Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં નિરાધાર મહિલાને પતિ-નણંદે ઘરમાંથી કાઢી મૂકી:181 અભયમ ટીમે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપ્યો

    9 hours ago

    ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં એક પીડિત મહિલા સહાય માટે પહોંચી હતી. મહિલાને તાત્કાલિક સુરક્ષા અને આશ્રયની જરૂર હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, મહિલાને તેના પતિ અને નણંદ દ્વારા મારઝૂડ કરીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. ભવિષ્યમાં ઘરે પરત ન આવવાની પણ ધમકી આપવામાં આવી હતી. મહિલાએ જણાવ્યું કે તેને રોજિંદા મજૂરી કામે મોકલવામાં આવતી હતી. તેની કમાણી પતિ અને નણંદ લઈ લેતા હતા. પૈસા આપવાનો ઇનકાર કરતાં તેની સાથે શારીરિક હિંસા કરવામાં આવતી હતી. ઉપરાંત, મહિલાને પૂરતો ખોરાક પણ આપવામાં આવતો ન હતો. મહિલાને સંતાન નથી અને માતા-પિતાનો સહારો પણ ન હોવાથી તે સંપૂર્ણપણે નિરાધાર બની ગઈ હતી. મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો કે તેના પતિએ તેના આધાર કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ સળગાવી દીધા છે. આ કારણે તેની ઓળખ સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ બાકી રહ્યો નથી. હાલ તેની પાસે રહેવા માટે કોઈ સ્થાન નથી. મહિલાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઝઘડિયા પોલીસે 181 અભયમ મહિલા હેલ્પલાઇનને જાણ કરી હતી. 181 અભયમ ટીમે સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કર્યું અને તેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે હેન્ડઓવર કરી. ત્યાં તેના રહેવા તેમજ જરૂરી સહાયની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરી બદલ ઝઘડિયા પોલીસ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    થરાદ-સાંચોર હાઈવે પર અકસ્માત, એક યુવકનું મોત:કાર-ઇકો અથડામણમાં અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત
    Next Article
    MS Dhoni Likely To Miss First 2 Weeks Of IPL 2026. Chennai Super Kings Reveal Reason

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment