Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાંતિ તિવારી હત્યા કેસ:શાંતિ તિવારી હત્યાના મુખ્ય આરોપી દંપતી જેલ હવાલે, ભાડૂતી 2 સગીરને મહેસાણા મોકલાયા

    5 days ago

    પાલનપુર શહેરમાં શાંતિ તિવારી હત્યા પ્રકરણમાં પોલીસે મુખ્ય આરોપી રેખા રાઠોડ અને તેના પતિ તેજા રાઠોડને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કર્યા છે, જ્યારે હત્યામાં સીધી ભૂમિકા ભજવનારા 16-16 વર્ષના બંને સગીરને મહેસાણા જુવેનાઇલ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે અત્યાર સુધીની તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કરતા ગુનાનો ભેદ સંપૂર્ણ રીતે ઉકેલી નાખ્યો છે. 79 તોલા સોનું અને બે લાખ પાછા ન આપવા પડે તે માટે રેખાએ પતિ અને ભાડુતીઓ સાથે મળી પૂર્વ આયોજિત રીતે હત્યાનો પ્લાન ઘડ્યો હતો. ઘટનાના દિવસે શાંતિબેનને હવનના બહાને ફર્નિચરની દુકાને બોલાવી પ્રથમ ઝેર આપી બેહોશ કર્યા હતા. ત્યારબાદ બંને સગીરોએ ક્લચ વાયર વડે ગળું દબાવી નિર્દયી રીતે હત્યા કરી હતી. ગુનાને છુપાવવા માટે લાશને એરોમા સર્કલ નજીકના બંધ ગોડાઉનમાં લઈ જઈ પેટ્રોલ છાંટી સળગાવી હતી. પોલીસે તપાસ દરમિયાન ક્લચ વાયર, આરોપીઓએ ગુનાના દિવસે પહેરેલા કપડા તેમજ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા બંને છકડા કબજે કર્યા છે. સીસીટીવી ફૂટેજ અને કોલ ડીટેલના આધારે આરોપીઓની હલચલ પણ સ્પષ્ટ થઈ છે, જે કેસમાં મહત્વના પુરાવા સાબિત થયા છે. પશ્ચિમ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે પૂરતા પુરાવા એકત્રિત કર્યા બાદ કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન જે મુદ્દા માલ મેળવવાનો બાકી હતો તે સ્થળ પર લઈ જઈને એકત્રિત કરાયો હતો. જેમાં શાંતીબેનની લાશને જે ધાબળામાં રાખી હતી તે સળગી ગયેલા ધાબળાના અવશેષો, બે છકડા, હત્યાના દિવસે આરોપીઓએ પહેરેલા કપડાં પણ એફએસએલમાં મોકલવા માટે જપ્ત કર્યા છે. હાલમાં પેટ્રોલ ક્યાંથી ખરીદવામાં આવ્યું હતું તેની તપાસ ચાલી રહી છે. આરોપીઓને કોર્ટમાંથી જેલમાં મોકલી દેવાયા છે. 4થી વધુ સાક્ષીઓના નિવેદન લીધા શાંતિબેનના હત્યા પ્રકરણમાં ચાર આરોપીઓ વિરુદ્ધ સજ્જડ પુરાવા એકઠા કરવા માટે પશ્ચિમ પોલીસે ગુના વાળી જગ્યાની સામે આવેલી મનીષ સીટ કવરની દુકાન આગળના કેમેરામાં જોવા મળેલા તથ્યોના આધારે ગુનાના મૂળ સુધી પહોંચ્યા હતા. પોલીસના સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધી જુદા જુદા ચારથી વધુ સાક્ષીઓના નિવેદનો લીધા છે. અમદાવાદ જઈ આરોપીનો ભૂતકાળ ખંગાળાશે શાંતિબેનની હત્યાના ગુનામાં સંડોવાયેલા રેખા રાઠોડ અને તેના પતિ તેજા રાઠોડ ગુનાહિત કૃત્ય કરવા માટે અગાઉથી ટેવાયેલા હતા અગાઉ તેમને કોઈ કૃત્ય અંજામ આપ્યું છે કે કેમ તેને લઈને ઓનલાઇન રેકર્ડ ચેક કરતાં ક્યાંય કોઈ પુરાવા મળ્યા નહોતા જેથી હવે અમદાવાદ રૂબરૂ જઈને ગુનાહિત ઇતિહાસ હતો કે કેમ તેની ખરાઈ કરશે. દેલવાડામાં કાંઈ ન મળ્યું‎ પાલનપુરના ચકચારી મર્ડર‎કેસમાં હત્યારા શાંતિબેનની‎લાશને છકડામાં નાખીને પહેલા‎દેલવાડાના બકરાના વાડામાં લઈ‎ગયા હતા રિમાન્ડ દરમિયાન‎પોલીસ પણ ત્યા ગઈ હતી જોકે‎પોલીસને અહીંથી કોઈ‎વાંધાજનક બાબત મળી નહોતી.‎
    Click here to Read More
    Previous Article
    કોડીનારમાં ભાજપને મોટો ઝટકો:BJPના પૂર્વ સંસદીય સચિવ જેઠા સોલંકીએ કોંગ્રેસને સમર્થન આપ્યું; તા.પં. સદસ્ય સુનીલ રાઠોડના ભાજપને રામ રામ
    Next Article
    ભાસ્કર વિશેષ:ઉ.ગુ.યુનિવર્સિટીના પદવીદાનમાં 150માં 92 દીકરીઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment