Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2% કેસમાં એસિડ એટેક જરૂરી, ડોક્ટર પાસેથી મળી સનસનીખેજ ચિઠ્ઠીઓ:સુરત કોર્ટમાં પત્ની પર એસિડ ફેંકનાર વૃદ્ધે લખ્યું- 'પત્ની માનસિક રોગી, દીકરીઓ મને દુશ્મન ગણે છે’

    11 hours ago

    સુરત શહેરની કોર્ટમાં પત્ની પર એસિડ ફેંકી પોતે ઝેરી દવા ગટગટાવનાર 70 વર્ષીય આયુર્વેદિક ડોક્ટર પાસેથી મળેલી ચિઠ્ઠીઓએ અનેક રહસ્યો ખોલ્યા છે. જેમાં ડોક્ટર દ્વારા પોતાની વર્ષોની પીડા, કૌટિંબિક વિખવાદ અને પત્ની-પુત્રીઓ પ્રત્યેનો રોષ ઠાલવ્યો હતો. ચિઠ્ઠીમાં તેમણે ચોંકાવનારું લખાણ લખ્યું છે કે, 'પત્ની માનસિક રોગી, દીકરીઓ મને દુશ્મન ગણે છે’ અને સમાજમાં થતા 98% એસિડ એટેક બિનજરૂરી, પરંતુ 2% કિસ્સોમાં જરૂરી હોઈ શકે. ઉલ્લેખનીય છે કે, પોલીસને ઘટનાસ્થળેથી કપડાની એક થેલી મળી આવી હતી, જેમાં 31 હજાર રૂપિયા રોકડા અને પાંચ અલગ અલગ કાગળના ટુકડાઓ (ચિઠ્ઠીઓ) મળી આવ્યા હતા. ડોક્ટરે પત્ની માનસિક રોગી હોવાનો દાવો કર્યો ડોક્ટરે લખેલી ચિઠ્ઠઓમાં સૌથી વધુ આક્રોશ તેમની પત્ની વિરૂદ્ધ જોવા મળ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે, મારી પત્ની માનસિક રોગી છે (ડિસ્લેક્સીયા હાયપરએક્ટિવ + એડલ્ટ AHDH). વધુમાં લખ્યું હતું કે, જેટલા એસિડ એટેક થયા છે તેમાં 98% (લગભગ) બિનજરૂરી હોય છે, પરંતુ 2% જરૂરી હોઈ શકે. એક સજ્જન વ્યક્તિ જેના ખુબ જ ઉપકાર છે તેને બરબાદ કરીને પણ નહીં છોડે તેના માટે બીજું શું હોય. '75 વર્ષની વૃદ્ધ અવસ્થામાં મારા ઉપર ભરણપોષણનો ખોટો કેસ' ચિઠ્ઠીઓમાં ડોક્ટરે લખ્યું હતું કે, સમાધાનની પ્રમાણિક ફોર્મ્યુલા... મારા તરફથી કોઈપણ શરત નથી. મારી 75 વર્ષની વૃદ્ધ અવસ્થામાં મારા ઉપર ભરણપોષણનો ખોટો કેસ કરી મને આર્થિક, શારીરિક, માનસિક, સામાજીક અને કૌટુંબિક નુકસાન થયું છે અને ભરણપોષણના નામે લગભગ રૂપિયા 1.50 લાખ પડાવી લીધા છે. જે હું પાછા માંગવાનો નથી. ચિઠ્ઠીમાં વધુમાં લખ્યું હતું કે, તમારા તરફથી કોઈ શરત મુકવાની નથી. પૈસાની કોઈ ડિમાન્ડ કરવાની નથી. સામસામે કેસ પાછા ખેંચી લેવાના છે. 'મારી દીકરીઓ મારી સાથે એક દુશ્મનની જેમ વર્તે છે' ડોક્ટરે ચિઠ્ઠીઓમાં પોતાની પુત્રીઓ પર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, મને કંગાળ કરવામાં મારી પત્ની અને પુત્રીઓએ કંઈ બાકી રાખ્યું નથી. કોર્ટમાં પણ મારી દીકરીઓ મારી સાથે એક દુશ્મનની જેમ વર્તે છે અને મને નફરત કરે છે. 'થેલીમાં પૈસા છે મારી અંતિમવિધીના લાકડા માટે' અન્ય એક ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, આ રકમ રૂપિયા 31,700 મારી અંતિમવિધી લાકડા માટે છે, તે રકમ એડવોકેટ જયદેવસિંહ (વિજયભાઈ) ચૌહાણને આપશો. મારા મૃત્યુ પછી મારો કોઈપણ નિર્ણય તેઓ લઈ શકશે. થેલીમાં પૈસા છે લગભગ 25,000 રૂપિયા તે ચૌહાણ સાહેબને આપવાના છે. મારી અંતિમવિધીના લાકડા માટે. મારા વતી ઘણા બધા પૈસા ચૌહાણ સાહેબે ચૂકવ્યા છે, તેઓ મારા સર્વસવ છે. વધુમાં લખ્યું હતું કે, મારા કોર્ટ કેસની સચ્ચાઈ એડવોકેટ ચૌહાણ સાહેબ જાણે છે. તેઓએ હંમેશા કાયદામાં રહીને જ મને સલાહ આપી છે. શું છે સમગ્ર ઘટના? 13 માર્ચ 2026ના રોજ 70 વર્ષીય આયુર્વેદિક ડોક્ટર થેલીમાં બધો જ સામાન લઈ કોર્ટમાં પહોંચ્યા હતા. ભરણપોષણના કેસમાં શરતો મંજૂર ન થતા ઉશ્કેરાયેલા ડોક્ટરે પત્નીનો ચોંટલો પકડી તેને પાછળ ખેંચી હતી અને બાદમાં ડાયરેક્ટ ચહેરા ઉપર એસિડ ફેંક્યો હતો. આ હુમલામાં પત્નીની ડાબી આંખમાં ગંભીર ઈજા થઈ છે. જ્યારે હુમલો કર્યા બાદ ડોક્ટરે તરત જ પોતાની પાસે રહેલી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પતિ-પત્ની બંનેની હાલત સ્થિર ઉમરા પોલીસના જણાવ્યા અનુસાર, હાલમાં વૃદ્ધ ડોક્ટર વિનોદભાઈ અને તેમની પત્ની બંનેની તબિયત સ્થિર છે. ડોક્ટરને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. પોલીસે તેમની થેલીમાંથી મળેલી તમામ ચિઠ્ઠીઓ અને પુરાવાઓ કબજે કર્યા છે. વર્ષો જૂના પારિવારિક વિવાદનો આવો કરુણ અંજામ આવશે તેવી કલ્પના કોર્ટ પરિસરમાં હાજર કોઈએ કરી નહોતી. જ્યારે આરોપી ડોકટરની તબિયત ઠીક થશે ત્યારે તેની કાયદેસર ધરપકડ થશે. આ સમાચાર પણ વાંચો સુરત ફેમિલી કોર્ટમાં 10 હજારના ભરણપોષણમાં એસિડ-એટેક સુરત જિલ્લા સેવા સદનના એ-બ્લોકમાં આવેલા પાંચમા માળે આજે કાળજું કંપાવનારી ઘટના બની હતી. ફેમિલી કોર્ટમાં જ્યારે ભરણપોષણના કેસની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે 75 વર્ષીય આયુર્વેદિક ડોક્ટરે પોતાની 61 વર્ષીય પત્ની પર અચાનક એસિડ ફેંકી દીધું હતું. જજની હાજરીમાં જ બનેલી ઘટનાને પગલે કોર્ટ રૂમમાં નાસભાગ મચી ગઈ હતી અને વકીલો સહિતના પક્ષકારો સ્તબ્ધ થઈ ગયા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર) 5 મહિના પહેલાં અમદાવાદમાં પત્નીએ પતિ પર એસિડ-એટેક કર્યો હતો આજથી પાંચ મહિના પહેલાં અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એસિડ-એટેકની ઘટના સામે આવી હતી. સામાન્ય રીતે પુરુષ દ્વારા મહિલા પર એસિડ-એટેકની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ આ કિસ્સામાં તો પત્નીએ જ પોતાના પતિ પર એસિડ ફેંક્યું હતું. આરોપી મહિલાએ પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધની શંકા રાખી એસિડ-એટેક કર્યો હતો. આ એસિડ-એટેકમાં ભોગ બનનાર પતિ શરીરથી નીચેના ભાગે ગંભીર રીતે દાઝ્યો હતો. સેટેલાઈટ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    ગિફ્ટ સિટીમાં હાઇબ્રિડ ગાંજાનું દુબઈ થાઇલેન્ડ કનેક્શન ખૂલ્યું:MBA થયેલા અંકિતે 54 ગ્રામ ગાંજો વેચી માર્યો, ઇન્ટરનેશનલ સિન્ડિકેટ ને સોશિયલ મીડિયા દ્વારા નશાનો કાળો કારોબાર
    Next Article
    1500 કરોડના કૌભાંડીની સુરત એરપોર્ટ પર 'ફ્લાઈટ' લેન્ડ થતા દબોચાયો:આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેડિંગ ગેંગના મુખ્ય સૂત્રધારને દુબઈથી સીધી ફ્લાઈટ ન મળી તો બેંગકોકનો રૂટ પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment