Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ:18મીએ ચૂંટણી નહીં યોજાય, ઈતિહાસમાં પ્રથમવાર કોંગ્રેસની એકપણ બેઠક નહીં

    17 hours ago

    ગુજરાતમાં રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આજે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ ચારેય ઉમેદવારોને સત્તાવાર રીતે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે હવે ગુજરાતમાં રાજ્યસભા માટે ચૂંટણીની જરુર નહીં રહે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર એવું બની રહ્યું છે કે, રાજ્યસભામાં કોંગ્રેસનો એકપણ સભ્ય નહીં હોય. ગુજરાતની રાજ્યસભાની તમામ 11 બેઠકો પર ભાજપના ઉમેદવાર હશે. વિરોધપક્ષે કોઈ ઉમેદવાર મેદાનમાં ન ઉતારતા ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારો રાજેશ (રાજુભાઈ) શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારિયાને સત્તાવાર રીતે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારીપત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે કોઈપણ વિરોધ પક્ષે ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો ન હોવાથી ચૂંટણી અધિકારીએ ચારેય ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. પરિણામે હવે 18 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી ગુજરાતમાં યોજાશે નહીં. ભાજપની જીત પહેલાથી જ નિશ્ચિત મનાતી હતી ગુજરાત વિધાનસભામાં ભાજપનું પ્રભુત્વ હોવાને કારણે વિપક્ષ માટે જીતની કોઈ વાસ્તવિક સંભાવના નહોતી. હાલમાં 182 સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ છે, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 12 અને આમ આદમી પાર્ટી (AAP) પાસે 5 ધારાસભ્યો છે. આ સંજોગોમાં કોંગ્રેસ અને AAPએ રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે ભાજપના ચારેય ઉમેદવારોનો વિજય નિશ્ચિત બન્યો હતો. ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતથી કોંગ્રેસનો એકપણ સભ્ય રાજ્યસભામાં નહીં હોય કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસ મુક્ત ગુજરાતની કલ્પનાની ગુજરાતે શરૂઆત કરી છે. નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટમાંથી કોંગ્રેસનો રાજ્યસભાનો એકપણ સભ્ય નહીં હોય તેવું પ્રથમવાર બનશે. આ ગુજરાતની જનતાના કારણે શક્ય બન્યું છે. લોકોએ અમારા એટલા પ્રતિનિધિઓને ચૂંટ્યા છે કે, જેના કારણે કોંગ્રેસને ફોર્મ ભરવાની પણ હિંમત ન ચાલે. રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાવું ગૌરવની બાબત છે- માનસિંહ પરમાર ગુજરાત રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા પક્ષમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યસભાના નવા સાંસદ માનસિંહ પરમારે જણાવ્યું હતું કે બિનહરીફ ચૂંટાવું ગૌરવની બાબત છે. સામાન્ય કાર્યકર્તાને પક્ષે રાજ્યસભા સુધી પહોંચવાની તક આપી છે, જે ભાજપની કાર્યકર્તા કેન્દ્રિત વિચારધારાનું પ્રતિબિંબ છે. વિચારધારા માટે જીવન સમર્પિત કરનાર નેતૃત્વનો આભાર: રાજુ શુક્લ રાજ્યસભાના સાંસદ રાજેન્દ્ર શુક્લાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિચારધારા અને રાષ્ટ્રસેવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે. પક્ષના શીર્ષ નેતૃત્વે દેશસેવાની જે તક આપી છે તેના માટે આભાર વ્યક્ત કરું છું સાથે જ નવી જવાબદારીને સફળતાપૂર્વક નિભાવવા માટે શક્તિ અને માર્ગદર્શન મળવાની આશા વ્યક્ત કરી હતી. જનજાતિ વિસ્તારનું પ્રતિનિધિત્વ ગૌરવની બાબત: મુકેશ રાઠવા રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનકલ્યાણનો માર્ગ અપનાવી દેશના વિકાસનો ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો છે. જનજાતિ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરીને રાજ્યસભામાં પહોંચવું મારા માટે ગૌરવની બાબત છે. રાજ્યની જનતાની આશાઓ અને અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે મળેલી જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે પક્ષના શીર્ષ નેતૃત્વે તેમના પર મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા માટે સતત પ્રયાસ કરશે. રાજ્યસભાની ચૂંટણીઓ આ રીતે યોજાય છે રાજ્યસભાના સાંસદો માટેની ચૂંટણી પ્રક્રિયા અન્ય ચૂંટણીઓ કરતા ઘણી અલગ છે. રાજ્યસભાના સભ્યો પરોક્ષ રીતે ચૂંટાય છે, એટલે કે તેઓ જનતા દ્વારા નહીં, ધારાસભ્યો દ્વારા ચૂંટાય છે. ચૂંટણીઓ દર બે વર્ષે યોજાય છે કારણ કે રાજ્યસભા એક કાયમી ગૃહ છે અને તેના એક તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે. રાજ્યસભાની કુલ બેઠકોની સંખ્યા 245 છે. તેમાંથી 233 બેઠકો પરોક્ષ રીતે ચૂંટાય છે, અને 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત થાય છે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે જરૂરી મતોની સંખ્યા પૂર્વનિર્ધારિત છે. મતોની સંખ્યા કુલ ધારાસભ્યોની સંખ્યા અને રાજ્યસભાની બેઠકોની સંખ્યાના આધારે ગણવામાં આવે છે. એક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 છે. આ સમાચાર પણ વાંચોઃ ટિકિટ મળી ત્યારે રાજ્યસભાના ચારેય ઉમેદવારો શું કરતા હતા? ભાજપ દ્વારા રાજ્યસભા માટે ગુજરાતમાંથી ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરાતા પાર્ટીના કાર્યકર્તા, નેતાઓ અને ગુજરાતવાસીઓ માટે તમામ નામ સરપ્રાઈઝ હતા. આ જાહેરાતો પાછળ સૌથી મોટી સરપ્રાઈઝ એ પણ છે કે,ચારેય ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ ત્યાં સુધી તેઓને પણ ખબર નહોતી કે તેઓ રાજ્યસભા માટે ઉમેદવાર બની ગયા છે. ભાસ્કરે ચારેય ઉમેદવારો સાથે વાતચીત કરી જાણવાનો પ્રયાસ કર્યો હતો કે, તેઓને ટિકિટ મળ્યાની જાણ કેવી રીતે થઈ?, જ્યારે તેઓના નામની જાહેરાત થઈ ત્યારે તેઓ ક્યાં હતા? ચારેય ઉમેદવારો દ્વારા ઉમેદવારી રજૂ કરતી સમયે મિલકતની વિગતો પણ જાહેર કરી છે. જેમાં રાજુ શુકલ 2 કિલો સોના સહિત 92 કરોડની મિલકતના માલિક હોવાનું જાહેર કરાયું છે. રાજુ શુક્લ એક મેડ ઈન ઈન્ડિયા રિવોલ્વર અને એક મેડ ઈન USA રાયફલ ધરાવે છે. જ્યારે મુકેશ રાઠવાની મિલકતની વાત કરીએ તો, તેની પાસે ફ્કત 38.08 લાખ રૂપિયાની જંગમ મિલકત જ છે. માનસિંહ પરમારની કૂલ સંપત્તિ 5.19 કરોડ રૂપિયાની છે જ્યારે જીતેન્દ્ર કણઝારીયાની 3.89 કરોડની સંપત્તિ છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    શંકરાચાર્ય બોલ્યા- રામમંદિરમાં શરૂઆતથી ચોરી થાય છે:સાયકલ પર ફરતા લોકો આજે મોટી ગાડીઓમાં ફરે છે, જે ટ્રસ્ટમાં ચંપત રાય હોય ત્યાં લઈને ભાગી જવાનું જ કામ થશે
    Next Article
    પોરબંદરમાં દારૂના ધંધાર્થીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી:ત્રણ આરોપીઓને સુરત, વડોદરા, અમદાવાદની જેલમાં મોકલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment