Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લિવ-ઇનમાં રહેતી માતાએ ઢોર માર મારતા 2 વર્ષની દીકરીનું મોત:સુરતમાં માતા તોફાન કરતી દીકરીને વેલણ-લાકડીથી અઠવાડીયાથી મારતી હતી, બ્રેઇન હેમરેજ થતાં અંતિમ શ્વાસ લીધા

    10 hours ago

    સુરતના વરાછા વિસ્તારમાં મમતાને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સતત તોફાન કરતી અને જમવા બાબતે હેરાન કરતી બે વર્ષની માસૂમ બાળકીને સગી જનેતાએ વેલણ અને સાવરણી વડે એટલી હદે માર માર્યો કે માસૂમનું મોત નીપજ્યું છે. પીએમ રિપોર્ટમાં બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે બ્રેઈન હેમરેજ થયું હોવાનું સામે આવ્યું છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, વર્ષા સોસાયટી વિભાગ-1માં લફીબેન પૂણાભાઈ સોલંકી નામની મહિલા છેલ્લા દોઢ મહિનાથી સંદીપ નામના યુવક સાથે મૈત્રી કરારથી રહે છે. લફીબેનને સંતાનમાં ચાર દીકરીઓ છે. જેમાં ત્રીજા નંબરની 2 વર્ષીય પુત્રી યશવિતા સતત તોફાન કરી રહી હતી અને માતાને હેરાન કરતી હતી. ઉશ્કેરાયેલી માતાએ માનવતા ભૂલીને માસૂમ બાળકી પર વેલણ અને સાવરણી વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં, તેને જોરદાર તમાચા પણ ઝીંકી દીધા હતા. મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા અને બાળકી ઢળી પડી માતાના અમાનુષી મારને કારણે નાનકડી યશવિતા બેભાન થઈ ગઈ હતી અને તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. ગભરાયેલી માતા તાત્કાલિક બાળકીને સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા જ વરાછા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. PM રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગના ડો. સંદીપ રલોતીએ જણાવ્યું હતું કે, બાળકીના શરીર પર માત્ર આજની જ નહીં, પરંતુ અગાઉ પણ તેને માર મારવામાં આવ્યો હોય તેવા નિશાનો મળી આવ્યા છે. તેને હાથ, લાકડી અને પટ્ટા જેવા સાધનોથી મારવામાં આવી હોવાનું જણાય છે. માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે બ્રેઈન હેમરેજ થવાથી તેનું મોત થયું છે. પોલીસ તપાસમાં શું બહાર આવ્યું? પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાળકી બરાબર જમતી નહોતી અને તોફાન કરતી હતી, જેનાથી કંટાળીને માતા છેલ્લા એક અઠવાડિયાથી તેને પટ્ટા અને લાકડીથી ફટકારતી હતી. મૃતક બાળકીના પિતા મૂળ ગીર સોમનાથના કોડીનારના વતની છે અને ઓખા ખાતે માછીમારીનો વ્યવસાય કરે છે. જ્યારે માતા હાલ સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા સંદીપ સાથે રહે છે. બાળકોના ઉછેરમાં ધીરજ ગુમાવવી કેટલી ઘાતક સાબિત થઈ શકે છે, તેનો આ જીવતો જાગતો પુરાવો છે. વરાછા પોલીસે હાલ માતા અને તેની અન્ય ત્રણ પુત્રીઓની પૂછપરછ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    'અફવાઓ નહીં, વિશ્વાસ રાખો' જિલ્લામાં ગેસ પૂરતો : કલેક્ટરનો નાગરિકોને:અફવાઓથી ગભરાશો નહીં: કલેક્ટરનો નાગરિકોને વિશ્વાસભર્યો સંદેશ
    Next Article
    Patan News: પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી કરાવ્યું કાયદાનું ભાન | Ziliya | Police Sarghas | Crime News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment