Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સારા અલી ખાનનો પહાડી અંદાજ:ઉત્તરાખંડમાં 18 કિમીનું ટ્રેકિંગ કર્યું, બરફવર્ષા વચ્ચે તંબુમાં રાત વિતાવી; પહાડી ભોજનનો સ્વાદ માણ્યો

    19 hours ago

    બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને ઉત્તરાખંડની બર્ફીલી પહાડીઓ પર ટ્રેકિંગ કર્યું. તાજેતરમાં તે ટિહરીમાં 18 કિલોમીટર પગપાળા ચાલી. પંવાલી કાંઠા બુગ્યાલમાં બરફવર્ષા અને સુંદર ખીણોનો નયનરમ્ય નજારો જોયો. ભારે બરફવર્ષા વચ્ચે તંબુ લગાવીને રાત વિતાવી. સ્થાનિક લોકો સાથે સમય વિતાવીને પહાડી ભોજનનો આનંદ પણ માણ્યો. સારાએ 18 કિલોમીટરનો ટ્રેક કર્યો ટ્રેકર કુલદીપ રાવતે જણાવ્યું કે, ‘સારા અલી ખાન 11 એપ્રિલે ટિહરીના ઘુત્તુ આવી હતી. અહીં 3 દિવસ રોકાઈ અને સોમવારે એટલે કે 13 એપ્રિલે પાછી ચાલી ગઈ. સારાએ ગ્વાણા ગામથી લગભગ 18 કિલોમીટર લાંબા પગપાળા ટ્રેકની શરૂઆત કરી. આ ટ્રેક પ્રાકૃતિક સૌંદર્ય, ગાઢ જંગલો અને ઊંચા પહાડોની વચ્ચેથી પસાર થાય છે.’ સારાએ પહાડી સંસ્કૃતિને નજીકથી જાણી તેમણે જણાવ્યું કે, 'ટ્રેક દરમિયાન સારાએ દોફન નામની જગ્યાએ રાત વિતાવી. આ વિસ્તારમાં હોટેલ કે રેસ્ટોરન્ટની કોઈ સુવિધા નથી. આ કારણે સારાએ તંબુમાં રોકાઈને રાત વિતાવી. સારાએ સ્થાનિક લોકો સાથે સમય વિતાવ્યો. પહાડી સંસ્કૃતિને નજીકથી જાણી.' પાછા જતી વખતે તેણે કહ્યું, ‘ઉત્તરાખંડ આવવું હંમેશા ખૂબ જ સુંદર હોય છે. આ ખૂબ જ સુંદર છે. અહીં આવવું ખૂબ જ રોમાંચક અને શાંતિપૂર્ણ હોય છે. અહીં ફરીથી આવીશ.’ સારાએ ગાઢ જંગલો અને ઊંચા પહાડો વચ્ચેથી ટ્રેકિંગનો આનંદ લીધો. પ્રાકૃતિક સૌંદર્યનો લુત્ફ ઉઠાવ્યો. સારાએ પરંપરાગત પહાડી ભોજનનો લુત્ફ માણ્યો સારાએ ઓક્ટોબરમાં કર્યા હતા રુદ્રનાથ ધામના દર્શન સારા અલી ખાને ચમોલીમાં આવેલા ચતુર્થ કેદાર રુદ્રનાથ ધામના કપાટ બંધ થાય તે પહેલા ઓક્ટોબરમાં દર્શન કર્યાં હતાં. આ દરમિયાન સારા 20 કિલોમીટર ચાલીને મંદિર પહોંચી હતી. સારાએ પોતાની આ યાત્રા ચમોલીના ગોપેશ્વરના ગંગોલ ગામથી શરૂ કરી હતી. ત્યારબાદ એક દિવસ પછી તે લ્વીંટી બુગ્યાલ પહોંચી, જ્યાં રાત્રિ રોકાણ કર્યા પછી તેણે ફરીથી ટ્રેકિંગ શરૂ કર્યું અને પછી રુદ્રનાથ બાબાના મંદિર સુધી પહોંચી ગઈ હતી. આ આખી યાત્રા દરમિયાન સારા ઘણા પથ્થરવાળા અને સાંકડા રસ્તાઓ પરથી પસાર થઈ, વચ્ચે તેને ઘણા સ્થાનિક ગ્રામીણો પણ મળ્યા, જેઓ સારાને જોઈને ખૂબ ખુશ થયા. સારા અલી ખાન ટ્રેકિંગ દરમિયાન ઝૂંપડી જેવા ઢાબા પર રોકાઈને ચા પીધી અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી. તેણે અહીંના ધાર્મિક વિશ્વાસ, લોકજીવન અને પરંપરાગત વાનગીઓ વિશે જાણ્યું. એક્ટ્રેસે પહાડની પ્રાકૃતિક સુંદરતા અને ગ્રામીણ સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત થઈને તેને યાદગાર અનુભવ ગણાવ્યો હતો. સારા અલી ખાને ઘણી વાર કેદારનાથના દર્શન કર્યાં છે સારા અલી ખાનનો કેદારનાથ ધામ સાથે ખાસ સંબંધ રહ્યો છે. 'કેદારનાથ' ફિલ્મ બન્યા પછી તે ઘણી વખત ધામમાં દર્શન કરવા પહોંચી ચૂકી છે અને અત્યાર સુધી કોઈ રોકટોક વિના પૂજા-અર્ચના કરતી રહી છે. જોકે, પ્રસ્તાવિત નવી વ્યવસ્થા લાગુ થયા પછી તેને પણ અન્ય શ્રદ્ધાળુઓની જેમ નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવું પડી શકે છે. સારાનો કેદારનાથ સાથેનો પહેલો આધ્યાત્મિક અને પ્રોફેશનલ સંબંધ વર્ષ 2017માં તેની ડેબ્યુ ફિલ્મ 'કેદારનાથ'ના શૂટિંગ દરમિયાન થયો હતો. ત્યારથી તે સતત અહીં આવતી રહી છે. ઓક્ટોબર 2024માં દિવાળીના બરાબર પહેલા તેણે કેદારનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને ફોટો શેર કર્યાં હતાં. જ્યારે 2023માં તેણે બે વાર ધામની યાત્રા કરી હતી, 6 મે 2023ના રોજ કેદારનાથ અને તુંગનાથના દર્શન કર્યાં હતાં, જ્યારે લગભગ છ મહિના પછી ઓક્ટોબર 2023માં તે ફરી કેદારનાથ પહોંચી હતી. આ ઉપરાંત, નવેમ્બર 2021માં સારા અલી ખાન તેની મિત્ર અને એક્ટ્રેસ જાહ્નવી કપૂર સાથે પણ કેદારનાથ દર્શન માટે પહોંચી હતી. 6 વર્ષ પહેલા સારા અલી ખાને બાબા વિશ્વનાથના દર્શન કર્યાં હતાં સારા અલી ખાને 2020માં કાશીમાં શ્રી વિશ્વનાથ મંદિરમાં દર્શન-પૂજન કર્યાં હતાં. તે દિવસોમાં તે માતા અમૃતા સિંહ સાથે વારાણસીમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. સારા આના બે દિવસ પહેલા ગંગા આરતીમાં સામેલ થઈ હતી અને કાશી વિશ્વનાથ મંદિરમાં ષોડશોપચાર પૂજા અર્ચના કરી હતી અને શિવલિંગને સ્પર્શ કર્યો હતો. આના પર સંતો અને વિદ્વાનોએ વાંધો નોંધાવ્યો હતો. 3 વર્ષ પહેલા કરી હતી મહાકાલની પૂજા સારા અલી ખાન 2022માં ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન મહાકાલની ભસ્મ આરતીમાં સામેલ થઈ હતી. ભસ્મ આરતી પછી તેણે ગર્ભગૃહમાં જઈને શિવલિંગના દર્શન કર્યા હતા. નંદી હોલમાં બેસીને લગભગ અડધો કલાક સુધી મંત્રોનો જાપ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ‘Democracy will be stronger if 2029 polls held with women quota fully in place’: PM Modi
    Next Article
    કાલુપુર રેલવે સ્ટેશનનો ક્લાર્ક રૂ.100ની લાંચ લેતા ઝડપાયો:ટિકિટ ઇસ્યૂ કરવા મુસાફર પાસેથી વધારાના પૈસા માગતો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment