Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જહાંગીરપુરાના સુડા આવાસ 2 વર્ષમાં જ જર્જરિત:10 હજાર લોકો જીવના જોખમે રહેવા મજબૂર, મહિલાએ કહ્યું- 'રજૂઆત કરવા જઈએ તો જેલમાં નાખી દેવાની ધમકી આપે છે'

    20 hours ago

    સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી 'સુડા સંસ્કૃતિ વણકલા' આવાસ યોજના સરકારી તંત્રના ભ્રષ્ટાચાર અને નબળા બાંધકામનો જીવતો જાગતો પુરાવો બની ગઈ છે. વર્ષ 2024માં જ જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાના ઘરના સપના સાથે રહેવા ગયા હતા, ત્યાં માત્ર બે જ વર્ષના ટૂંકા ગાળામાં સમગ્ર ઇમારત જર્જરિત થઈ ગઈ છે. વર્ષ 2025ની શરૂઆતથી જ બિલ્ડિંગોના ચોસલા, પ્લાસ્ટરના પોપડા અને ફ્લોરિંગની ટાઇલ્સ આપોઆપ ઉખડવા લાગી છે. અહીં કુલ 24 જેટલી હાઈરાઈઝ બિલ્ડિંગો આવેલી છે, જેમાં 2,060 કરતા વધુ ઘરોમાં અંદાજે 10 હજારથી વધુ લોકો વસવાટ કરે છે. આ તમામ લોકો છેલ્લા એક વર્ષથી રાત-દિવસ મોતની સાયકલમાં જીવી રહ્યા છે. લેખિત-મૌખિક રજૂઆતો છતાં સુડા તંત્ર ઘોર નિદ્રામાં, અધિકારીઓની દાદાગીરી આવાસના જર્જરિત બાંધકામ અને સુવિધાઓના અભાવને લઈને સોસાયટીના રહીશો દ્વારા સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (SUDA) ભવન ખાતે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિક મહિલા અગ્રણી ભાવનાબેને તંત્રની પોલ ખોલતા જણાવ્યું હતું કે, "અમે સુડા ભવનના અધિકારી પરાગ સરને અસંખ્ય વાર ફરિયાદો કરી છે, પરંતુ આજદિન સુધી કોઈ જ નક્કર નિર્ણય લેવાયો નથી. આવાસમાં ગેસ લાઈનની ગંભીર સમસ્યા હતી, જે અમે લોકોએ પોતાના ખર્ચે અને જાતે દોડધામ કરીને કરાવી છે. આ ઉપરાંત પીવાના પાણીની સમસ્યા, ગાર્ડનની દુર્દશા અને ફ્લોરિંગ આખું ઉખડી જવાની સમસ્યાથી તમામ 24 બિલ્ડિંગના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે." રજૂઆત કરવા જઈએ તો જેલમાં પૂરી દેવાની ધમકી મળે છે: પીડિતોનો આક્રોશ સુડા આવાસના રહીશોનો આક્ષેપ છે કે જ્યારે તેઓ પોતાની વ્યાજબી માંગણીઓ અને જીવના જોખમ અંગે સુડા ભવનમાં રજૂઆત કરવા જાય છે, ત્યારે અધિકારીઓ સાંભળવાના બદલે ધમકાવે છે. ભાવનાબેને હૈયાવરાળ ઠાલવતા કહ્યું કે, "જ્યારે અમે હક માટે અવાજ ઉઠાવીએ છીએ, ત્યારે અમને તંત્ર દ્વારા પોલીસ કેસ કરવાની અને જેલમાં નાખી દેવાની ધમકીઓ આપવામાં આવે છે! જો સરકારી અધિકારીઓ જ આવું વર્તન કરશે, તો અમારે ન્યાય અને ઉકેલ માટે કોની પાસે જવું? આજે પણ અમે બપોરના 12:00 વાગ્યાથી સુડા ભવન બહાર ન્યાયની આશાએ ભૂખ્યા-તરસ્યા ઉભા છીએ, પણ કોઈ સાહેબ અમારી વાત સાંભળવા તૈયાર નથી." હાઈવે ટચ આવાસ હોવા છતાં સેફ્ટી શૂન્ય: રોંગ સાઈડ વાહનોથી અકસ્માતનો સિલસિલો આ આવાસ યોજના માત્ર અંદરથી જ જર્જરિત નથી, પરંતુ બહારથી પણ રહીશો માટે મોતના કુવા સમાન સાબિત થઈ રહી છે. આ સુડા આવાસ સીધો સ્ટેટ/નેશનલ હાઈવેને ટચ કરીને બનાવવામાં આવ્યો છે. હાઈવે પર વાહનોની ગતિ તેજ હોય છે, તેમ છતાં સર્વિસ રોડ કે યોગ્ય ડાયવર્ઝનના અભાવે હાઈવે પરથી રોંગ સાઈડમાં ધસમસતા વાહનો સોસાયટીના ગેટ પાસે આવી ચડે છે. જેના કારણે અહીં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. આ રોડ સેફ્ટી અંગે પણ વારંવાર તંત્રને જગાડવાનો પ્રયાસ કરાયો છે, પણ સુડા એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો આંખ આડા કાન કરી રહ્યા છે. મોટી દુર્ઘટના સર્જાશે તો શું સુડા તંત્ર જવાબદારી લેશે? જનતાનો સવાલ ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે જર્જરિત બિલ્ડિંગોના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ટાઇલ્સ અને સીલિંગના પોપડા ગમે ત્યારે નિર્દોષ બાળકો કે વૃદ્ધો પર પડી શકે છે. રહીશોનો એક જ સવાલ છે કે, જો અહીં કોઈ મોટી દુર્ઘટના ઘટે અને કોઈનો જીવ જાય, તો તેની જવાબદારી કોની રહેશે? શું તંત્ર કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહ્યું છે? હાલ તો જહાંગીરપુરાના 10 હજાર લોકો ન્યાય માટે અને પોતાના આશરાને બચાવવા માટે લડત ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં સંકટ ચોથની ભક્તિભાવપૂર્વક ઉજવણી:ગણપતિ મંદિરોમાં ભક્તો ઉમટ્યા, કેરીનો વિશેષ શણગાર અને ધરો અર્પણ
    Next Article
    Ahmedabad Crime Branch News |અમદાવાદમાં 131 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment