Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ‎:અમરેલીથી નાસિક જતી બસના કંડક્ટરે રસ્તામાં ધંધુકાની 2 મહિલાની છેડતી કરી

    1 week ago

    અમરેલીથી નાસિક જતી એસટી બસના કંડક્ટરે રસ્તામાંથી ધંધુકામાંથી બેઠેલી બે મહિલા પેસેન્જર સાથે અણછાજતું વર્તન કરી તેની છેડતી કરી છરી બતાવીને મારી નાખવાની ધમકી આપવાની ઘટના સામે આવતા એસ.ટી વર્તુળમાં ચકચાર મચી છે. આ ઘટનાને પગલે કંડકટર કરજણમાં બસ છોડીને નાસી ગયો હતો. એસટીએ બાબરામાં રહેતા અમરેલી ડેપોના આ કંડકટરને સસ્પેન્ડ કરી દીધો છે. એસટીના કંડકટર દ્વારા મહિલા મુસાફરની છેડતીની આ ઘટના કરજણ નજીક બની હતી. અમરેલી ડેપોમાંથી દરરોજ બપોરે અમરેલી નાસિક રૂટની બસ ઉપડે છે. 16મી તારીખે ઉપડેલી બસમાં મૂળ બાબરાનો અને હાલ અમરેલી ડેપોમાં નોકરી કરતો સિપ્તુ છોટુમિયા નકવી કંડકટર તરીકે ગયો હતો. આ બસમાં ધંધુકાથી બે મહિલા મુસાફર બેઠા હતા. જેને વણી ગામ ઉતરવાનું હતું. જો કે રસ્તામાં જ કંડક્ટરે તેના લખાણ જળકાવવાનું શરૂ કરી દીધું હતું અને આ મહિલાઓની છેડતી કરી હતી. હદ તો એ વાતની થઈ કે જ્યારે વણી ગામ આવ્યું ત્યારે આ શખ્સે બંને મહિલા પેસેન્જરને ત્યાં ઉતરવા દીધા ન હતા અને તેની સીટ પર જઈ છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી અને બંને મહિલા પેસેન્જરને સાથે નાસિક લઈ ગયો હતો. વળતા આ બસ જ્યારે કરજણ પહોંચી ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેને પગલે બસને કરજણ પોલીસ મથકે લઈ જવાય હતી. ઘટનાને પગલે કંડકટર સિપ્તુ નકવી બસ છોડીને નાસી ગયો હતો. જેને પગલે એસટી સત્તાવાળાઓએ નવા કંડકટરની વ્યવસ્થા કરી આ બસને નિયત સ્થળે પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી હતી. બીજી તરફ આ મામલાની એસટી સત્તાવાળાઓ સમક્ષ બંને યુવતીના પરિજનોએ લેખિતમાં ફરિયાદ કરી હતી. જેને પગલે અમરેલીના સિનિયર ડેપો મેનેજર એચ. એન. દવેએ આજે કંડકટરને સસ્પેન્ડ કરતો હુકમ પકડાવી દીધો હતો. આ નરાધમ કંડકટરને અમરેલી ડેપોમાંથી હાલમાં ઉના ડેપોમાં મૂકી દેવામાં આવ્યો છે. હિન્દુ સંગઠનો દ્વારા રજૂઆત કરાશે દરમિયાન આ મામલાને ગંભીરતાથી લઈને અમરેલીમાં હિન્દુ સંગઠનો દ્વારા આવતીકાલે રજૂઆત કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે. હિંદુ સંગઠન બંને પીડિત મહિલાઓને ન્યાય અપાવવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:બગસરા, વડિયા પંથકમાં કરા સાથે માવઠાથી ધાણા, ચણા અને ઘઉંના તૈયાર પાકને નુકસાન
    Next Article
    અનોખી પહેલ:સાવરકુંડલામાં પક્ષીપ્રેમીએ માટીના 1 હજાર કુંડાનું વિતરણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment