Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ધુરંધર 2'નું સ્પોઈલર શેર ન કરતાં':ડિરેક્ટર આદિત્ય ધરની ફેન્સને રિકવેસ્ટ, કહ્યું- સરપ્રાઈઝ અને સસ્પેન્સને બગાડે નહીં ધ્યાન રાખજો

    1 week ago

    રણવીર સિંહ અભિનીત ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ના રિલીઝના થોડા કલાકો પહેલાં ડિરેક્ટર આદિત્ય ધરે ચાહકોને એક ખાસ વિનંતી કરી છે. ફિલ્મ નિર્માતાએ સોશિયલ મીડિયા પર એક લાંબી અને ભાવનાત્મક પોસ્ટ લખીને લોકોને ફિલ્મના સસ્પેન્સને લીક ન કરવા અપીલ કરી છે. 19 માર્ચે રિલીઝ થનારી આ ફિલ્મના પ્રિવ્યૂ શો આજ એટલે કે 18 માર્ચથી શરૂ થઈ ગયા છે, જેને લઈને મેકર્સ ખૂબ જ સાવચેત છે. આદિત્ય ધરે ઇન્સ્ટાગ્રામ અને X (ટ્વિટર) પર લખ્યું કે તેઓ ઇચ્છે છે કે દર્શકો ફિલ્મના દરેક ટ્વિસ્ટ અને ઇમોશનને તે જ રીતે અનુભવે, જેમ કે તેમને અનુભવવા માટે બનાવવામાં આવ્યા છે. ફિલ્મના સિક્રેટ્સ બચાવવા વિનંતી આદિત્યએ લખ્યું, "હું તમને એક દિલથી વિનંતી કરું છું... કૃપા કરીને સ્પોઇલર શેર ન કરો! દરેક ચાહકને થિયેટરમાં કોઈ પણ માહિતી વિના જવા દો, જેથી તેઓ ફિલ્મ જોતી વખતે પોતાને આશ્ચર્યચકિત અનુભવી શકે." નિર્દેશકે પોતાની પોસ્ટમાં પરોક્ષ રીતે પાઇરેસીનો મુદ્દો પણ ઉઠાવ્યો. પાઇરેસી વિરુદ્ધ પણ બોલ્યા આદિત્ય તેણે કહ્યું કે ફિલ્મને ફોન પર ઝાંખી ઇમેજમાં નહીં, પરંતુ થિયેટરના અંધારામાં પરિવાર અને મિત્રો સાથે જોવી જોઈએ. તેણે લખ્યું, "અમે ‘ધુરંધર: ધ રિવેન્જ’માં પોતાનું દિલ લગાવી દીધું છે. ફિલ્મોનો અનુભવ થિયેટરમાં જ લેવો જોઈએ, જ્યાં તમે અજાણ્યા લોકો સાથે પણ એક જ પ્રકારની ભાવનાઓ અનુભવો છો." ફિલ્મ આવતીકાલે રિલીઝ થશે આવતીકાલે એટલે કે 19 માર્ચ 2026ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મમાં લાંબી સ્ટારકાસ્ટ છે. ફિલ્મમાં રણવીર સિંહ સાથે સંજય દત્ત, આર માધવન, રાકેશ બેદી, અર્જુન રામપાલ અને સારા અર્જુન જેવા દિગ્ગજ કલાકારો જોવા મળશે. એવું માનવામાં આવે છે કે આ જાસૂસી થ્રિલર ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક સાબિત થઈ શકે છે. આદિત્યએ પોતાની નોંધનો અંત 'ભારત માતા કી જય' સાથે કર્યો. ‘ધુરંધર 2’ ની શરૂઆત સુનામીની જેમ કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મોના પ્રોડ્યુસર અભિષેક અગ્રવાલે કહ્યું કે ‘ધુરંધર 2’ની શરૂઆત બોક્સ ઓફિસ પર કોઈ સુનામીથી ઓછી નથી. ડાયરેક્ટર આદિત્ય ધરે વધુ ઘોંઘાટ કર્યા વિના પોતાના કામથી કમાલ કરી બતાવ્યો છે અને તેણે પ્રોડ્યુસરની વિચારસરણી અને જોખમ બંનેને સારી રીતે સમજીને એક ઉત્તમ ફિલ્મ બનાવી છે. આટલી મોટી ફિલ્મ બનાવ્યા પછી માત્ર “ઓલ ધ બેસ્ટ” કહેવું નાનું લાગે છે, કારણ કે આદિત્ય પોતે જ પોતાની સ્પર્ધા છે. જિયો સ્ટુડિયોઝ અને જ્યોતિ દેશપાંડેને પણ આ સાહસિક પ્રોજેક્ટ માટે ખાસ શ્રેય જાય છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ—રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, સારા અર્જુન, અર્જુન રામપાલ, રાકેશ બેદી અને આર. માધવન—બધા શાનદાર પ્રદર્શન આપશે, એવો વિશ્વાસ છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 633 પોઈન્ટ વધીને 76,704 પર બંધ થયો:નિફ્ટીમાં પણ 197 પોઈન્ટનો ઉછાળો, 23,778 પર પહોંચ્યો; IT અને રિયલ્ટી શેરોમાં ખરીદી
    Next Article
    મા અંબાના ધામમાં ચૈત્રી નવરાત્રિનો મંગલ પ્રારંભ:19 માર્ચ થી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર; જાણો નવું સમયપત્રક

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment