Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાઘેશ્વરી તળાવનાનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરવા માંગ:18 કરોડ ફાળવ્યા છતાં કામ બે વર્ષથી અધૂરું,જળસંચય અને પર્યટનને વેગ આપવા ઝડપથી પૂર્ણ કરવું જરૂરી

    1 week ago

    ​જૂનાગઢ શહેરના ગિરનાર દરવાજા પાસે ઐતિહાસિક વાઘેશ્વરી તળાવના નવસાધ્ય અને આધુનિકીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 18 કરોડની મોટી રકમ મંજૂર કરવામાં આવી છે. આ સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં અને આશરે બે વર્ષ લાંબો સમય વીતી ગયો હોવા છતાં તળાવના વિકાસનું કામ હજુ સુધી અધૂરું જોવા મળી રહ્યું છે.ભૂતકાળમાં દૂબડી તળાવ તરીકે ઓળખાતા આ જળાશયને વર્ષ 2006માં લોકભાગીદારીથી નવું જીવન આપવામાં આવ્યું હતું.તે સમયે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખ વાજાની આગેવાની હેઠળ શહેરની આશરે 51 સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ 1,500થી વધુ જાગૃત સ્વયંસેવકોએ સાથે મળીને એક મોટો શ્રમયજ્ઞ આદર્યો હતો. 20 વર્ષ પહેલા તળાવમાંથી કચરો દૂર કરાયો હતો​ અંદાજે 20 વર્ષ પહેલાં યોજાયેલા આ ઐતિહાસિક શ્રમયજ્ઞમાં અગ્રણી સાધુ-સંતો જેવા કે શેરનાથ બાપુ,ભારતી આશ્રમના ભારતી બાપુ અને તનસુખગીરી બાપુએ વિશેષ હાજરી આપી હતી. આ ઉપરાંત તત્કાલીન રાજકીય પદાધિકારીઓ અને અગ્રણીઓ જેવા કે ભાવનાબેન ચીખલિયા, હેમાબેન આચાર્ય અને સૂર્યકાંતભાઈ આચાર્ય સહિતના લોકોએ પણ આ ભગીરથ કાર્યમાં સક્રિય યોગદાન આપ્યું હતું.આ તમામ લોકોએ ત્રણ મહિના સુધી સતત મહેનત કરીને તળાવમાંથી હજારો ટન જમા થયેલો કાંપ અને કચરો દૂર કર્યો હતો તેમજ તળાવને ઊંડું ઉતારવાનું પ્રશંસનીય કાર્ય કર્યું હતું.સામાજિક સંસ્થાઓ અને સંતોના આ સંયુક્ત પ્રયાસોના કારણે જ આ તળાવનું નામ બદલીને વાઘેશ્વરી તળાવ રાખવામાં આવ્યું હતું. તળાવની સફાઈ માટે મનપા કમિશનર અને મેયરને રજૂઆત હાલમાં ​ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે,ત્યારે આ તળાવના અધૂરા કામને વહેલી તકે પૂર્ણ કરવા માટે મહાનગરપાલિકાના કમિશનર અને મેયરને રજૂઆત કરવામાં આવી છે. ગિરનારના જંગલ વિસ્તારમાંથી વહી આવતા શુદ્ધ વરસાદી પાણીનો સંગ્રહ કરવા આ તળાવ એક આશીર્વાદ સમાન સાબિત થઈ શકે તેમ છે.જો આ તળાવનું કામ સમયસર પૂરું થઈ જાય તો વરસાદી પાણીના વ્યાપક સંગ્રહને કારણે આસપાસના સમગ્ર વિસ્તારના ભૂગર્ભ જળના તળ નોંધપાત્ર રીતે ઊંચા આવશે.આ વૈજ્ઞાનિક જળસંચયના કારણે સ્થાનિક રહેવાસીઓની ડંકીઓ અને કુવાઓ ફરી સજીવન થશે.જે જૂનાગઢના પીવાના પાણીના વર્ષો જૂના પ્રશ્નને કાયમી ધોરણે હલ કરવામાં મોટી ભૂમિકા ભજવશે. ચોમાસું શરૂ થાય તે પહેલા કામ પૂર્ણ કરવા માગ જાગૃત નાગરિક મનસુખ વાજાએ જણાવ્યું હતું કે,છેલ્લા દોઢ-બે વર્ષથી સરકારના ભંડોળથી તળાવ સુંદર બનાવવાની કામગીરી ચાલી રહી છે જે આવકારદાયક છે.જોકે,કોર્પોરેશન વહીવટીતંત્ર અને કમિશનરને ખાસ વિનંતી છે કે આ સમગ્ર કામગીરી આગામી ચોમાસું શરૂ થાય તે પહેલાં જ પૂર્ણ કરી દેવામાં આવે.જો આ સ્થળને શહેરના નરસિંહ મહેતા સરોવરની જેમ જ સંપૂર્ણ સુવિધાઓ સાથે નવસાધ્ય કરવામાં આવે તો સ્થાનિક જનતા અને પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બનશે.ચોમાસા પહેલાં તળાવ તૈયાર થવાથી જૂનાગઢના નાગરિકોને કુદરતી વાતાવરણમાં એક ઉત્તમ પિકનિક સ્પોટ મળી રહેશે. ​આ પ્રોજેક્ટ અંતર્ગત જો તળાવ પરિસરમાં એક આધુનિક બગીચો બનાવવામાં આવે અને બાળકો માટે હીંચકા તેમજ અન્ય મનોરંજનના સાધનો મૂકવામાં આવે તો આ વિસ્તાર આખો બદલાઈ જશે. આ ઉપરાંત તળાવના વિશાળ જળરાશિમાં બોટિંગની સુવિધા શરૂ કરવાથી ગિરનારની તળેટીમાં આવતા પ્રવાસીઓ માટે તે એક નવું નજરાણું સાબિત થશે. આ પર્યટન પ્રવૃત્તિના કારણે સ્થાનિક સ્તરે યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઊભી થશે. આથી જ જૂનાગઢવાસીઓનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર કરવા અને તળાવને રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે તંત્ર આ દિશામાં ઝડપી અને સચોટ પગલાં ભરે તેવી લોકમાંગ બુલંદ બની છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરા્જયની ચૂંટણીમાં હાર બાદ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું મંથન:પ્રદેશ પ્રભારીની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ, પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારાઓ સામે કાર્યવાહીની તૈયારી
    Next Article
    क्या जनरल मुनीर ने ईरान से डील पक्की कर ली है? ऑपरेशन सिन्दूर की क्यों बात ज़रूरी है अभी?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment