Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાળઝાળ ગરમી:કચ્છમાં આકરી ગરમીથી આંશિક રાહત તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે

    2 days ago

    કચ્છમાં ગત રવિવારથી શરૂ થયેલા કાળઝાળ ગરમીના પ્રકોપ બાદ હવે નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. વાતાવરણમાં પલટો આવતા ગરમીનું પ્રમાણ ધીમે-ધીમે ઘટવાની શરૂઆત થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે, જેને પગલે છેલ્લા બે દિવસથી કાળઝાળ ગરમીમાં શેકાતા કચ્છવાસીઓએ હાશકારો અનુભવ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રીની વચ્ચે રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પારો 35 થી 39 ડિગ્રીની રેન્જમાં રહેવાની શક્યતા છે. જોકે, આ ઘટાડા બાદ આગામી સમયમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના ન હોવાનું પણ જણાવાયું છે. છેલ્લા એક સપ્તાહથી સૂર્યદેવના આકરા મિજાજને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું, પરંતુ હવે પવનોની દિશામાં ફેરફાર અને તાપમાનમાં થયેલા ઘટાડાને લીધે બપોરના સમયે અનુભવાતી લૂ અને અસહ્ય તાપથી લોકોને આંશિક મુક્તિ મળી છે. કંડલા એરપોર્ટ પર 41.4 અને ભુજમાં પારો 39.8 ડિગ્રી રહ્યો હોવાનું પણ જણાવાયું છે. છેલ્લા એક સપ્તાહથી સૂર્યદેવના આકરા મિજાજને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું, પરંતુ હવે પવનોની દિશામાં ફેરફાર અને તાપમાનમાં થયેલા ઘટાડાને લીધે બપોરના સમયે અનુભવાતી લૂ અને અસહ્ય તાપથી લોકોને આંશિક મુક્તિ મળી છે. જિલ્લાના વિવિધ મથકોએ નોંધાયેલા તાપમાન
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:એક્ઝિટ પોલ- આસામ અને બંગાળમાં ભાજપની સરકાર, ટ્રમ્પની ઈરાનને ધમકી, કિર્તિદાન ગઢવીને હાઈકોર્ટની નોટિસ
    Next Article
    ભાસ્કર એનાલિસીસ:જિ. પં.ની ચુંટણીમાં 25 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment