Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓખા-અમદાવાદ વંદે ભારત ટ્રેનના શિડ્યુલમાં ફેરફાર:17 ઓગસ્ટથી અમદાવાદને બદલે સાબરમતીથી સવારે 6:15 વાગ્યે ઉપડશે, આંબલી રોડ સ્ટેશન નવું સ્ટોપેજ; સૌરાષ્ટ્ર જતા મુસાફરોને લાભ

    2 days ago

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરોની સગવડ અને વધુ સારી રેલ કનેક્ટિવિટી પૂરી પાડવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ મંત્રાલય દ્વારા ઓખા અને અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સંચાલન, સમય અને રૂટમાં આંશિક સુધારા કરવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થા હેઠળ ટ્રેન નંબર 22926/22925 ઓખા–અમદાવાદ–ઓખા વંદે ભારત ટ્રેન હવે 17 ઓગષ્ટથી અમદાવાદ સ્ટેશનને બદલે સાબરમતી રેલવે સ્ટેશનથી સંચાલિત કરાશે. ઉપરાંત મુસાફરોની સતત વધતી માંગને ધ્યાનમાં રાખીને આંબલી રોડ સ્ટેશન પર આ ટ્રેનને નવું સત્તાવાર સ્ટોપેજ જાહેર કરવામાં આવ્યું છે. જેનાથી સૌરાષ્ટ્ર અને અમદાવાદ આસપાસના વિસ્તારના હજારો મુસાફરોને મોટો ફાયદો થશે. ઓખાથી સાંજે 4:45 વાગ્યે ટ્રેન ઉપડશે ટ્રેન નંબર 22926 ઓખા–સાબરમતી વંદે ભારત અઠવાડિયામાં છ દિવસ (મંગળવાર સિવાય) ઓખા સ્ટેશનેથી સાંજે 4:45 વાગ્યે ઉપડશે. આ ટ્રેન રાત્રે 7:44 વાગ્યે રાજકોટ પહોંચશે અને 5 મિનિટના હોલ્ટ બાદ 7:49 વાગ્યે ત્યાંથી રવાના થશે. તો નવા મંજૂર સ્ટોપેજ આંબલી રોડ સ્ટેશન પર રાત્રે 10:40 વાગ્યે પહોંચશે. અંતે આ ટ્રેન રાત્રે 11:10 વાગ્યે પોતાના નવા ટર્મિનલ સાબરમતી (જેલ સાઈડ) પહોંચીને પોતાની સફર પૂર્ણ કરશે. અમદાવાદના બદલે સાબરમતીથી ટ્રેન સવારે 6:15 વાગ્યે ઉપડશે ટ્રેન નંબર 22925 સાબરમતી–ઓખા વંદે ભારત એક્સપ્રેસ પણ મંગળવાર સિવાય અઠવાડિયાના છ દિવસ સાબરમતી સ્ટેશનથી સવારે 6:15 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન સવારે 06:23 વાગ્યે આંબલી રોડ સ્ટેશન પહોંચશે અને 06:25 વાગ્યે ત્યાંથી ઉપડશે. ત્યારબાદ સવારે 9:31 વાગ્યે રાજકોટ સ્ટેશન પર આગમન કરશે અને 09:36 વાગ્યે ઓખા તરફ રવાના થશે. આ ટ્રેન બપોરે 1:20 વાગ્યે ઓખા પહોંચશે. અમદાવાદ સ્ટેશન પરનું ભારણ ઘટશે રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું કે, મુસાફરોને આધુનિક, ઝડપી અને વધુ સુવિધાજનક મુસાફરીનો અનુભવ મળે તે માટે રેલવે તંત્ર સતત પ્રયત્નશીલ છે. સાબરમતી સ્ટેશનને ટર્મિનલ તરીકે વિકસાવવાથી અમદાવાદ મુખ્ય સ્ટેશન પરનું ટ્રાફિકનું ભારણ ઘટશે અને મુસાફરો માટે અવરજવર વધુ સરળ બનશે. રેલ મંત્રાલય દ્વારા 17 ઓગષ્ટથી અમલી બનતું નવું સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે. આંબલી રોડને સ્ટોપેજ મળતા સૌરાષ્ટ્ર જતા મુસાફરોને ફાયદો આ ફેરફારથી અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકો અને આંબલી રોડ આસપાસના મુસાફરોને સાબરમતી સ્ટેશન સુધી જવાની જરૂર નહીં રહે અને તેઓ ઘરની નજીકથી જ આ પ્રીમિયમ ટ્રેનનો લાભ લઈ શકશે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા તમામ મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ પોતાની મુસાફરીનું આયોજન કરતી વખતે આ નવા સમયપત્રક અને સ્ટેશનના ફેરફારની ખાસ નોંધ લે. ટ્રેનના સમય, સ્ટોપેજ, ભાડું સહિતની સચોટ માહિતી મેળવવા મુસાફરો રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવા અથવા સંબંધિત સ્ટેશનના પૂછપરછ કાઉન્ટર પર સંપર્ક કરવા રેલવે તંત્રએ જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    24 કલાકમાં સૌથી વધુ વલસાડમાં પોણા ચાર ઇંચ વરસાદ:બંગાળની ખાડીમાં ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય, આજે પંચમહાલ-દાહોદ સહિતના જિલ્લામાં વરસાદની આગાહી
    Next Article
    આંબલીયાસણમાં મંદિરમાં દર્શન મામલે વિવાદ:લાંઘણજ પોલીસ મથકે એક પક્ષે એટ્રોસિટી-પોક્સો, જ્યારે સામા પક્ષે હુમલાની ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment