Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિંડોલી-ભેસ્તાન 2 કિમી રોડની બંને સાઈડ કચરાના ઢગલાં:દેશમાં સ્વચ્છતા માટે જાણીતું સુરત કચરાના થરમાં ખદબદતું દેખાયું, કમિશનરને આ ગંદકી ન દેખાઈ!

    13 hours ago

    દેશભરમાં સ્વચ્છતા માટે પ્રથમ ક્રમ મેળવનાર સુરત મહાનગરપાલિકા માટે ગર્વ લેવા જેવી બાબત તો છે, પરંતુ શહેરના કેટલાક વિસ્તારોની વાસ્તવિકતા આ નંબર વનના ટેગ સામે મોટા પ્રશ્નાર્થચિહ્ન ઉભા કરી રહી છે. સુરતના દક્ષિણ ઝોનમાં આવતા ડિંડોલી અને ભેસ્તાન વિસ્તારમાં રહેતા નાગરિકો આજે પણ ગંદકી, રોડના ગાબડા અને વહીવટી તંત્રની ઉદાસીનતાનો ભોગ બની રહ્યા છે. અહીંની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે સુરતનું સ્માર્ટ સિટી મિશન માત્ર પોશ વિસ્તારો પૂરતું જ મર્યાદિત રહી ગયું છે. કમિશનરને આ ગંદકી ના દેખાઈ! રોડની બંને તરફ 1-2 કિલોમીટર સુધી કચરાના ઢગલા ડિંડોલી અને ભેસ્તાનના રહેણાક વિસ્તારોમાં પ્રવેશતા જ નાક દબાવવું પડે તેવી સ્થિતિ છે. આશ્ચર્યની વાત એ છે કે કોઈ એકાદ ખૂણે નહીં, પરંતુ મુખ્ય રોડની બંને સાઈડ લગભગ 1થી 2 કિલોમીટર સુધી કચરાના ઢગલા જોવા મળી રહ્યાં છે. આ ઢગલામાં પ્લાસ્ટિક, ઘરગથ્થુ કચરો અને જોખમી વેસ્ટ પણ જોવા મળે છે. લાંબા સમયથી કચરો ઉઠાવાયો ન હોવાથી સડી રહ્યો સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, ડોર-ટુ-ડોર કચરો લેવાની ગાડીઓ ક્યારેક આવે છે અને ક્યારેક નથી આવતી. પરિણામે લોકો મજબૂર બનીને રોડ પર કચરો નાખે છે. લાંબા સમયથી આ કચરો ઉઠાવાયો ન હોવાથી તે સડી રહ્યો છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળો ફેલાવાનો ભય સતત તોળાઈ રહ્યો છે. કમિશનરને 2 કિમી લાંબા કચરાના ઢગલા કેમ દેખાતા નથી? સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન સમયાંતરે શહેરમાં સરપ્રાઈઝ ચેકિંગ કરતા હોવાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. પરંતુ સવાલ એ થાય છે કે, શું અધિકારીઓને આ 2 કિમી લાંબા કચરાના ઢગલા કેમ દેખાતા નથી? શું આ સરપ્રાઈઝ વિઝિટ માત્ર વીઆઈપી રોડ કે અઠવા લાઈન્સ જેવા વિસ્તારો માટે જ છે? ડિંડોલી અને ભેસ્તાન જેવા શ્રમિક અને મધ્યમ વર્ગના વિસ્તારોમાં અધિકારીઓ એસી ગાડીઓમાંથી નીચે કેમ નથી ઉતરતા? કેનાલના કિનારે અને કેનાલની અંદર પણ કચરાના ઢગલા ખડકાયેલા કરાવવા રોડ પર આવેલ કેનાલની હાલત પણ અત્યંત દયનીય છે. કેનાલના કિનારે અને કેનાલની અંદર પણ કચરાના ઢગલા ખડકાયેલા છે. કેનાલમાં કચરો ફેંકાવાના કારણે પાણીનો પ્રવાહ અટકે છે અને દુર્ગંધ ફેલાય છે. જે કેનાલ શહેરની સુંદરતા વધારવા માટે હોવી જોઈએ, તે આજે બીમારીઓનું કેન્દ્ર બની ગઈ છે. પાલિકા દ્વારા કેનાલની સફાઈ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત શૂન્ય છે. ગાબડામાં સમારકામને બદલે મોટું લાકડું ખોસી દેવાયું વહીવટી તંત્રની બેદરકારીની પરાકાષ્ઠા તો ત્યારે જોવા મળી જ્યારે કેનાલ રોડ પર પડેલા એક મોટા ગાબડામાં સમારકામ કરવાને બદલે તેમાં મોટું લાકડું ખોસી દેવામાં આવ્યું છે. આ માર્ગ પરથી હજારો વાહનચાલકો પસાર થાય છે. રાત્રિના સમયે અંધારામાં જો કોઈ વાહનચાલક આ લાકડા સાથે ભટકાય તો જીવલેણ અકસ્માત સર્જાઈ શકે તેમ છે.
    Click here to Read More
    Previous Article
    ટાંગલિયા શાલના 57 કારીગરોને GI પ્રમાણપત્ર મળ્યા:સુરેન્દ્રનગરની કળાને આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા મળી
    Next Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ફૂટપાથ પરથી મહિલાની લાશ મળી, પિતા,દાદા,દાદી અને ફોઈના ત્રાસથી 11 સાયન્સનો સ્ટુડન્ટ લટકી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment