Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામમંદિર ચઢાવામાંથી ચોરી મામલે આજે 2 FIR થઈ શકે:SITની ટીમ DM સાથે મંદિર પહોંચી; ગઈકાલે 42 શંકાસ્પદોની પૂછપરછ કરી હતી

    12 hours ago

    અયોધ્યા રામ મંદિરમાં ચઢાવા ચોરી કેસની તપાસ તેજ થઈ ગઈ છે. મંગળવારે તપાસના બીજા દિવસે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) સવારે 11 વાગ્યે મંદિર પહોંચી હતી. તેમની સાથે અયોધ્યા DM શશાંક ત્રિપાઠી અને ડૉ. ગૌરવ ગ્રોવર પણ હતા. ટીમ આજે પણ ટ્રસ્ટના શંકાના દાયરામાં રહેલા કર્મચારીઓની પૂછપરછ કરશે. સોમવારે મંદિરે પહોંચેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પાસેથી ચઢાવા ચોરી અંગેની માહિતી લીધી. SITએ ટ્રસ્ટના સભ્ય ગોપાલ રાવને બોલાવ્યા. સવાલ-જવાબ કર્યા. આ ઉપરાંત, 8 થી 10 શંકાસ્પદ કર્મચારીઓની બંધ બારણે 6 કલાક સુધી પૂછપરછ કરી છે. ચઢાવા ચોરી કેસમાં અત્યાર સુધી કોઈ FIR નોંધાઈ નથી. આજે એટલે કે મંગળવારે આ મામલે બે FIR નોંધાઈ શકે છે. પહેલી FIR યુપી યુવા કોંગ્રેસના ઉપાધ્યક્ષ શરદ શુક્લા અને બીજી ધર્મસેનાના સંસ્થાપક સંતોષ દુબે નોંધાવી શકે છે. રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા અને ધર્મ સેનાના સંસ્થાપક સંતોષ દુબેએ ભાસ્કરને જણાવ્યું કે, 'આજે શ્રીરામ મંદિર પોલીસ સ્ટેશનમાં જઈને ચઢાવા ચોરીની FIR નોંધાવીશું. આ મામલે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને સભ્યો ડો. અનિલ મિશ્રા, ગોપાલ રાવની ભૂમિકાની તપાસ થવી જોઈએ. ચઢાવા ચોરીમાં જે પણ શંકાસ્પદ પકડાયા છે, તે બધા આ ત્રણ લોકોના ખાસ છે. જ્યારે, શરદ શુક્લાએ ભાસ્કર રિપોર્ટરને કહ્યું- દાન ચોરીના કેસમાં આજે રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં અરજી આપીને FIR નોંધાવશે. જેથી એક પણ દોષિત બચી ન શકે. SITનો સવાલ- કર્મચારીઓ જતી વખતે તપાસ થતી હતી કે નહીં? સૂત્રો મુજબ, SITએ સોમવારે સૌથી પહેલા ચંપત રાય પાસેથી અત્યાર સુધીની તપાસની માહિતી લીધી. આ પછી એક-એક શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી. મંદિરના સુરક્ષા અધિકારીઓને SITએ એ પણ પૂછ્યું કે કર્મચારીઓનું મંદિરની બહાર જતી વખતે ચેકિંગ થતું હતું કે નહીં. તપાસમાં સામે આવ્યું છે કે કર્મચારીઓના મંદિર પરિસરમાં પ્રવેશ કરતી વખતે તો ચેકિંગ કરવામાં આવતું હતું, પરંતુ બહાર નીકળતી વખતે તપાસ થતી ન હતી. અત્યાર સુધીમાં 2 કરોડની રિકવરી દાન ચોરીના કેસમાં અત્યાર સુધીમાં 5 લોકો- લવકુશ, અવનીશ, અનુકલ્પ, કરુણે અને રામશંકરના નામ સામે આવ્યા છે. આ લોકોની નિશાનદેહી પર અત્યાર સુધીમાં 2 કરોડ રૂપિયાની રિકવરી થઈ છે. આ બધા દાનની રકમ ગણવાની ડ્યુટી સાથે જોડાયેલા છે. લવકુશ અને અનુકલ્પ પોલીસ કસ્ટડીમાં છે. સપા પ્રમુખ અને પૂર્વ મંત્રીએ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો રામ મંદિરથી જોડાયેલા અપડેટ્સ માટે લાઇવ બ્લોગમાંથી પસાર થઈ જાઓ…
    Click here to Read More
    Previous Article
    Historic bronze statues similar to the ‘Dancing Girl’ from Mohenjodaro
    Next Article
    સિરપ દવા પર હવે સરકારની કડક નજર:દરેક સિરપ માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી; ગુણવત્તા સુધારવા કેન્દ્ર સરકારે ડ્રગ્સ નિયમોમાં ફેરફાર કર્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment