Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ધુરંધર 2' કાયદાકીય જાળ ફસાઈ:ત્રિમૂર્તિ ફિલ્મ્સ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો; 'રંગ દે લાલ' ગીતને લઈને કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ

    10 hours ago

    પ્રોડક્શન કંપની ત્રિમૂર્તિ ફિલ્મ્સએ ફિલ્મમેકર આદિત્ય ધરના પ્રોડક્શન હાઉસ B62 સ્ટુડિયોઝ વિરુદ્ધ કોપીરાઇટ ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે ફિલ્મ ‘ધુરંધર 2’માં ગીત ‘રંગ દે લાલ’ (ઓય ઓય) નો પરવાનગી વિના ઉપયોગ કરવામાં આવ્યો છે. બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર, ત્રિમૂર્તિ ફિલ્મ્સનું કહેવું છે કે તેની ફિલ્મ ત્રિદેવના ગીતો તિરછી ટોપીવાલે (ઓય ઓય) અને હમ પ્યાર કરને વાલે અથવા તેના મળતા વર્ઝનનો ઉપયોગ ફિલ્મમાં લાઇસન્સ કે પરવાનગી વિના કરવામાં આવ્યો છે. ગીત તિરછી ટોપીવાલેને આનંદ-મિલિંદે કમ્પોઝ કર્યું હતું. જ્યારે, તેને અમિત કુમાર અને સપના મુખર્જીએ ગાયું હતું. કોર્ટમાંથી ગીતના ઉપયોગ પર રોક લગાવવાની માંગ આ મામલે એક સૂત્રએ જણાવ્યું કે, ત્રિમૂર્તિ ફિલ્મ્સનું કહેવું છે કે આ ગીત અને તેના સાઉન્ડ રેકોર્ડિંગના અધિકારો તેમની પાસે છે અથવા તેમના નિયંત્રણમાં છે. દાખલ કરવામાં આવેલા મુકદ્દમામાં માંગ કરવામાં આવી છે કે ગીતના આગળના ઉપયોગ પર રોક લગાવવામાં આવે, સાથે જ વળતર અને અન્ય જરૂરી રાહત પણ આપવામાં આવે. ત્રિમૂર્તિએ એવી પણ ચિંતા વ્યક્ત કરી છે કે આ ગીતનો ઉપયોગ થિયેટર રિલીઝ, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને પ્રમોશનલ મટિરિયલ દ્વારા કમાણી માટે થઈ શકે છે. ફિલ્મ ધુરંધર 2 ના ગીત રંગ દે લાલ (ઓય ઓય) ને જેસ્મિન સેન્ડલસ, અફસાના ખાન, અમિત કુમાર અને રેબલે પોતાનો અવાજ આપ્યો છે. નવા વર્ઝનને મુખ્યત્વે સંગીતકાર શાશ્વત સચદેવે તૈયાર કર્યું છે. જ્યારે ગીતમાં પ્રખ્યાત સંગીતકાર જોડી કલ્યાણજી-આનંદજીને ક્રેડિટ આપવામાં આવ્યું છે. ગીતના વીડિયોમાં ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટ જોવા મળે છે, જેમાં રણવીર સિંહ, અર્જુન રામપાલ, સંજય દત્ત, આર. માધવન, સારા અર્જુન અને રાકેશ બેદીનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    Nitish Kumar in Delhi : नीतीश कुमार जा रहे दिल्ली, शपथ लेने से पहले क्या करेंगे? | Bihar Politics
    Next Article
    સરકારે કહ્યું- શબરીમાલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો આધાર ખોટો:મહિલાઓને પ્રવેશ ન આપવાનું કારણ તેમને પુરુષો કરતાં ઉતરતી માનવામાં આવતું હતું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment