Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:વેરાવળના ડાભોર ગામે જૂના મનદુ:ખથી 2 જૂથ વચ્ચે મારમારી, 5 લોકો ઇજાગ્રસ્ત

    9 hours ago

    વેરાવળ નજીકના ડાભોર ગામે બે જૂથો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો.જૂના મનદુખને લઈને ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હોવાથી 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને વેરાવળની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળ નજીકના ડાભોર ગામે જૂના મનદુખને પગલે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બે જૂથો વચ્ચે મારામારીનો બનાવ બનતા 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમને તાત્કાલિક વેરાવળ ની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં 52 વર્ષીય વાલીબેન વાજા, રવિ ભીમા વાજા, ભુપત ધાના ચારિયા, જગદીશ ડાયા ખુટડ અને ભરત ભાણા ચારિયાનો સમાવેશ થાય છે.જેમને તાત્કાલિક વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પ્રભાસ પાટણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે બંને પક્ષોના લોકોના નિવેદનો નોંધવાની કામગીરી હાથ ધરી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી.જો કે આખરે બંને જૂથો વચ્ચે સમાધાન થયું હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે. અત્રે નોંધનીય એ છે કે, બે જુથ વચ્ચે બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને મારા મારી સુધી પહોંચી ગયો હતો. આ બનાવમાં પાંચ લોકોને ઈજા પહોંચી હતી. જો કે, અંતે બંને જુથ વચ્ચે સમાધાન થયું હતું.
    Click here to Read More
    Previous Article
    રજૂઆત:બગડ ગામના યુવકની હત્યા કેસમાં પરિવારને પોલીસ પ્રોટેકશન આપો
    Next Article
    Assam Board SEBA HSLC Class 10th Result 2026: When and where to check?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment