Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં વરસાદી આફતનો પ્રકોપ:પોશીનામાં 17 મીમી‎, વિજયનગર, મેઘરજ પંથકમાં વાવાઝોડાથી દેશી કેરીઓનો પાક ખરી પડતાં ખેડૂતોને આર્થિક નુક્સાન

    2 days ago

    હિંમતનગરમાં બુધવારે બપોર બાદ આકરા ઉનાળાની ગરમી વચ્ચે અચાનક વરસાદી છાંટાં પડતાં વાતાવરણમાં ફેરફાર આવ્યો હતો. થોડા સમય માટે પડેલા આ છાંટાંએ ગરમીમાંથી રાહત આપવાને બદલે બફારો વધારી દીધો હતો, જેના કારણે શહેરજનોને ભારે અસ્વસ્થતા અનુભવાઈ હતી. પોશીનામાં 17 મીમી વરસાદ પડ્યો હતો. અચાનક આવેલા આ વરસાદથી ખેતરોમાં પાકની કાપણી અને ખેતીના કામમાં વ્યસ્ત ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. ઉનાળાની ઋતુમાં આવી અનિશ્ચિત હવામાન પરિસ્થિતિને કારણે પાકને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ રસ્તાઓ પર સાયકલ ચલાવીને મજૂરી કરવા નીકળેલા શ્રમિકો તેમજ ખુલ્લામાં રહેલા પશુઓને પણ વરસાદી છાંટાંથી બચવા માટે ઝાડ નીચે આશરો લેવો પડ્યો હતો. ઘણા લોકો વરસાદ બંધ થવાની રાહ જોતા નજરે પડ્યા હતા. વિજયનગર તાલુકામાં મંગળવારે સાંજે ત્રાટકેલા વાવાઝોડાએ દેશી કેરીના પાકનો સોથ વાળ્યો હતો. ભારે પવનના કારણે દેશી કેરીઓ પડી જવાના કારણે ખેડૂતોને વ્યાપક નુકશાન થવા પામ્યું હતું. પોશીના દેલવાડા આંજણી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકો ને ગરમીથી રાહત મળી હતી પોશીના માં પોણો કલાક માં 17 મી.મી.વરસાદ નોંધાયો હતો મેઘરજમાં મંગળવારની સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ સાથે મીની વાવાઝોડું કાકા ખેડૂતોના કેરીની વાડીઓમાં લાગેલ કેરીઓ ભારે પવનના કારણે જમીન ઉપર ખરી પડતા તેમજ ખેડૂતોએ વાવેલા કીિંતી ચંદન જેવા વૃક્ષો પણ ભારે પવનના લીધે ધરાશાઇ થતા કેરીના વાડીઓના ખેડૂતો તેમજ બાગાયતી ખેતી કરતા ખેડૂતોને આર્થિક સહન કરવાનો વારો આવે છે સરકાર દ્વારા વાવાઝોડાથી ખેડૂતોને થયેલ નુકસાન નો સર્વે કરી ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે. મેઘરજ તાલુકામાં મંગળવારની મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન સાથે મીની વાવાઝોડું ફૂંકાતા કેરી સહિત ચંદનના વૃક્ષોને નુકસાન થયું છે.
    Click here to Read More
    Previous Article
    ગિફ્ટ સિટીમાં રોકાણના નામે ઠગનાર ઉત્પલ પટેલ કોણ?:ઉ.ગુજરાતનો વતની; કાશ્મીર, નોઇડામાં ઓફિસ ખોલી; કારથી માંડી ક્રૂઝના માલિક બનાવવાના સપના બતાવ્યા
    Next Article
    જૂનાગઢ મનપાના ભૂગર્ભ ગટરના કામમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ:એજન્સીએ ખોટા બિલ રજૂ કર્યાના સજ્જડ઼ પુરાવા છતા કોર્પોરેશનના આંખ આડા કાન, જેની સામે તપાસ તેને જ તપાસ સોંપી!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment