Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુમકુમ મંદિરના સંતો કચ્છમાં, પાટોત્સવની ઉજવણી થશે:માધાપર મંદિરે 20 માર્ચે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અભિષેક

    4 days ago

    અમદાવાદના કુમકુમ મણિનગર મંદિરના સંતો 18 થી 20 માર્ચ દરમિયાન કચ્છમાં સત્સંગ પ્રચાર અર્થે વિચરણ કરશે. આ દરમિયાન 20 માર્ચે માધાપર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમનો પાટોત્સવ ઉજવાશે. 18 માર્ચ, બુધવારના રોજ કુમકુમ મંદિરના સંતો માધાપર મંદિરે પધારશે. ત્યાંથી તેઓ ભાકાસર અને બળદીયા સહિતના ગામોમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ સાથે પધરામણી કરીને કથા-વાર્તાનો લાભ આપશે. 19 માર્ચ, ગુરુવારના રોજ ભૂજ અને દહીંસરા સહિતના ગામોમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ અને સંતોની પધરામણી થશે. આ ઉપરાંત, માંડવી દરિયા કિનારે શ્રી હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કરીને સત્સંગ સભા યોજવામાં આવશે. 20 માર્ચ, શુક્રવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ – માધાપર ખાતે પાટોત્સવ ઉજવાશે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન-અર્ચન અને અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ યોજાશે અને શ્રી સ્વામિનારાયણ ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવશે. વિવિધ ગામોથી પધારેલા હરિભક્તો આરતી કરશે. આ પ્રસંગે કથામૃતનું પાન શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી કરાવશે. શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, કચ્છની ભૂમિ પર શ્રી જીવનપ્રાણ બાપાશ્રી પ્રગટ થયા હતા. તેમના પ્રતાપે કચ્છનો સર્વાંગી વિકાસ થયો છે. તેમણે ઉમેર્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ગ્રંથ વચનામૃત ઉપર શ્રી અબજી બાપાશ્રીએ કરેલી રહસ્યાર્થ પ્રદિપિકાટીકા આજે દરેક મંદિરો અને ઘરોઘરમાં વંચાય છે. આ ટીકાના કારણે શ્રી સ્વામિનારાયણ ભગવાનને યથાર્થ રીતે ઓળખી શકાય છે. આ ગ્રંથ ભારતીય સંસ્કારોને ટકાવી રાખવામાં મદદરૂપ થયો છે, જેના પરિણામે યુવાનો પણ વ્યસનમુક્ત અને સદાચારયુક્ત જીવન જીવતા થયા છે.
    Click here to Read More
    Previous Article
    એચ.એ.કોલેજમાં “એક ભારત શ્રેષ્ઠ ભારત” કાર્યક્રમ યોજાયો:પ્રિન્સિપાલ સંજય વકીલે યુવાનોને દેશભક્તિ માટે પ્રેર્યા
    Next Article
    તાપીના સોનગઢના ગીધમાડી આયા ડુંગર પર દબાણનો મુદ્દો ગરમાયો:મુખ્યમંત્રીના આદેશ છતાં દબાણ કેમ દૂર નથી થતું? કલેક્ટરને આવેદન આપી આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment