Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોર્ડ-18માંથી ફોર્મ પાછું ખેચા બાદ પહેલુ નિવેદન:સંજય રામાનદીનો આક્રોશ, "મને માતાજીના બકરાની જેમ હોમી દેવાય છે, હવે જુબાન ખોલી તો મુશ્કેલી થશે"

    6 days ago

    સુરત શહેરની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. ખાસ કરીને વોર્ડ-18ના કોંગ્રેસ પાર્ટીના આંતરિક વિવાદો અને આરોપ-પ્રત્યારોપોએ ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા સંજય રામાનદી દ્વારા અચાનક ફોર્મ પરત ખેંચવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે. ફોર્મ પરત ખેંચ્યા બાદ સંજય રામાનદીએ પહેલુ નિવેદન આપતા રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. તેમણે જણાવ્યું કે, ફોર્મ પરત ખેંચતા પહેલાં તેમણે શહેર પ્રમુખ અને પાર્ટી સંગઠનને જાણ કરી હતી અને પોતાના નિર્ણય પાછળના કારણો પણ સ્પષ્ટ કર્યા હતા. એકબીજાને અપમાનિત કરવાની જગ્યાએ લોકતંત્રના મૂલ્યોનું પાલન કરવું સંજય રામાનદીએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કહ્યું કે, તેઓ હાલ પણ કોંગ્રેસમાં જ છે અને આગળ પણ કોંગ્રેસ સાથે જ રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, તેમની કાર અને ઘર પર આજે પણ કોંગ્રેસના ખેશ લાગેલા છે, જે તેમની પાર્ટી પ્રત્યેની નિષ્ઠાનું પ્રતીક છે તેમછતાં તેમની વાણીમાં અસંતોષ સ્પષ્ટ દેખાયો હતો. તેમણે કહ્યું કે, પાર્ટીમાં જે રીતે વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે અને કેટલાક લોકો દ્વારા મનફાવે તેમ બોલવામાં આવી રહ્યું છે તે યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે, ચૂંટણીમાં મર્યાદામાં રહીને લડવું જોઈએ અને એકબીજાને અપમાનિત કરવાની જગ્યાએ લોકતંત્રના મૂલ્યોનું પાલન કરવું જોઈએ. રાજનીતિમાં પૈસા માટે નથી પરંતુ સેવાભાવથી આવ્યા તેમણે પોતાના આર્થિક અને સામાજિક સ્થાન અંગે પણ ખુલાસો કરતા જણાવ્યું કે, તેમની પાસે 40 વિઘા જમીન છે અને તેઓને પૈસાની કોઈ લાલચ નથી. તેઓ રાજનીતિમાં પૈસા માટે નથી પરંતુ સેવાભાવથી આવ્યા છે. સંજય રામાનદીએ કડક શબ્દોમાં જણાવ્યું કે જો તેમને વધુ ઉશ્કેરવામાં આવશે તો તેઓ પણ પોતાની જુબાન ખોલી દેશે અને ત્યારબાદ પરિસ્થિતિ કાબૂમાં રાખવી મુશ્કેલ બની શકે છે. તેમના આ નિવેદનને રાજકીય વર્તુળોમાં ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે. પાર્ટી વિરુદ્ધ કામ કરનાર સામે શિસ્તભંગની કોઈ કાર્યવાહી કરાઈ નથી સંજય રામાનદીએ પોતાના ભૂતકાળના રાજકીય અનુભવ અંગે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે, વર્ષ 2021માં તેમની પત્નીને પણ કોંગ્રેસ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું અને તે સમયે પંજાના નિશાન પર લગભગ 7 હજાર મત મળ્યા હતા. તેમ છતાં, પાર્ટી અંદરથી થયેલી ગદ્દારીને કારણે તેમને હરાવવામાં આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, પાર્ટી વિરુદ્ધ કામ કરનાર લોકો સામે કોઈ પણ પ્રકારની શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી નથી, જે પાર્ટીની આંતરિક વ્યવસ્થાને પ્રશ્નચિહ્ન હેઠળ મૂકે છે. આગળ તેમણે જણાવ્યું કે, 2025માં ખાલી પડેલી બેઠક માટે પણ તેમના વિરુદ્ધ ફોર્મ ભરાવવામાં આવ્યા હતા અને અપક્ષ ઉમેદવારને લગભગ 3300 મત મળ્યા હતા, જે દર્શાવે છે કે પાર્ટી અંદરથી જ તેમને નબળા પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંજય રામાનદીએ સીધો આરોપ મૂક્યો કે તેમને હરાવવાનું કામ તેમના પોતાના જ પાર્ટીના લોકો દ્વારા કરવામાં આવ્યું છે. તેમના આ નિવેદનોએ કોંગ્રેસ પાર્ટી માટે નવી મુશ્કેલી ઊભી કરી છે. પાર્ટી મને કહે છે કે તમે ગદ્દારી કરી સંજય રામાનદીએ જણાવ્યું કે તેઓએ ગાંધીનગર સુધી આ મામલે ફરિયાદ કરી છે છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, અન્ય પાર્ટીઓમાં જો કોઈ ગદ્દારી કરે તો તરત જ સસ્પેન્ડ કરવામાં આવે છે, તો કોંગ્રેસમાં આવું કેમ નથી થતું? તેમણે કહ્યું કે પાર્ટી જો પોતાને જ મજબૂત બનાવવા માંગે છે તો આવા તત્વો સામે કડક પગલાં લેવાની જરૂર છે. તેમણે લિંબાયત વિસ્તારનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ત્યાં એનસીપી અને એમઆઈએમ જેવા પક્ષો કોંગ્રેસના સાથીમિત્ર તરીકે કામ કરી રહ્યા છે છતાં પણ કોઈને સસ્પેન્ડ કરવામાં આવતું નથી. આ પરિસ્થિતિ કોંગ્રેસની રાજકીય નીતિ અને કાર્યપદ્ધતિ પર પ્રશ્નો ઊભા કરે છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પાર્ટી મને કહે છે કે તમે ગદ્દારી કરી, પરંતુ હકીકતમાં મારી સાથે ગદ્દારી કરવામાં આવી છે. ભવિષ્યમાં પાર્ટી અંદરના વિવાદો દૂર થશે અને એકતા સાથે આગળ વધવામાં આવશે સંજય રામાનદીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું કે, તેમને બે વખત હરાવવામાં આવ્યા છે અને હવે ત્રીજી વખત પણ એવું જ થવાનું લાગે છે. તેમણે કહ્યું કે મારી પણ ઈજ્જત છે અને તેઓને વારંવાર માતાજીના બકરાની જેમ ખુલ્લા મૂકી દેવામાં આવે છે, જે ખૂબ દુઃખદ છે. તેમણે આ પણ ઉમેર્યું કે, જો પાર્ટી તેમને યોગ્ય રીતે સપોર્ટ આપે તો તેઓ ચોક્કસપણે જીત મેળવી શકે છે. તેમણે અંતમાં કહ્યું કે ચૂંટણીમાં જીતવા માટે સોલિડ કામ કરવું જરૂરી છે અને લોકો કામના આધારે મત આપે છે. માત્ર રાજકીય રમતોથી કંઈ હાંસલ થતું નથી. સંજય રામાનદીએ પોતાના કાર્યકરો અને મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો અને આશા વ્યક્ત કરી કે, ભવિષ્યમાં પાર્ટી અંદરના વિવાદો દૂર થશે અને એકતા સાથે આગળ વધવામાં આવશે. આ સમગ્ર ઘટનાક્રમથી જણાય છે કે, સુરત કોંગ્રેસમાં આંતરિક ગોટાળો અને અસંતોષ વધી રહ્યો છે. જો સમયસર આ મુદ્દાઓનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો આવનારી ચૂંટણીઓમાં પાર્ટીને નુકસાન થઈ શકે છે. સંજય રામાનદીના નિવેદનો માત્ર વ્યક્તિગત અસંતોષ નહીં પરંતુ સમગ્ર સંગઠનની હાલત દર્શાવે છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં AAPની બૂથ મેનેજમેન્ટ ટ્રેનિંગ:ગોપાલ રાય એ કહ્યું- તમામ કાર્યકર્તાઓ એકજૂટ થઈને મેદાનમાં ઉતરશે, ચૂંટણીમાં નવો ઇતિહાસ રચાશે
    Next Article
    ખેડૂતોની સુરક્ષા માટે ભાટિયા APMCમાં રિફ્લેક્ટર લગાવાયા:રાત્રિ અકસ્માતો અટકાવવા ટ્રાફિક ટીમ અને APMCની પહેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment