Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદ્ધપુરમાં સરસ્વતી નદી પુનર્જીવન, બીજા તબક્કાની કામગીરી શરૂ:19 કરોડના ખર્ચે ફેબ્રુઆરી 2027 સુધીમાં પૂર્ણ થશે, જળસંચય-પ્રવાસનને વેગ

    9 hours ago

    સિદ્ધપુરમાં માતૃતીર્થ તરીકે પ્રચલિત સરસ્વતી નદીને પુનર્જીવિત કરવા માટે ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા બીજા તબક્કાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પાછળ ₹19 કરોડનો ખર્ચ થશે. ફેબ્રુઆરી 2027 સુધીમાં આ કામગીરી પૂર્ણ થવાની સંભાવના છે, જેનાથી જળસંચય, પર્યાવરણ અને ધાર્મિક પ્રવાસનને મોટો વેગ મળશે. બીજા તબક્કા અંતર્ગત મુક્તિધામથી હાઈવે બ્રિજ સુધી નદીને ઊંડી કરવામાં આવશે. આ ઉપરાંત, રિવરફ્રન્ટ, આધુનિક પ્રોટેક્શન વોલ, નવો ચેકડેમ અને પવિત્ર અસ્થિ વિસર્જન કુંડ બનાવવામાં આવશે. હાલમાં 1800 મીટર લંબાઈ અને સવા 200 મીટર પહોળાઈમાં નદીને 8 ફૂટ ઊંડી કરવાનું કામ ચાલી રહ્યું છે. સ્થળ પર 5 ડમ્પર, 4 હિટાચી અને 30 કારીગરો દ્વારા આશરે 11 લાખ ઘન મીટર રેતી મિશ્રિત માટીનું ખોદકામ થઈ રહ્યું છે. ધોળકિયા ફાઉન્ડેશનના કનકભાઈ અને સુપરવાઈઝર સર્વેશભાઈના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 700 મીટર સુધીનું ડીસિલ્ટિંગ અને 350 મીટરના કાંઠા વિસ્તારમાં આધુનિક સ્ટેપ ગેબિયન જાળી બાંધવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં સરસ્વતી સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી સિદ્ધપુર વિસ્તારને બહુવિધ ફાયદા થશે. વિશ્વભરમાં "માતૃ શ્રાદ્ધ" માટે પ્રખ્યાત આ ધાર્મિક સ્થળે નદીમાં બારેમાસ પવિત્ર જળ રહેશે, જેથી યાત્રાળુઓ યોગ્ય રીતે વિધિ-તર્પણ કરી શકશે. લાખો લીટર જળસંચય થવાના કારણે આસપાસના કુવા અને બોરના ભૂગર્ભજળસ્તર ઊંચા આવશે, જે ખેતી અને પશુપાલન માટે લાભદાયી સાબિત થશે. રિવરફ્રન્ટના નિર્માણથી ધાર્મિક પ્રવાસનમાં વધારો થશે, જેનાથી સ્થાનિક વેપારીઓ અને પૂજારીઓની આજીવિકા તથા રોજગારીમાં મોટો વધારો થશે. આ ઉપરાંત, આ વિસ્તારમાં જમીનોની કિંમતોમાં પણ વૃદ્ધિ નોંધાશે. સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન આ પ્રોજેક્ટને નિર્ધારિત સમય મર્યાદામાં ઝડપથી પૂર્ણ કરવા સઘન પ્રયાસો કરી રહ્યા છે, જેથી આ સ્થળ પ્રવાસન, પર્યાવરણ અને જળસંચયનું એક અદભુત મોડેલ બની શકે.
    Click here to Read More
    Previous Article
    'મોંઘવારીમાં ઘર ચલાવવું કે હપ્તા ભરવા', VIDEO:CNGના ભાવ વધતા સુરતમાં રિક્ષાચાલકોની હડતાળ, રિક્ષાઓ અટકાવીને ઉતારી દેવાતા વિદ્યાર્થિનીઓ-મુસાફરો રઝળ્યાં
    Next Article
    ટિફની ટ્રમ્પનું સ્વાગત 50થી વધુ ગાડીઓના કાફલાથી:ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી પતિ માઈકલ બોલોસ સાથે જામનગર પહોંચી, વનતારામાં રાત્રી રોકાણ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment