Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરની યુવતીને રૂ. 2 લાખની લગ્ન સહાય મળી:પાલક માતા-પિતા યોજના હેઠળ સરકાર તરફથી સહાય અપાઈ

    1 week ago

    સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ટોપરાળા ગામના 21 વર્ષીય નીલમબેન મુકેશભાઈને ગુજરાત સરકારની 'પાલક માતા-પિતા યોજના' હેઠળ રૂ. 2 લાખની લગ્ન સહાય મળી છે. માતા-પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ તેમને આ યોજના અંતર્ગત 18 વર્ષની ઉંમર સુધી દર મહિને રૂ. 3,000ની સહાય પણ મળતી હતી. નીલમબેને જણાવ્યું કે આ સહાય તેમના નવા સંસારને સ્થિર કરવામાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા 2009થી અમલમાં મુકાયેલી 'પાલક માતા-પિતા યોજના' અનાથ બાળકો માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અનાથ બાળકો સંસ્થા કે અનાથાશ્રમમાં જવાને બદલે પોતાના નજીકના સગા-સંબંધીઓ અથવા પાલક વાલી પાસે કૌટુંબિક અને સુરક્ષિત વાતાવરણમાં ઉછરી શકે. આ યોજના હેઠળ, જે બાળકોના માતા-પિતા બંનેનું અવસાન થયું હોય, અથવા પિતાના અવસાન બાદ માતાએ પુનઃલગ્ન કર્યા હોય અને બાળક સગા-સંબંધીઓ પાસે રહેતું હોય, તેવા 0 થી 18 વર્ષના અભ્યાસ કરતા બાળકોને આવરી લેવાય છે. પાલક વાલી અને બાળકના સંયુક્ત બેંક ખાતામાં દર મહિને રૂ. 3,000ની આર્થિક સહાય સીધી DBT દ્વારા જમા કરવામાં આવે છે, જેથી બાળકના ભરણપોષણ અને શિક્ષણમાં મદદ મળે. ગ્રામ્ય વિસ્તારોમાં રૂ. 27,000 અને શહેરી વિસ્તારોમાં રૂ. 36,000 સુધીની વાર્ષિક આવક મર્યાદા ધરાવતા પાલક પરિવારોના બાળકોને આ યોજનાનો લાભ મળે છે. નીલમબેન પણ 18 વર્ષના થયા ત્યાં સુધી આ યોજનાના સહારે પોતાનું શિક્ષણ અને ભવિષ્ય સુરક્ષિત રાખી શક્યા હતા. આ યોજના માત્ર બાળકના ઉછેર પૂરતી સીમિત નથી, પરંતુ દીકરીના લગ્ન સમયે પણ સહાય પૂરી પાડે છે. નીલમબેનના લગ્ન બાદ, સુરેન્દ્રનગર જિલ્લા કચેરી અને સામાજિક સુરક્ષા ખાતા દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને 'લગ્ન સહાય યોજના' હેઠળ રૂ. 2,00,000ની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. આ સહાયે નીલમબેન અને તેમના પાલક પરિવારને લગ્નના આર્થિક બોજમાંથી મુક્ત કરીને સુરક્ષિત ભવિષ્ય માટે મદદ કરી છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચાલતી આ ભગીરથ કામગીરી આજે રાજ્યની હજારો અનાથ દીકરીઓ માટે આશાનું કિરણ બની છે. જ્યારે કોઈ દીકરીના માથેથી પિતાનો સાયો ઊઠી જાય છે, ત્યારે સરકાર તેના પિતાની ભૂમિકા ભજવીને દીકરીના કરિયાવરમાં આર્થિક હૂંફ પૂરી પાડે છે.
    Click here to Read More
    Previous Article
    ગટરનું પાણી હવે પીવાલાયક બનશે:STP પ્લાન્ટ્સ અદ્યતન કરાશે, રોજ 35 MLD શુદ્ધ પાણીથી જળસંકટ દૂર થશે
    Next Article
    જામનગરના નિધિબેન બનાવે છે ઇકો-ફ્રેન્ડલી જૂટ ઉત્પાદનો:પર્યાવરણ જાગૃતિ અને ટકાઉ ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment