Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર વોર્ડ 2 માં નવી પાણી લાઇનનું ખાતમુહૂર્ત:જૂની પાણીની પાઈપલાઈનો બદલી નાખવામાં આવતા પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે

    9 hours ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 માં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ નવા ચૂંટાયેલા સભ્યો નીરવ દવે, જયદીપસિંહ ઝાલા, હંસાબેન વસવેલીયા અને પ્રીતિબેન સોલંકીના હસ્તે સંપન્ન થયો હતો. વોર્ડ 2 માં જૂની પાણીની લાઈનો વારંવાર તૂટી જતી હતી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને સમયસર અને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નહોતું. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આ નવી પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. આ નવી પાઈપલાઈન શિવાજી પાર્કથી પી.એન.ટી. ક્વાટર્સ સુધી 600 મીટરની લંબાઈમાં નાખવામાં આવશે. તેની ડાયામીટર 100 મિલીમીટર રહેશે. મહાનગરપાલિકામાં નવા સભ્યો ચૂંટાઈ આવ્યા બાદ શહેરીજનો માટે વિકાસના કાર્યો ઝડપભેર શરૂ કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરતની મહેમાન બની મૈથિલી ઠાકુર:ડાયમંડ ફેક્ટરીમાં રત્નકલાકાર બની હીરા ઘસ્યા, ગુજરાતી ભજનોની રમઝટ બોલાવી
    Next Article
    ખોખડદડમાં TP સ્કીમ સામે ખેડૂતોમાં રોષ:અધિકારીઓ અધૂરી જાણકારી આપી ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ, રૂડાના અધિકારીઓએ ખેડૂતો સાથે બેઠક યોજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment