Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટીદાર બિલ્ડર હત્યા કેસ, સગીર આરોપીને પુખ્ત ગણી કેસ ચાલશે:મનોચિકિત્સકના અભિપ્રાય બાદ કોર્ટનો નિર્ણય, આરોપીની ઉઁમર 17 વર્ષ'ને 7 મહિના

    1 day ago

    અમદાવાદના નિકોલ વિસ્તારમાં સપ્ટેમ્બર, 2025માં થયેલી બિલ્ડર હિંમત રુડાણી હત્યા કેસમાં સગીરા આરોપીને પુખ્ત ગણી ચિલ્ડ્રન કોર્ટમાં કેસ ચાલશે. મનોચિકિત્સકના અભિપ્રાય બાદ કોર્ટ દ્વારા નિર્ણય કરાયો છે. પાટીદાર બિલ્ડરની હત્યા મામલે તેના જ પાર્ટનર મનસુખ લાખાણી, સોપારી લેનાર હિંમાશુ રાઠોડ, પપ્પુ મેઘવાલ અને સગીર આરોપીની ધરપકડ કરવામાં ાવી હતી. મનસુખ લાખાણી અને હિંમત રુડાણી વચ્ચે પાર્ટનરશીપમાં પૈસાની લેતીદેતીમાં મનદુઃખ થતા મનસુખે હત્યા માટે સોપારી આપી હતી. શું હતો સમગ્ર મામલો? 13 સપ્ટેમ્બર, 2025ની રાત્રે અમદાવાદના નિકોલ નરોડા રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર પટેલ સમાજના બેઝમેન્ટ પાર્કિગમાં બિલ્ડર હિંમત રૂડાણીની ઘાતક હથિયારોથી હત્યા કરીને લાશને ગાડીની ડેકીમાં નાખીને ગાડીને વિરાટનગર બ્રિજ નીચે હત્યારાઓએ મૂકી દીધી હતી. આ ઘટનાએ સમગ્ર અમદાવાદ અને બિલ્ડર લોબીમાં ચર્ચા જગાડી હતી. ત્યારે પોલીસે આ કાવતરા પાછળ ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં સોપારી આપનાર મૃતકના પાર્ટનર આરોપી બિલ્ડર મનસુખ લાખાણી, સોપારી લેનાર હિમાંશુ રાઠોડ, પપ્પુ મેઘવાલ અને એક સગીર આરોપીનો સમાવેશ થાય છે. મનસુખ લખાણી સિવાય ત્રણેય આરોપી રાજસ્થાનના છે. આ વિવાદ નિકોલ ખાતે કેન્સ કોર્નર સાઇટના બાંધકામના હિસાબના વિવાદમાં થયો હતો. જેમાં આરોપી મનસુખ લાખાણીએ રાજસ્થાનના આરોપીને બિલ્ડર ભાગીદારની હત્યા કરવા માટે 1.20 કરોડની સોપારી આપી હતી. આરોપીઓ પૈકી સગીર આરોપી 17 વર્ષ અને 07 મહિનાનો છે. જેનો કેસ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ ચાલતો હતો. મૃતકના પુત્રની અપીલ બાદ મનોચિકિત્સકનો અભિપ્રાય લેવામાં આવ્યો મૃતકના પુત્રે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી ચિલ્ડ્રન્સ કોર્ટમાં અપીલ કરી હતી કે સગીર આરોપી 17 વર્ષ અને 07 મહિનાનો છે. તે ગુન્હો આચરવા અને તેના પરિણામ સમજવા સક્ષમ હતો. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે મનોચિકિત્સક પાસેથી તેનો અભિપ્રાય મંગાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યા છત્તા કેસને બોર્ડ સમક્ષ જ ચલાવવા આગ્રહ રાખ્યો હતો.સગીરના પક્ષે દલીલ કરવામાં આવી હતી કે સગીરા ગુનામાં હોવાના કોઈ CCTV નથી. તેની મનોચિકિત્સક દ્વારા એક જ વાર તપાસ કરવામાં આવી છે. સગીર સામે કોઈ સંતોષકારક પુરાવા નથી. કોર્ટે નોંધ્યું- કિશોર ગુનો કરવા શારીરિક-માનસિક સક્ષમ જો કે કોર્ટે નોંધ્યું હતું કે મનોચિકિત્સક રિપોર્ટ મુજબ કિશોર ગુનો કરવા માટે શારીરિક અને માનસિક રીતે સક્ષમ છે. તેની ઉપર ગંભીર આક્ષેપ છે. પોલીસ દ્વારા ફાઈલ થયેલા ડોક્યુમેન્ટસમાં તેની સક્રિય ભૂમિકા દેખાય છે. તેની સામે પ્રથમદર્શી કેસ છે. આથી આરોપીને પુખ્ત વયનો ગણીને તેનો કેસ ચિલ્ડ્રન કોર્ટમાં દાખલ કરવામાં આવે. 25 કરોડની લેતીદેતીમાં હિમત રુડાણીની હત્યા નિપજાવાઈ હતી અમદાવાદમાં 13 સપ્ટેમ્બરની મોડીરાત્રે વિરાટનગરબ્રિજ નીચેથી ઠક્કરનગરબ્રિજ પાસે આવેલા કૈલાસધામ વિભાગ 1માં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી હતી. બીજા દિવસે આ હત્યાકેસના સગીર સહિત 3 આરોપીની રાજસ્થાનના શિરોહીથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછમાં હિંમતભાઈ રૂડાણીના પૂર્વ પાર્ટનર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ એક કરોડ રોકડા અને એક મકાનની સોપારી આપી હત્યા કરાવી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. બન્ને વચ્ચે 2020થી વિવાદ શરૂ થયો હતો. જેમાં ઘણીવાર સમાધાન થયા બાદ બાબત શાંત પડી નહોતી. બન્ને વચ્ચેની પાર્ટનરશિપ છૂટી કરવા માટે 25 કરોડની લેતીદેતીમાં મનદુઃખ થયું હતું,જેનું પરિણામ લોહિયાળ આવ્યું. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાની સોપારી આપનાર મનસુખ લાખાણીની ધરપકડ કરી લીધી છે. હત્યા કેસમાં ઝડપાયેલા હિમાંશુ અને પપ્પુને લઈ ઘટનાસ્થળ પર રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મધુબાલાની બાયોપિકમાં અનિત પડ્ડાની એન્ટ્રી?:કિયારા બાદ 'સૈયારા' સ્ટારના નામની ચર્ચાએ જોર પકડ્યું; જાણો કાસ્ટિંગનું સત્ય
    Next Article
    છોટાઉદેપુરના ગામની પ્રસૂતાને ઝોળીમાં ઊંચકવી પડી:ધોમધખતા તાપમાં સ્વજનોએ એક કિમી ખેતર અને ડુંગરા ઓળંગવા પડ્યા, પહેલા પ્રાઈવેટ વાહન પછી 108માં હોસ્પિટલ ખસેડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment