Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં 17 વર્ષીય સગીરનો અગમ્ય કારણોસર આપઘાત:ઘરમાં ભત્રીજાને લટકતો જોઈ કાકાના પગ તળેથી જમીન સરકી ગઈ, દીકરાના મોતથી પરિવાર શોકમાં ઘરકાવ

    10 hours ago

    વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી જશોદા કોલોનીમાં રહેતા 17 વર્ષીય એક સગીરે પોતાના ઘરના ઉપરના માળે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડી આપઘાતનું કારણ શોધવા વધુ તપાસ હાથ ધરી છે. ધોરણ 12માં પ્રવેશ મેળવનાર આતિશનો આપઘાત મૃતક સગીરની ઓળખ આતિશ વિરેન્દ્ર ચૌધરી તરીકે થઈ છે. તેણે તાજેતરમાં જ ધોરણ 11ની પરીક્ષા પાસ કરી હતી અને ધોરણ 12માં પ્રવેશ મેળવ્યો હતો. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ કોઈ અગમ્ય કારણોસર તેણે ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં ફાંસો ખાઈ લીધો હતો, જેને પગલે પરિવાર અને સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ભત્રીજાને લટકતો જોઈ કાકાના પગ તળેથી જમીન સરકી ગઈ આ ઘટના બની ત્યારે આતિશ ઘરમાં બિલકુલ એકલો હતો. થોડા સમય બાદ તેના કાકા જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે તેમણે ભત્રીજાને લટકતી હાલતમાં જોયો હતો. કાકાએ બૂમાબૂમ કરતાં આસપાસના પડોશીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને આ અંગે માહિતગાર કરવામાં આવી હતી. પોલીસે સગીરાના આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ કરી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સગીરના આત્યંતિક પગલાં પાછળનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી, પરિવારજનોના નિવેદન લેવા અને આપઘાતના કારણો સ્પષ્ટ કરવા માટેની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીના ગુજરાત પ્રવાસને લઈ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડના શિડ્યૂલમાં ફરેફાર:સૌરાષ્ટ્ર અને વડોદરા જિલ્લાના પદાધિકારીઓની પસંદગી હાલ મોકૂફ, 11 મે બાદ નામ જાહેર કરાશે
    Next Article
    સુરતમાં ખોડલધામ મંદિર, શૈક્ષણિક-આરોગ્ય સંકુલનું નિર્માણ થશે:અંત્રોલીમાં 40 વીઘા જમીન સંપાદિત, આસો નવરાત્રિએ ભૂમિપૂજનની ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની જાહેરાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment