Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીતલ ખાતે વંદે ભારતને સ્ટોપેજ મંજૂર:સાંસદ ભરત સુતરિયાની રજૂઆત બાદ 17 ઓગસ્ટથી ટ્રેન રોકાશે

    2 days ago

    અમરેલી જિલ્લાના ચીતલ રેલવે સ્ટેશન ખાતે વેરાવળ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસને સ્ટોપેજ આપવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગણીને મંજૂરી મળી છે. અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરિયાની રજૂઆતો બાદ હવે 17 ઓગસ્ટથી આ ટ્રેન ચીતલ ખાતે પણ રોકાશે. સાંસદ ભરત સુતરિયા દ્વારા કેન્દ્ર સરકાર અને રેલવે મંત્રાલય સમક્ષ વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ માટે સતત રજૂઆતો કરવામાં આવી હતી. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ દ્વારા પત્ર મારફતે ચીતલ ખાતે વંદે ભારતના સ્ટોપેજને સત્તાવાર મંજૂરી આપવામાં આવી હોવાની જાણકારી અપાઈ છે. વંદે ભારતને ચીતલ ખાતે સ્ટોપેજ મળવાથી ચીતલ ઉપરાંત આસપાસના ગામડાઓના મુસાફરોને ઝડપી અને સુવિધાસભર રેલવે મુસાફરીનો લાભ મળશે. ખાસ કરીને અમદાવાદ તથા વેરાવળ-સોમનાથ તરફ જતા મુસાફરો અને શ્રદ્ધાળુઓ માટે મુસાફરી વધુ સરળ બનશે. આ નિર્ણયથી અમરેલી વિસ્તારની રેલવે કનેક્ટિવિટીને પણ વેગ મળશે. સાંસદ ભરત સુતરિયાએ આ મંજૂરી બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો છે. લાંબા સમયથી ચાલતી માંગણી પૂર્ણ થતાં સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. અમરેલી શહેરના નાગરિકો, શહેર ભાજપ, કિસાન મોરચા, યુવા ભાજપ, બક્ષીપંચ મોરચા સહિતના કાર્યકર્તાઓ અને આગેવાનોએ સાંસદ ભરત સુતરિયાનું મોઢું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કૂડાસણના ગેસ્ટહાઉસમાં સગીરા પર દુષ્કર્મ આચરનારાને 20 વર્ષની કેદ:પીડિતાને ચાર લાખનું વળતર ચૂકવવા ગાંધીનગર સ્પે. પોક્સો કોર્ટનો આદેશ
    Next Article
    તાપી કોલેજોમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી:સંસ્કૃતિ અને પરંપરા દર્શાવતા ભવ્ય કાર્યક્રમો યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment