Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષણ રાજ્યમંત્રીએ પોશીનામાં કન્યા કેળવણી મહોત્સવ ઉજવ્યો:રીવાબા જાડેજાએ સેલ્ફી ખેંચી, બાળકીઓને લાડ લડાવ્યા, 2 દીકરીઓને શાળામાં પુનઃ પ્રવેશ કરાવવા વાલીઓ સાથે ચર્ચા કરી

    16 hours ago

    સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાની દેમતિમેરા પ્રાથમિક શાળા અને ગણવા સરકારી માધ્યમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. રાજ્યના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નાના ભૂલકાંઓને તિલક કરી, ફૂલહાર પહેરાવી અને શૈક્ષણિક કીટ અર્પણ કરીને શાળામાં વિધિવત્ પ્રવેશ અપાવવામાં આવ્યો. આ અવસરે શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, વર્ષ 2003 પહેલાં દીકરીઓના શિક્ષણ અને શાળા પ્રવેશ અંગે અનેક પડકારો હતા, પરંતુ રાજ્ય સરકારના સતત પ્રયાસોના પરિણામે આજે દીકરીઓના શિક્ષણમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસનો પાયો છે. 2003 પછી ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે આવેલા ઐતિહાસિક પરિવર્તનને બિરદાવ્યું. કોટવાલે ભારપૂર્વક જણાવ્યું કે, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા અભિયાનોના કારણે દીકરીઓના શિક્ષણ અને શાળામાં પ્રવેશના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. શિક્ષણમંત્રીએ નાના બાળકો સાથે વાત્સલ્યપૂર્ણ વ્યવહાર કર્યો અને મોટા વિદ્યાર્થીઓ સાથે મિત્રતાભર્યો સંવાદ સાધ્યો. તેમણે ગ્રામજનો સાથે પણ ચર્ચા કરી હતી. મંત્રીએ ખાતરી આપી કે બાળકોના શિક્ષણ સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે તેમની કચેરીના દ્વાર હંમેશા ખુલ્લા રહેશે. તેમણે ગ્રામજનો સાથે સેલ્ફી પણ લીધી અને તેમને કોઈપણ સમયે પોતાની ઓફિસે આવવા આમંત્રિત કર્યા. આ ઉપરાંત, શિક્ષણમંત્રીએ પોશીનાના ડુંગરાળ વિસ્તારોમાં શાળા છોડી દીધેલ બે દીકરીઓના ઘરની રૂબરૂ મુલાકાત લીધી. તેમણે વાલીઓ સાથે ચર્ચા કરીને દીકરીઓને પુનઃ શાળા પ્રવેશ કરાવવા માટે સૂચના આપી. મંત્રીએ શિક્ષકોને પણ આ દીકરીઓને વ્યક્તિગત રીતે શિક્ષણમાં મદદ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી મીતાબેન ગઢવી, પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાય, સ્થાનિક અગ્રણીઓ સર્વે લોકેશભાઈ, જનક, રુદ્રરાજ, રણજીત ધ્રાગી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના ખેડૂતોને હવે 10 કલાક વીજળી મળશે:વરસાદ ખેંચાતા ઊર્જા મંત્રીએ સમય વધારવાનો નિર્ણય કર્યો; ખેડૂતોને રાહત
    Next Article
    ચુડાના કંથારીયામાં જુગારધામ ઝડપાયું, 7 શખ્સો પકડાયા:રૂ. 3.35 લાખના મુદ્દામાલ સાથે એલસીબીએ કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment