Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ મહાદેવનો પ્રસાદ 2 લાખ ભક્તોને ઘરે પહોંચશે:મહાશિવરાત્રી બિલ્વપૂજા કરનાર પરિવારોને ભસ્મ, રુદ્રાક્ષ, બિલ્વપત્ર મળશે

    12 hours ago

    શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વે શરૂ કરાયેલી ₹25 ની બિલ્વપૂજા સેવા દેશભરના ભક્તોમાં અત્યંત લોકપ્રિય બની છે. આ સેવા દ્વારા ભક્તોને વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર સાથે આધ્યાત્મિક રીતે જોડાવાનો અવસર મળે છે. આ પહેલને દેશભરમાંથી મળેલા પ્રતિસાદને કારણે અત્યાર સુધીમાં 16 લાખથી વધુ ભક્ત પરિવારોએ આ બિલ્વપૂજામાં ભાગ લીધો છે.આ પૂજામાં ભાગ લેનારા ભક્તોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને બિલ્વપત્રનો પ્રસાદ તેમના ઘરે મોકલવામાં આવે છે. મહાશિવરાત્રી-2026 દરમિયાન પૂજા નોંધાવનાર 2 લાખથી વધુ ભક્ત પરિવારોને આ પ્રસાદ મળશે.શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ભારતીય પોસ્ટ વિભાગના સહયોગથી આ પવિત્ર પ્રસાદ દેશભરના ભક્તોના ઘર સુધી પહોંચાડવાનો પ્રારંભ થયો છે. ભારતીય પોસ્ટની 1.55 લાખથી વધુ પોસ્ટ ઓફિસના વિશાળ નેટવર્ક દ્વારા આ પ્રસાદ સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવશે.આજે સોમનાથ મંદિર ખાતેથી પ્રસાદના પ્રથમ તબક્કા રૂપે લગભગ 15 હજાર કવરોનું પ્રસ્થાન કરવામાં આવ્યું. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે આ કવરોને રવાના કર્યા હતા.પ્રભાસ પાટણ પોસ્ટ ઓફિસ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં પોસ્ટ વિભાગના સુપરિટેન્ડન્ટે આ કવરો સ્વીકારી સેવા કાર્યની શુભ શરૂઆત કરાવી હતી. પોસ્ટ વિભાગના અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશના વિવિધ ખૂણામાં વસતા ભક્તોને તેમનો પવિત્ર પ્રસાદ સલામત અને સમયસર પહોંચાડવામાં આવશે. આનાથી ભક્તો ઘર બેઠા સોમનાથ મહાદેવની કૃપા અને આશીર્વાદનો આધ્યાત્મિક અનુભવ કરી શકશે. આ પહેલ માત્ર ધાર્મિક સેવા નથી, પરંતુ દેશના કરોડો ભક્તોને સોમનાથ મહાદેવ સાથે જોડતી એક આધ્યાત્મિક કડી બની રહી છે.
    Click here to Read More
    Previous Article
    1423 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારની કાયાપલટ થશે:પૂરની સમસ્યાના કાયમી નિકાલ માટે મુખ્યમંત્રીએ વહીવટી મંજૂરી આપી, લાખો ખેડૂતોને મળશે મોટી રાહત
    Next Article
    શાપર અને રાવકીમાંથી ગાંજાના જથ્થા સાથે યુવતી સહિત ત્રણ ઝડપાયા:રાજકોટમાં બહેન-બનેવીએ પુત્ર આપી દેવાનુ દબાણ કરતા પરિણીતાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment