Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ખાસ:કોમર્શિયલ બાટલામાં વધેલા ભાવથી પોરબંદર જિલ્લાના વેપારીઓ પર માસિક રૂ.1.98 કરોડનો વધારાનો બોજ પડશે

    1 week ago

    પોરબંદર જિલ્લામાં કોમર્શિયલ ગેસના સિલિન્ડરના ભાવમાં વધારો આવતા જિલ્લામાં રહેલ 20 હજાર કલેક્શન ધારકોને મોંઘવારીનો માર પડશે.આ વેપારીઓને સિલિન્ડર ભાવ વધારા પેટે દર મહિને રૂપિયા 1.98 કરોડ વધુ ચૂકવવા પડશે. મોંઘવારીના મારમાં પીસાતા સામાન્ય માણસ અને વેપારીઓ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. સરકારી તેલ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સીધો રૂ.993નો વધારો ઝીંકી દેવામાં આવતા સ્થાનિક અર્થતંત્ર પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે.પોરબંદર જિલ્લામાં અંદાજે 20 હજાર જેટલા કોમર્શિયલ ગેસ કલેક્શન ધારકો નોંધાયેલા છે. હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને નાના ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓ માટે આ ભાવવધારો કમરતોડ સાબિત થઈ રહ્યો છે. એકાએક થયેલા આ વધારાને કારણે વેપારીઓના બજેટ ખોરવાઈ ગયા છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, જો દરેક ધારક સરેરાશ મહિને એક સિલિન્ડર વાપરે, તો પણ જિલ્લાના વેપારીઓએ સામૂહિક રીતે દર મહિને અંદાજે રૂ.1.98 કરોડની વધારાની રકમ ચૂકવવી પડશે. આ આર્થિક બોજને કારણે આગામી દિવસોમાં બહાર મળતા તૈયાર ખોરાક અને નાસ્તાના ભાવમાં પણ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ખાણીપીણી ની વસ્તુઓમાં ભાવ વધારો થશે? કોમર્શિયલ ગેસની અછત બાદ એકાએક ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો નોંધાયો છે ત્યારે આ ભાવ વધારાને લઈને હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને નાના ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓ પણ ખાદ્ય ચીજવસ્તુઓ ભાવ વધારો ભવિષ્યમાં કરે તેવી શકયતા જોવા મળી રહી છે. ભાવ વધારાને લઈને નફો ઘટી જશે-વેપારી‎ પહેલેથી જ કાચા માલના ભાવ આસમાને છે, તેમાં ગેસના‎ભાવમાં આટલો મોટો વધારો આવતા અમારો નફો ઘટી જશે‎અથવા અમારે ગ્રાહકો પર ભાવવધારો લાદવો‎પડશે.>જગદીશભાઈ કંદોઇ‎
    Click here to Read More
    Previous Article
    ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ:જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મનપાના પદાધિકારીઓની નિમણૂંક માટે સેન્સ યોજાઈ
    Next Article
    ભાસ્કર ફોલોઅપ:ચૌટા ગામે સવા વર્ષ પહેલા પાનેલીના યુવાનની ગુમ થયાની ફરિયાદમાં હત્યા હોવાનું સામે આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment