેટેગરીના ચેતનભાઈ સુરેજા અને નરેન્દ્રસિંહ વાઘેલા પૈકીનાં એક કપાશે. જેમાં નરેન્દ્રસિંહ કપાય તેવી ચર્ચા છે. જ્યારે અન્ય નગરસેવકો રાજેશ્રીબેન ડોડીયા અને જ્યોત્સના ટીલાળા રિપીટ થાય તેવી શક્યતા છે. વોર્ડ નં.11 પૂર્વ શાસક પક્ષનાં નેતા લીલુબેન જાદવનો વોર્ડ છે. સામાન્ય ઉમેદવાર આવતા અહીં એક ટિકિટમાં ફેરફાર કરવો પડશે. જેમાં લીલુબેન જાદવને બદલે અન્ય સામાન્ય મહિલા ઉમેદવારને ટિકિટ મળશે. આ સિવાય ભારતીબેન પાડલીયા, રણજીત સાગઠિયા અને વિનોદ સોરઠીયા યથાવત રહે તેવી શક્યતા છે. વોર્ડ નં.12 નવા રોટેશન મુજબ કોઈ ફેરફાર ન હોવાથી માત્ર મહિલા ઉમેદવારમાં ફેરફાર કરવો પડશે. જ્યારે પ્રદીપ ડવ અને મગનભાઈ સોરઠીયા યથાવત રહે તેવી શક્યતા છે. વોર્ડ નં.13 નવા રોટેશન મુજબ કોઈ ફેરફાર નથી. જોકે અહીં નીતિન રામાણીને બદલે જયાબેન ડાંગરનાં પુત્ર શૈલેષ ડાંગરનું નામ ચર્ચામાં છે. વોર્ડ નં.14 નિલેશ જલુની બેઠક OBCની હતી તે સામાન્ય થતા ફેરફાર આવશે. જ્યારે વર્ષાબેન રાણપરાએ પુત્રવધુ ભારતીબેન મકવાણા માટે ટિકિટ માંગી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ ઉપરાંત આ વોર્ડ માટે એક નવું નામ નિશાબેન રાણપરા (સોની) પણ ચર્ચામાં છે. વોર્ડ નં.15 એકમાત્ર એવો વોર્ડ છે જ્યાં કોંગ્રેસનું ખાસ પ્રભુત્વ છે. ગત ટર્મમાં અહીં ચારેય કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાયા હતા. અને આગામી ટર્મમાં પણ ચારેયને કોંગ્રેસ ટિકિટ આપે તેવી પૂરતી શક્યતા છે. ત્યારે આ વોર્ડ માટે ભાજપે 2 મહિલા સહિત 4 નવા મજબૂત ઉમેદવારોની શોધ કરવી પડશે. જે કોંગ્રેસનાં ચારેય ઉમેદવારોને ટક્કર આપી શકે. વોર્ડ નં.16 કંચનબેન સિદ્ધપુરા અને રૂચિતાબેન જોશી પૈકી કોઈ એકને વાંધો આવશે. જ્યારે સામાન્ય ઉમેદવાર પૈકી નરેન્દ્ર ડવની ટિકિટ કપાય અને સુરેશભાઈ વસોયા યથાવત રહે તેવી શક્યતા છે. વોર્ડ નં.17 અનિતા ગોસ્વામીનાં બદલે પતિ ગૌતમ ગોસ્વામીને ટિકિટ અપાય તેવી ચર્ચા છે, જ્યારે અન્ય નગરસેવક વીનું ધવા કપાય એવી પુરી શકયતા છે. તેનાં ઉપરાંત તેમના ભાઈ-ભાભી પણ અગાઉ કોર્પોરેટર રહી ચૂક્યા હોવાથી તેમનું પતું કપાય તેમ છે. તો રવજીભાઈ મકવાણા અને કીર્તિબા રાણા રિપીટ થવાની શક્યતા છે. જો ગૌતમ ગોસ્વામીને ટિકિટ અપાય તો નવા મહિલા ઉમેદવાર પણ આવી શકે છે. વોર્ડ નં.18 અનુસુચિત જાતિની બેઠક આવતા સંજયસિંહ રાણા કે સંદિપ ગાજીપરા પૈકી કોઈ એકની ટિકિટ કપાશે. જ્યારે ભારતીબેન પરસાણા અને દક્ષાબેન વાઘેલા રિપીટ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, નવા રોટેશન મુજબ 27 ટકા અનામત લાગુ કરી દેવાતા ઓ.બી.સી.ની ટિકિટોમાં વધારો થયો છે. અને સમાન્ય જ્ઞાતિઓની ટિકિટો ઘટી છે. ત્યારે હિરેન ખિમાણીયા જેવા ઉમેદવારો પોતાના વોર્ડ બહાર અન્ય બેઠક ઉપર દાવો કરે તો તેમની સામે વિરોધનો સૂર પણ ઉઠી શકે છે. ગત ચૂંટણીમાં ખિમાણીયાને વોર્ડ નં. 1માં ટિકિટ અપાઈ ત્યારે પણ વિરોધ થયો હતો. ત્યારે આ વખતે જો ત્યાં સામાન્ય બેઠક ઉપર તે દાવો કરે તો તેનો વિરોધ થઈ શકે છે. તેમજ સામાન્ય વર્ગની બેઠકોમાં ઘટાડો થયો છે ત્યારે અનામત કેટેગરીની બેઠકમાં લડી શકે તેવા ઉમેદવારો જો સામાન્ય બેઠક ઉપર દાવો કરે તો ટેન્શન ઉભુ થઈ શકે તેમ છે. ગત ચૂંટણીમાં આવા ઉમેદવારો હતા પણ ત્યારે સામાન્ય બેઠકોની સંખ્યા 31 હતી. આ વખતે 22 બેઠક બાકી રહી છે. ત્યારે સામાન્ય બેઠકો માત્ર સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે જ રહે તે જરૂરી બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    'અહીંયા તો બધુ બાઈ બાઈ ચાળણી જેવું છે':વસ્ત્રાલના કોર્પોરેટરના કામની વાત આવતા જ કાકા બરાબરના બગડ્યા, મેટ્રો અને સ્પોર્ટસ કોમ્પલેક્સના કામથી લોકો ખુશ
    Next Article
    સમર વેકેશન ટૂર 15% મોંઘી, દુબઈનો ટ્રાફિક થાઈલેન્ડ તરફ વળ્યો:હિમાચલ, સિક્કિમ અને કાશ્મીરનો ક્રેઝ, 3 સ્ટાર પેકેજના ગુજરાતીઓ 3 લાખ સુધી ચૂકવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment