Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આપણા સમાજમાં આને સારું માનવામાં આવતું નથી':આમિરના ત્રીજા લગ્ન પર હિનાનો બેફામ જવાબ, પતિ રૉકીએ કહ્યું- 'બીજા 2 કરી લે, મારા બાપનું શું'

    10 hours ago

    એક્ટ્રેસ હિના ખાને તાજેતરમાં આમિર ખાનના ગૌરી સ્પ્રેટ સાથેના ત્રીજા લગ્ન વિશે વાત કરી અને કહ્યું કે ઇસ્લામમાં તેને યોગ્ય માનવામાં આવતું નથી. હિના ઉપરાંત, આ ચર્ચામાં એક્ટ્રેસ રૂબીના દિલેક અને તેના પતિ અભિનવ શુક્લા પણ જોડાયા હતા, જેણે આ વિષય પર લાંબી વાત કરી હતી. ધ ફોર પીઓવી પોડકાસ્ટમાં રૂબીના દિલેકે સવાલ ઉઠાવ્યા કે જ્યાં સુધી સેલેબ્સ સાથે કોઈ વિવાદ ન થાય ત્યાં સુધી તેમની ફિલ્મો ચાલતી નથી. આના પર તેના પતિ અભિનવે કહ્યું કે સકારાત્મક સમાચાર વેચાતા નથી. જો કોઈ એક્ટર ગામમાં ભોજન વહેંચે તો સમાચાર નહીં આવે, પરંતુ નકારાત્મક હોય તો ઝડપથી સમાચાર બને છે. આના પર રૂબીનાએ કહ્યું કે આમિર ખાન સાથે કોઈ વિવાદ નથી, તો શું તેની ફિલ્મો ચાલતી નથી? આના પર હિનાએ વચ્ચેથી બોલતા કહ્યું, ‘શું આ ઓછો મોટો વિવાદ છે? એક સામાન્ય માણસ તો એ જ વિચારશે ને કે ફરીથી લગ્ન કરી રહ્યો છે, આને પણ છોડી દીધી.’ આના પર રૂબીના દિલેકે આમિરનો બચાવ કરતા કહ્યું કે કોઈપણ વ્યક્તિ કોઈપણ ઉંમરે લગ્ન કરી શકે છે. આમિર ખાને ઉત્તમ ફિલ્મો કરી છે, પરંતુ તે વિશે કોઈ વાત કરતું નથી, કારણ કે તે વિવાદોમાં રહ્યા નથી. આપણે તેમના લગ્ન પર તેમને શા માટે જજ કરી રહ્યા છીએ? આના પર હિનાએ કહ્યું, 'અમે જજ નથી કરી રહ્યા. હું તો કહી રહી છું, તેમની મરજી, તેઓ જેટલી વાર ઈચ્છે તેટલી વાર લગ્ન કરે. તેમની જિંદગી.' આના પર રૉકી જયસ્વાલે કહ્યું, 'બે વાર વધુ કરી લે, મારા બાપનું શું જાય છે.' આગળ હિના ખાને કડક સ્વરમાં કહ્યું, 'આપણા સમાજમાં આ બહુ સારું માનવામાં આવતું નથી રૂબીના. લગ્ન પર લગ્ન પર લગ્ન. તલાક પણ સારું માનવામાં આવતું નથી. હવે જઈને આ સામાન્ય થઈ ગયું છે, પરંતુ આજે પણ ઘણી જગ્યાએ તેને સારું માનવામાં આવતું નથી.' આમિરે 5 જુલાઈએ ત્રીજા લગ્ન કર્યા હતા એક્ટર આમિર ખાન અને તેની પાર્ટનર ગૌરી સ્પ્રેટે 5 જુલાઈએ લગ્ન કર્યા. બંનેએ મુંબઈના પાલી હિલ (બાંદ્રા) સ્થિત આમિરના ઘરે લગ્નના કાગળો પર સહી કરી. આ એક ખાનગી લગ્ન સમારોહ હતો, જેમાં બંને પરિવારોના લોકો અને કેટલાક ખૂબ જ નજીકના મિત્રો જ સામેલ થયા હતા. લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કોર્ટ મેરેજ તરીકે રજીસ્ટર કરવામાં આવ્યા હતા. લવ જિહાદના આરોપ પર આમિરે સ્પષ્ટતા કરી હતી ત્રીજા લગ્ન કર્યા પછી, અભિનેતા આમિર ખાનને સોશિયલ મીડિયા પર લવ જિહાદના બ્રાન્ડ એમ્બેસેડર કહેવામાં આવી રહ્યા છે. રેડિફ સાથેની વાતચીતમાં, આમિરે આ આરોપો પર કહ્યું- 'મારા ત્રણેય લગ્નમાં કોઈ પણ પત્નીએ ધર્મ પરિવર્તન કર્યું નથી, કારણ કે લગ્ન સિવિલ મેરેજ હતા. ત્રીજી પત્ની ગૌરી હિંદુ નથી પણ ખ્રિસ્તી છે.' આમિરે કહ્યું- 'મારી દીકરી ઇરાના લગ્ન એક હિંદુ સાથે થયા છે. મારી બંને બહેનો નિખત ખાન અને ફરહત ખાનના પતિ પણ હિંદુ છે. કઝિન મન્સૂરના લગ્ન એક ખ્રિસ્તી સાથે થયા છે.' આમિરના લગ્નની તસવીરો … સલૂન એન્ટરપ્રેન્યોર અને ફેશન પ્રોફેશનલ છે ગૌરી સ્પ્રેટ આમિરે વર્ષ 2025માં તેના 60મા જન્મદિવસ પર ગૌરી સાથે તેના સંબંધોને સાર્વજનિક કર્યા હતા. આમિરની જેમ ગૌરી પણ પરિણીત હતી અને તેને 7 વર્ષનો એક બાળક છે. આમિર અને ગૌરી એકબીજાને છેલ્લા 25 વર્ષથી ઓળખે છે. બંને પહેલા ખૂબ સારા મિત્રો હતા, જેના પછી તેઓએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું.
    Click here to Read More
    Previous Article
    પત્નીએ છૂટાછેડા માટે અધધધ... ₹8,200 કરોડ માગ્યા:સદીના સૌથી મોંઘા ડિવોર્સ, એશિયાનો અબજોપતિ બિઝનેસમેન મેરેજ બાદ અફેર કરી લૂંટાઈ ગયો
    Next Article
    આજે 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ:બાવળાના ધિંગડામાં NDRF દ્વારા લોકોનું રેસ્ક્યૂ, ધોલેરાનું વણી તળાવ ગામ સંપર્ક વિહોણું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment