Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવાન મહાવીરજયંતિ નિમિતે ધર્મયાત્રા:રાજકોટ ડેરી દ્વારા પશુપાલકોને ભેટ, દૂધના ખરીદ ભાવમાં રૂ.20નો વધારો; જિલ્લાના 17 ગામોમાં પીવાના પાણીની સુવિધા વધશે

    2 days ago

    રાજકોટમાં ભગવાન મહાવીર સ્વામીનાં જન્મ કલ્યાણાક મહોત્સવ નિમિત્તે રાજકોટમાં સમસ્ત જૈન સમાજ અને ‘જૈનમ’ દ્વારા ભવ્ય અને દિવ્ય ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મણીયાર દેરાસર ખાતે આચાર્ય ભગવંત પ્રસન્નચંદ્રસાગરજી મહારાજ સાહેબના મુખેથી માંગલિક ફરમાવ્યા બાદ પ્રસ્થાન થયેલી આ યાત્રામાં અનેક સાધુ-સાધ્વીજી ભગવંતોએ પાવન નિશ્રા પૂરી પાડી હતી. આ પ્રસંગે ધારાસભ્ય દર્શિતાબેન શાહે ભગવાન મહાવીરના પંચશીલ સિદ્ધાંતો-સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્યને વિશ્વ શાંતિ માટે અનિવાર્ય ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 'જીવો અને જીવવા દો' તેમજ 'ક્ષમા વીરસ્ય ભૂષણમ્'ના સંદેશ સાથે વસુધૈવ કુટુંબકમની ભાવના કેળવવી એ જ સાચી ભક્તિ છે. ધર્મયાત્રામાં ભગવાન મહાવીર શુદ્ધ ચાંદીના રથમાં બિરાજમાન થયા હતા, જેને પ્રહલાદ પ્લોટ યુવક મંડળના સભ્યોએ ઉઘાડા પગે ખેંચી નગરચર્યા કરાવી હતી. માર્ગો પર 24 તીર્થંકરોની યાદ આપતા 24 આકર્ષક ફ્લોટ્સ, કળશધારી બહેનો અને બેન્ડની સુરાવલીઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. સમગ્ર રૂટ પર નવપદ પર આધારિત 9 સ્ટેજ બનાવવામાં આવ્યા હતા, જ્યાં ભાવિકો દ્વારા ધર્મયાત્રાનું સ્વાગત કરાયું હતું. યાત્રાના અંતે વિરાણી પૌષધશાળા ખાતે ધર્મસભા યોજાઈ હતી, જેમાં મહાનુભાવો દ્વારા વિવિધ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ ડેરી દ્વારા પશુપાલકોને ભેટ, દૂધના ખરીદ ભાવમાં રૂ. 20નો વધારો નવા નાણાકીય વર્ષના પ્રારંભ પૂર્વે જ રાજકોટ ડેરી દ્વારા પશુપાલકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળ દ્વારા દૂધના ખરીદ ભાવમાં એકસાથે રૂ. 20નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. હાલની ઉનાળાની કાળઝાળ ગરમી અને કમોસમી વરસાદી વાતાવરણના કારણે પશુપાલકોને થતા આર્થિક નુકસાનમાં રાહત આપવાના ઉદ્દેશ્યથી આ ભાવવધારો અમલી બનાવવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, સંઘ દ્વારા પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. 810થી વધારીને રૂ. 830 કરવામાં આવ્યો છે. આવતીકાલ તા. 1 એપ્રિલ 2026થી દૂધ સંઘ મંડળીઓને પ્રતિ કિલો ફેટે રૂ. 830 ચૂકવશે, જ્યારે મંડળીઓ દૂધ ઉત્પાદકોને રૂ. 825 ચૂકવશે. રાજકોટ દૂધ સંઘના આ નિર્ણયથી જિલ્લાના 50,000થી વધુ દૂધ ઉત્પાદકોને સીધો ફાયદો થશે. પશુપાલકોના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે લેવાયેલા આ પગલાથી ગ્રામ્ય અર્થતંત્રને પણ વેગ મળશે. જિલ્લાનાં 17 ગામમાં પીવાના પાણીની સુવિધામાં વધારો રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં ગ્રામીણ વિસ્તારોમાં પાણી પુરવઠાના માળખાને વધુ મજબૂત બનાવવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લાના 11 તાલુકાના 17 ગામોમાં રીજુવેનેશન કાર્યક્રમ અંતર્ગત રૂ. 38.97 લાખના વિવિધ વિકાસલક્ષી કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. પ્રોજેક્ટ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા માટે નવા બોરનું શારકામ, પમ્પિંગ મશીનરીની સ્થાપના, હયાત બોર અને સંપ પર જરૂરી મશીનરીના કામો હાથ ધરવામાં આવશે. કલેક્ટરે ઉનાળાના આગામી સમયમાં ગ્રામજનોને પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે અત્યારથી આગોતરું આયોજન કરવા અને જૂના કામોની સમીક્ષા કરવા સૂચના આપી હતી. બેઠક દરમિયાન વાસ્મો કચેરીની કામગીરી જેવી કે પાણી વેરા વસૂલાત, પંપ ઓપરેટર તાલીમ અને ગ્રામ્ય સ્તરે પાણીના ટેસ્ટિંગની પ્રક્રિયા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. એક મહત્વના નિર્ણયમાં, ગ્રામીણ વિસ્તારોમાં આવેલી જૂની અને જોખમી પાણીની ટાંકીઓને તોડી પાડવા માટે એન્જિનિયરોની એક વિશેષ કમિટી રચવા આદેશ અપાયો છે. આ કમિટીમાં જિલ્લા પંચાયત, સિંચાઈ, આર.એન્ડ બી. અને પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેરોનો સમાવેશ કરવામાં આવશે, જેઓ ટાંકી તોડવા માટેની બેઝિક અપસેટ પ્રાઈઝ નક્કી કરશે. આ બાદ નિયમોનુસાર જર્જરિત ટાંકીઓને દૂર કરવાની કાર્યવાહી આગળ વધારવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન મથક દીઠ ખર્ચની મર્યાદા વધારી રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, જેમાં રાજકોટ મહાપાલિકા, જિલ્લા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા માટે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા આ વખતે મતદાન મથક દીઠ ખર્ચની મર્યાદામાં રૂ. 5000નો વધારો કરી કુલ મર્યાદા રૂ. 30000 નક્કી કરવામાં આવી છે. આ ખર્ચમાં કર્મચારીઓના મહેનતાણા સહિતની તમામ આનુષંગિક બાબતોનો સમાવેશ થાય છે. મહાવીર જયંતીની રજા હોવા છતાં કલેક્ટર કચેરીમાં કામગીરી ચાલુ રહી હતી અને ચૂંટણીનું જાહેરનામું પણ ચાલુ સપ્તાહમાં પ્રસિદ્ધ થવાની શક્યતા છે. મતદાન પ્રક્રિયાને સુલભ બનાવવા માટે આ વખતે દરેક મતદાન મથક દીઠ 1200 મતદારોની સંખ્યા નિયત કરવામાં આવી છે. અગાઉની પ્રાથમિક યાદી મુજબ, રાજકોટ કોર્પોરેશનમાં અંદાજે 1172, જિલ્લા પંચાયતમાં 1197 અને ગોંડલ નગરપાલિકામાં 107 મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા હતા. આ તમામ બેઠકો માટેની આખરી મતદાર યાદી આવતીકાલે 1 એપ્રિલના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. તંત્ર દ્વારા ચૂંટણી માટે જરૂરી ફોટોગ્રાફી, મંડપ અને CCTV જેવી સુવિધાઓ માટે ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં 40થી વધુ લૂના કેસ નોંધાયા:ગરમીનો પારો ઊંચો, હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી
    Next Article
    વડોદરામાં યુવકે પરિણીતાની છેડતી કરી:મહિલા સામે અશ્લીલ ઈશારા કરી શારીરિક અડપલા કર્યા, લોકો ભેગા થતા ભાગી ગયો; નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment