Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાંથી ગેરકાયદે મદ્રેસા ઝડપાયું, મૌલાનાની પૂછપરછ:કટ્ટર વિચારધારા વાળા પુસ્તકો મળ્યા, 2 વર્ષથી 10થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા

    15 hours ago

    ભાવનગરના સીદસર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 25 વારિયા મકાનોમાં તપાસ કરતા એક ગેરકાયદે મદ્રેસા મળી આવ્યું હતું. પોલીસે તપાસ કરતા મદ્રેસામાંથી કટ્ટરપંથી વિચારધારા ધરાવતા પુસ્તકો મળી આવ્યા હતા. મૌલાના છેલ્લા બે વર્ષથી અહીં 10 થી વધુ બાળકોને શિક્ષણ આપતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૌલાનાને અટકમાં લઈ પૂછપરછ શરૂ કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. મદ્રેસા ચલાવવા માટ મૌલાનાને ફડિંગ કોણ કરતું હતું તેની પણ તપા શરૂ કરવામાં આવી છે. સરકારી વિભાગોના કોમ્બિંગ દરમિયાન ગેરકાયદે મદ્રેસા મળ્યું ભાવનગરના સિદસર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 25 વારિયામાં આજે ગુજરાત હાઉસીંગ બોર્ડ, પોલીસ વિભાગ, પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત હાથ ધરેલા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક ગેરકાયદે મદ્રેસા ચાલતુ મળી આવતા પોલીસ એલર્ટ બની હતી. મૌલાનાને અટકમાં લઈ પૂછપરછ શરૂ કરવામાં આવી આ અંગે ભાવનગર જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયએ જણાવ્યું હતું કે,ભાવનગર શહેર નજીક આવેલ સિદસર 25 વારીયા વિસ્તારમાં આજરોજ વહિવટી તંત્રના તમામ વિભાગે એકી સાથે મેગા કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે કોમ્બીંગ દરમિયાન એક ગેરકાયદેસર મદ્રેસા મળી આવતા પોલીસ તંત્રએ તપાસ હાથ ધરતા મદ્રેસાના મૌલાના મહમદસફિક અબ્બાસભાઈ મરેડીયા (રહે. મુળ બનાસકાઠા)ના કબજામાંથી મૌલાનાએ કટ્ટરપંથી વિચારધારા સાથે પોતાના હાથે લખેલું એક પુસ્તક તેમજ અનેક અન્ય પુસ્તકો મળી આવતા પોલીસે કબ્જે કરી. મૌલાનાને વરતેજ પોલીસ મથક લઈ જઈ તેની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે. પુછપરછ દરમિયાન મૌલાનાએ ભરુચમાં અભ્યાસ કર્યો હતો અને છેલ્લા દોઢથી બે વર્ષથી ભાવનગરના સિદસર સ્થિત મદ્રેસામાં રહી મીર પરિવારના 10 થી વધુ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો હતો. અને મૌલાના મીર પરિવારને આર્થિક સપોર્ટ કરી રહ્યાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યુ હતું.હાલ પોલીસ દ્વારા મૌલાનાની પુછપરછ અને વાંધાજનક પુસ્તકના પગલે પોલીસે ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે આ મદ્રેસા ચલાવવા મૌલાના કોની પાસેથી ફંડીગ લાવતો હતો, મૌલાના અન્ય કોઈ બાબતમાં સંક્ળાયેલો છે કે કેમ સહિતની બાબતમાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Why everyone is talking about Saif Ali Khan’s tie at Lord’s
    Next Article
    ઉમાશંકર જોશીની 115મી જન્મજયંતી ઉજવાઈ:બોટાદ કોલેજમાં ગુજરાતી વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment