Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાપરના રાજવી પરિવારના ઘરે લૂંટ કેસમાં ભાગીયાએ આપી હતી ટીપ:17 જૂને કાળું પક્ષી આડું આવતા અપશુકન માની પ્લાન કેન્સલ કર્યો, બીજા દિવસે લૂંટને અંજાણ આપ્યો; વધુ 4ની ધરપકડ

    8 hours ago

    રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ વિસ્તારમાં રાજવી પરિવારના ઘરે થયેલી 2.49 કરોડની લૂંટ કેસમાં આજે વધુ ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ કેસમાં મુખ્ય આરોપી અને ટીપ આપનાર સહિત 6 શખ્સો ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી 17 જૂનના રોજ લૂંટના ગુનાને અંજામ આપવા નીકળ્યા હતા, પરંતુ કાળું પક્ષી આડું ઉતરતા તેને અપશુકન માની પ્લાન કેન્સલ કરી બીજા દિવસે 18 જૂને લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે મધ્યપ્રદેશની ગેંગના 4 આરોપીની ધરપકડ કરી વધુ 17 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં પોલીસે અગાઉ 3 આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 76.86 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. અઢી કરોડની લૂંટ કેસમાં વધુ 4 આરોપીની ધરપકડ રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 18 અને 19 જૂનના રાત્રિના સમયે થયેલી અઢી કરોડની લૂંટ કેસમાં અગાઉ 3 બાદ આજે વધુ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય આરોપી પણ મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે. આજે પોલીસે રામેશ્વર ઉર્ફે પપ્પુ મચ્છાર, સાગર ઉર્ફે સાગરિયા મેડા, રાજુ ભાભોર અને વિજન માવીની ધરપકડ કરી લૂંટમાં વપરાયેલી એક તુફાન કાર, એક બાઈક અને રોકડ મળી કુલ 17.02 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભાગીયાએ માહિતી આપતા 8 જૂનના રોજ રેકી કરી પોલીસ પુછપરછમાં આરોપીઓએ કબૂલાત આપી હતી કે, ફરિયાદી જીતેન્દ્રસિંહની વાળીમાં ભાગીયા તરીકે પ્રવીણભાઈ પટેલ કામ કરે છે અને તેમના પિતા અને દાદા પણ અહીંયા કામ કરતા હતા. પ્રવીણભાઈ પટેલે તેમની નીચે પેટામાં ભાગીયા તરીકે મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના રહેવાસી બહાદુર બબેરીયાને કામ પર રાખ્યો હતો. જે એક વર્ષ સુધી અહીંયા કામ કરી પરત પોતાના વતનમાં ચાલ્યો ગયો હતો. ગત જૂન મહિના દરમિયાન મધ્યપ્રદેશમાં મળેલા એક મેળામાં બહાદુર બબેરીયાએ તેના બાકીના મિત્રો રાજુ કલમસિંગ ભાભોર, સાગર મેડાને જાણ કરી હતી કે શાપરમાં એક પરિવાર છે જેમાં વૃદ્ધ એકલા રહે છે અને તેમના ઘરમાંથી મોટી માત્રામાં સોના ચાંદીના ઘરેણાં મળી શકે તેમ છે જેથી ત્રણેય મિત્રો સાથે 8 જૂનના રોજ શાપર ખાતે રેકી કરવા આવ્યા હતા. આરોપીઓએ 11થી 15 જૂન દરમિયાન પ્લાન બનાવ્યો આ પછી રાજુ ભાભોરએ તેના મિત્ર નિલેશ મચ્છારને 11 જૂનના રોજ ફોન કરી વધુ માણસોની જરૂર હોવાનું કહેતા નિલેશ અને તેના કાકાનો દીકરો રામેશ્વર ઉર્ફે પપ્પુ મચ્છાર સાથે મળી વાતચીત કરી હતી. આ દરમિયાન રામેશ્વર ઉર્ફે પપ્પુએ જણાવ્યું કે તે જ્યારે જાબુંઆ જેલમાં બંધ હતો, ત્યારે તેની ઓળખાણ વિજન માવી સાથે થઇ હતી અને તે પોટ ચોરી કરવા ટેવ ધરાવે છે અને તેની પાસે આખી એક ગેંગ પણ છે. આમ આ પાંચેય આરોપી બહાદુર બબેરીયા, રાજુ ભાભોર, સાગર મેડા, નિલેશ મચ્છાર અને રામેશ્વર ઉફે પપ્પુ મચ્છારએ 11થી 15 જૂન સુધી સમય દરમિયાન પ્લાન બનાવ્યો હતો. દરમિયાન રામેશ્વર અને વિજન વચ્ચે ટેલિફોનિક વાતચીતમાં નક્કી થયું હતું કે તમે લોકેશન મેળવી લો અને નક્કી થયા બાદ મને જાણ કરજો હું માણસો તૈયાર રાખીશ ત્યાર બાદ આપણે આગળ વધીશું. 16 જૂનના રોજ ફરી તેઓ લૂંટ કરવાની જગ્યા જોવા નીકળ્યા ત્યારબાદ 15 જૂનના વહેલી સવારે બહાદુર બબેરીયા, રાજુ ભાભોર, સાગર મેડા, નિલેશ મચ્છાર અને રામેશ્વર ઉફે પપ્પુ મચ્છાર રાજુ ભાભોરની તુફાન ગાડીમા રાણાપુરથી નીકળી શાપર આવેલા અને શાપર આવી બહાદુરે પોતાની સાથે અગાઉ જગ્યા જોઇ ગયો હતો ત્યાં સાગર મેડાને રામેશ્વર ઉફે પપ્પુ મચ્છારને જગ્યા બતાવવા મોકલી આપ્યો હતો અને તે બન્ને જગ્યા જોઇ પરત આવી ત્યાંથી બધા રાજુ ભાભોર જ્યાં રહેતો તે કોલીથડ ગામે જતા રહ્યા હતા. બીજા દિવસે 16 જૂનના રોજ સવારના સમયે રામેશ્વર ઉફે પપ્પુ મચ્છારએ બહાદુરને જણાવ્યું કે, જગ્યા મને બરાબર યાદ રહી નથી જેથી આપણે ફરીથી જગ્યા જોવા જવું પડશે માટે રાજુ ભાભોરનું બાઈક લઇ ફરીથી શાપર ફરિયાદીનું મકાન જોવા ગયા હતા અને આ વખતે બહાદુરએ ચાલુ બાઇક પર રામેશ્વર ઉફે પપ્પુ મચ્છારને ફરિયાદીનું મકાન બતાવ્યું હતું. તમામ આરોપી ગાડી ભાડે કરી વડોદરાથી શાપર પહોંચ્યા હતા આ પછી રામેશ્વર ઉર્ફે પપ્પુએ વિજન માવીને ફોન કરી લોકેશન જોઈ લીધું હોવાની જાણ કરી માણસો સાથે આવી જવા કહેતા વિજન માવીએ પોતાના માસીની દીકરીના પતિ કલમવસિંગ સિંગાડ, બનસિંગ સિંગાડ, કરણસીંગ ઉર્ફે મડીયો સિંગાડ, મહોબતસીંગ, અને આલમ ઉર્ફે સુલસુલાને તૈયાર કરી મોકલ્યા હતા જેમાં આ તમામ આરોપી દાહોદના બે આરોપી સાથે ગાડી ભાડે કરી ચોરી કરવા માટે વડોદરાથી ચોટીલા, ચોયીલાથી જસદણ, જસદણથી ગોંડલ અને ગોંડલથી શાપર સુધી પહોંચ્યા હતા. જો કે 16 તારીખે રાત્રિના 11 વાગ્યા જેવો સમય થયો હોવાથી લૂંટ માટે મનાઈ કરવામાં આવી હતી અને પરત અન્ય કોઈ સ્થળે જવાનું કહેતા આરોપીઓ ચોટીલા તરફ જતા રહ્યા હતા. જ્યાં મધ્યપ્રદેશના 6 આરોપી ખુલ્લા ખેતરમાં સુઈ ગયા હતા. જ્યારે દાહોદના બે શખ્સો હાઈવે પર હોટલની બહાર ગાડી પાર્ક કરી સુઈ ગયા હતા. 17 જૂને કાળું પક્ષી આડું આવતા અપશુકન માની પ્લાન કેન્સલ કર્યો બીજા દિવસે 17 તારીખના રોજ લૂંટને અંજામ આપવા માટે નીકળી રહ્યા હતા, પરંતુ તેમને સામે કાળા કલરનું પક્ષી મળી આવ્યું હતું જેને તે લોકો અપશુકન માનતા હોવાથી પરત ફરી ગયા હતા અને બીજા દિવસે 18 તારીખના રોજ લૂંટને અંજામ આપવા માટે નીકળ્યા હતા. દિવસ દરમિયાન ફરી શાપર અને આસપાસમાં રેકી કરી હતી અને રાત્રી દરમિયાન 1 વાગ્યા આસપાસ લૂંટને અંજામ આપ્યો હતો. આ પછી નજીકમાંથી 3 વાહનોની ચોરી કરી હતી, પરંતુ એક બીજા પર ભરોસો ન હોવાથી આગળ ઉભું રાખી બે બાઇકમાં 6 લોકો અમદાવાદ હાઈવે પર નાસી છૂટ્યા હતા, જ્યાં અગાઉથી ઉભેલા બોલેરો કારના માલિક અને ચાલકને ફોનથી જાણ કરી તેની પાસે પહોંચી મુદામાલ સાથે વતન મધ્યપ્રદેશમાં નાસી છૂટ્યા હતા. ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ આજે પકડાયેલા આરોપી વિજન માવી વિરુદ્ધ અગાઉ મધ્યપ્રદેશમાં ચોરી અને લૂંટના બે ગુના જ્યારે રામેશ્વર ઉર્ફે પપ્પુ વિરુદ્ધ રાજકોટ, મોરબી, વાપી, અને મધ્યપ્રદેશ્માં મળી કુલ 7 ગુણ, સાગર ઉર્ફે સાગરિયા વિરુદ્ધ મધ્યપ્રદેશમાં મારામારીનો એક ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જ્યારે ફરાર આરોપીઓ પૈકી કલમસિંગ વિરુદ્ધ 2 ગુના, મહોબતસિંગ વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં 22 ગુના, આલમસિંગ વિરુદ્ધ 16 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ, છ હજુ પણ ફરાર રાજકોટ જિલ્લાની અત્યાર સુધીની સૌથી મોટી લૂંટની આ ઘટનામાં રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા અત્યાર સુધી કુલ 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી 93.86 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે હજુ પણ આ ગુનામાં ફરાર મુખ્ય આરોપી સહીત 6 આરોપી ફરાર હોય જેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં રસોઈયાનું કરંટ લાગતા મોત:વરસાદી પાણી ભરાયેલા પાર્કિંગમાં દુર્ઘટના, તપાસ શરૂ
    Next Article
    कॉकरोचों के अनशन का दसवाँ दिन, कब तक इग्नोर करेगी सरकार?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment