Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત એસ.ટી.ના કાફલામાં 182 નવી બસો:દરેક વિધાનસભાને મળશે એક બસ, મુખ્યમંત્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ

    1 week ago

    ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજ્યના સામાન્ય નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને દોહરાવતા, ગાંધીનગર ખાતે આયોજિત એક ગૌરવશાળી સમારોહમાં કુલ 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બસોની ખાસિયત એ છે કે રાજ્યની તમામ 182 વિધાનસભા દીઠ એક-એક નવી બસ ફાળવવામાં આવી છે, જે છેવાડાના માનવી સુધી પરિવહન સેવા પહોંચાડવાના લક્ષ્યને સાકાર કરશે. મુખ્યમંત્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ ગાંધીનગરમાં આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપીને આ બસોને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવીણ માળી તેમજ મંત્રી મંડળના સભ્યો, ધારાસભ્યો અને ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ પ્રતિકરૂપે નવી બસોના ડ્રાયવર્સને ચાવીઓ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા. 27 લાખ મુસાફરોની વિશ્વસનીય સવારી ગુજરાત એસ.ટી. નિગમ એ સામાન્ય માણસ માટે અવર-જવરનું સૌથી સરળ અને વિશ્વાસપાત્ર માધ્યમ છે. હાલમાં નિગમ 8,000 થી વધુ બસોના વિશાળ કાફલા સાથે દરરોજ 33 લાખ કિલોમીટરનું સંચાલન કરે છે. આ સેવા દ્વારા પ્રતિદિન 27 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી સુરક્ષિત, સ્વચ્છ અને સમયબદ્ધ રીતે પહોંચાડવામાં આવે છે. તહેવારો અને ધાર્મિક મેળાઓ દરમિયાન પણ નિગમ વધારાની બસો દોડાવીને નાગરિકોને પારિવારિક મિલનનો લ્હાવો પૂરો પાડે છે. રૂપિયા 62 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ નવી લોકાર્પણ કરાયેલી 182 બસો પાછળ અંદાજે 62 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, વર્ષ 2024-25 ના આયોજન મુજબ રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. નિગમને મોટી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. જે અંતર્ગત 963 સુપર એક્સપ્રેસ, 550 ગુર્જર નગરી, 100 સ્લીપર બસ અને 350 મીડી બસ મળી કુલ 1,963 વાહનો પ્રજાની સેવામાં મૂકવાની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. એ.સી. અને વોલ્વો બસોનું આગમન પરિવહન ક્ષેત્રે આધુનિકતા લાવવા માટે નિગમ દ્વારા PPP ધોરણે 200 નવીન વોલ્વો અને એ.સી. બસો ચલાવવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. આમ, કુલ 1,963 નોન એ.સી. અને 200 એ.સી. બસોના માધ્યમથી ગુજરાતનું પરિવહન માળખું વધુ સુદ્રઢ બનશે. આ પ્રસંગે વાહન વ્યવહાર અગ્ર સચિવ હારિત શુક્લા, જી.એસ.આર.ટી.સી. ના એમ.ડી. ડૉ. રાજેન્દ્ર કુમાર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મા અંબાના ધામમાં ચૈત્રી નવરાત્રિનો મંગલ પ્રારંભ:19 માર્ચ થી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર; જાણો નવું સમયપત્રક
    Next Article
    કાર ધડાકાભેર પાર્ક કરેલા વાહનો સાથે અથડાઈ:વડોદરાના ઈલોરાપાર્ક ત્રણ રસ્તા પાસે કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો, કાર અને બાઈકને ટક્કર મારી, કારચાલક સહિત બે ઇજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment