Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લિંબાયતમાં સી. આર. પાટીલનો હુંકાર:વોર્ડ નંબર 18 માં કોંગ્રેસમાંથી ઉમેદવારી પાછી ખેંચનાર સંજય રામાનંદી સહિત 2000થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા, મહિલા અધિકારો મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહાર

    11 hours ago

    સુરત મહાનગરપાલિકાની આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ડાયમંડ સિટી સુરતમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. આજે શહેરના લિંબાયત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે હાજરી આપીને ચૂંટણી પ્રચાર કર્યો હતો અને વિરોધ પક્ષોના સુપડા સાફ કરી દેવાનો હુંકાર કર્યો હતો. કોંગ્રેસના 2000થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો ચૂંટણી પ્રચારના ભાગરૂપે સી. આર. પાટીલે સૌ પ્રથમ લિંબાયત વિસ્તારના વોર્ડ નંબર-25માં સ્થાનિક કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે “ચાય પે ચર્ચા” કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એક સામાન્ય નાગરિકની જેમ ચાની ચુસ્કી લેતા પાટીલે બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ પક્ષ પલટો રહ્યો હતો. સંજયનગર સર્કલ ખાતે સી. આર. પાટીલની હાજરીમાં લિંબાયત વિસ્તારના કોંગ્રેસના 2000થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.જેમાં થોડા સમય પહેલા વોર્ડ નંબર 18 માં કોંગ્રેસમાંથી ટિકિટ મેળવનાર સંજય રામાનંદી એ પોતાનું ફોર્મ પર જ ખેંચ્યું હતું અને પછી આજે તેઓ ભાજપમાં જોડાયા. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે મહિલાઓને અધિકાર પ્રાપ્ત થાય એ માટે દિલથી, પ્રામાણિકતા સાથે જે પ્રયત્ન કર્યા હતા એવું લાગતું હતું કે એનું ફળ પ્રાપ્ત થશે અને મહિલાઓને અધિકાર પ્રાપ્ત થશે. સ્થાનિક સ્વરાજ્યની અંદર પણ 50% મહિલાઓને અધિકાર આપ્યો હતો મગર આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમણે સ્થાનિક સ્વરાજ્યની અંદર પણ 50% મહિલાઓને અધિકાર આપ્યો હતો અને તેના કારણે આજે તમે જોઈ રહ્યા હશો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે 10,000 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તો તેમાંથી અંદાજે 5,000થી પણ વધુ મહિલાઓ આ ચૂંટણી લડી રહી છે. આ મોકો મહિલાઓને જે ગુજરાતમાં મળ્યો એ નરેન્દ્ર મોદીના એ વખતના જે એમની મહેનત હતી, એમની જે લગન હતી, એમની જે ઈચ્છાશક્તિ હતી એના કારણે મળ્યો. આ વખતે પણ આપણે જોયું કે પ્રધાનમંત્રી મોદી સાહેબે વિશેષરૂપે વિશેષ સત્ર બોલાવીને મહિલાઓને અધિકાર આપવાની કોશિશ કરી. કોઈને પણ અસંતોષ ના થાય તે માટે એમણે અંદાજે જે બેઠકો વધારી, 273 બેઠકો વધારી તેના કારણે કોઈને પણ અન્યાય નહીં થાય તેની પણ ચિંતા કરી. અમિત શાહ સાહેબે પણ કોઈને પણ અન્યાય નહીં થાય, દરેક રાજ્યની અંદર જે પ્રો-રેટા બેઠકો વધી રહી છે તેના કારણે એમની બેઠકો કેટલી વધી રહી છે એનો વિગતવાર જવાબ એમણે લોકસભામાં આપ્યો. આપણે ક્યાં સુધી મહિલાઓને અન્યાય કરતા રહીશું? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એક પત્ર લખીને પણ સૌને કહ્યું કે આ પાછળનો હેતુ શું છે? કઈ રીતે મહિલાઓને અધિકાર આપવો જોઈએ અને આપણે ક્યાં સુધી મહિલાઓને અન્યાય કરતા રહીશું? મગર કોંગ્રેસ, એસ.પી., ટીએમસી આ બધી જ પાર્ટીઓએ મળીને એનો સખત વિરોધ કર્યો. બહુ જ દુઃખની વાત એ છે કે, ઈન્દિરા ગાંધી મહિલા હોવા છતાં પ્રધાનમંત્રી બન્યા હતા, એમની વહુ સોનિયા ગાંધી, સોનિયા ગાંધીની દીકરી પ્રિયંકા એટલે કે રાહુલ ગાંધીના માતા અને બહેન બંને સાંસદ છે. દરેક પાર્ટીમાં જોશો તો એસ.પી. માં અખિલેશ યાદવ, એમની પત્ની પણ સાંસદ છે, કનિમોઝી પણ સાંસદ છે. ખુદ મમતા બેનર્જી જે કેટલાય વર્ષોથી મુખ્યમંત્રી છે અને પહેલા પણ સાંસદ અને કેન્દ્રમાં મંત્રી રહ્યા હતા, એમની પાર્ટીએ પણ આ બિલનો સખત વિરોધ કર્યો. મહિલાઓનો અધિકાર છીનવીને ખુશી વ્યક્ત કરી છે ખુદ મહિલા હોવા છતાં, મહિલાઓ દ્વારા જે વિરોધ થયો એ આખા દેશે જોયો. જેના કારણે કોઈપણ વિરોધ પક્ષનો સભ્ય ઓછો નહોતો થઈ રહ્યો, સૌને અધિકાર પ્રાપ્ત થઈ રહ્યો હતો. મગર દર વખતની જેમ આ વખતે પણ બિલને પાડી દઈને જે ખુશી એમણે વ્યક્ત કરી, જે રીતે એમણે અવાજો કર્યા, જે રીતે ત્યાં ટેબલ થપથપાવ્યા અને પોતાની ખુશી વ્યક્ત કરી તો મહિલાઓનો અધિકાર છીનવીને એમણે જે ખુશી વ્યક્ત કરી છે એ આખા દેશની મહિલાઓએ, બહેનોએ અને માતાઓએ જોઈ છે. એમને આ ચોક્કસ યાદ રહેશે કે એમને મળવાપાત્ર અધિકાર જે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પૂરી કોશિશ કરીને આ બિલ લાવ્યા હતા, એને પાડી દઈને ખુશ થનારા આ લોકોએ મહિલાઓને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે. આ દેશની મહિલા એમને ક્યારેય માફ નહીં કરે. અને આજે એમની જે સ્થિતિ છે કે પહેલા જ્યારે કોંગ્રેસનો સૂર્ય તપતો હતો ત્યારે કોઈ પણ ઉમેદવાર ઉભો રહે તો જીતી જતો હતો, આજે એ લોકો 44 પર આવી ગયા હતા અને અત્યારે કેટલીક બેઠકો 99 થઈ છે, મગર આવનારા દિવસોમાં એમની પાર્ટીનો અસ્ત થઈ જશે એ બિલકુલ નક્કી છે. મહિલા શક્તિ જાગૃત થઈ ગઈ છે, એમના અધિકારને રોકનારી પાર્ટીઓને એ પૂરો જવાબ આપશે એવો મને પણ પૂરો વિશ્વાસ છે. કાર્યક્રમનો સૌથી મોટું આકર્ષણ આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ પક્ષ પલટો રહ્યો હતો. સંજયનગર સર્કલ ખાતે સી. આર. પાટીલની હાજરીમાં લિંબાયત વિસ્તારના કોંગ્રેસના 2000 થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જેમાં થોડા સમય પહેલા વોર્ડ નંબર 18 માં કોંગ્રેસમાંથી ટિકિટ મેળવનાર સંજય રામાનંદી એ પોતાનું ફોર્મ પર જ ખેંચ્યું હતું અને પછી આજે તેઓ ભાજપમાં જોડાયા.
    Click here to Read More
    Previous Article
    Two held for vandalising Ambedkar statue in Ghaziabad
    Next Article
    SOGના વિરોધમાં કોંગ્રેસને ઘેરવાનો દાવ:'હિન્દુ વિરોધી માનસિકતા' ના આરોપ સાથે સુરતમાં ભગવા સંગઠનોનું શક્તિ પ્રદર્શન"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment