Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના નામે ઠગાઈ:ચાંદખેડામાં ખેડૂત અને તેમના મિત્રો પાસેથી સારું વળતર આપવાનું કહીને ગઠિયાએ 19 લાખ પડાવ્યા

    1 day ago

    અમદાવાદ શહેરના ચાંદખેડામાં રહેતા ખેડૂત અને તેમના મિત્રો સાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના નામે લાખોની ઠગાઈ થઈ છે.આરોપીએ ખેડૂત અને તેમના મિત્રો પાસેથી કુલ 19 લાખ રૂપિયા પડાવ્યા હતા જેની સામે શરૂઆતમાં સામાન્ય નફો આપ્યો હતો.ખેડૂતે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પિતરાઈ ભાઈના ઘરે ભાવેશ ગોસ્વામી સાથે સંપર્ક થયો ચાંદખેડામાં રહેતા પરમવીરસિંહે ફરિયાદ નોંધાવી છે કે તેઓ તેમના પિતરાઈ ભાઈના ઘરે ગયા હતા જ્યાં તેમનો સંપર્ક ભાવેશ ગોસ્વામી સાથે થયો હતો.ભાવેશ ગોસ્વામીએ પરમવીરસિંહને જણાવ્યું હતું કે તે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે તો તેમને સારું એવું વળતર આપશે. 19 લાખનું રોકાણ કર્યું પરમવીરસિંહે શરૂઆતમાં 5 લાખ રૂપિયા આપ્યા હતા.જે બાદ ટુકડે ટુકડે 2 લાખ રૂપિયા આપ્યા હતા.તેમના અન્ય મિત્રોએ પણ રોકાણ કર્યું હતું.પરમબીરસિંહે અને તેમના મિત્રોએ મળીને કુલ 19 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેમાં શરૂઆતના મહિનામાં દર મહિને ચારથી પાંચ હજાર રૂપિયા વળતર મળતું હતું. છ મહિના સુધી વળતર આપ્યું, પરંતુ બાદમાં કોન્ટેક્ટ કરતા ભાવેશનો ફોન સ્વીચ ઓફ હતો. ભાવેશે પૈસા પરત આપવાનું કહ્યું હતું, પરંતુ પરત ન આપતા પરમબીરસિંહે ક્રાઈમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ટંકારામાં પાકીટ ચોરીની શંકાએ યુવાનની હત્યા:વાડી માલિકની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ, પોલીસે કાર્યવાહી શરૂ કરી
    Next Article
    લીંબાળી ડેમમાંથી રમાઘાટ ડેમમાં પાણી છોડવા મંજૂરી:ગઢડાના ખેડૂતોને સિંચાઈ માટે રાહત મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment