Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં રામદેવ કથાનો પ્રારંભ:'અલખના ઓટલે' ભક્તિમય વાતાવરણ, 1 મે સુધી ચાલશે

    13 hours ago

    મોડાસાના રામેશ્વરકંપામાં આવેલા 'અલખના ઓટલે' રામદેવ ભક્તિ માનસ કથાનો પ્રારંભ થયો છે. ગુરુદેવની કૃપા અને પ્રકાશ બાપુના સંકલ્પથી આયોજિત આ કથા 25 એપ્રિલ, 2026ના રોજ શરૂ થઈને 1 મે, 2026ના રોજ સંપન્ન થશે. કથાના પ્રારંભ પૂર્વે સંતોની ભવ્ય શોભાયાત્રા, પોથીયાત્રા અને સામૈયા યોજાયા હતા. ડીજેના તાલે ભક્તોએ સંતોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ પ્રસંગે અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જગદગુરુ સંતપંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ, કથાકાર રાધેકૃષ્ણ શાસ્ત્રીજી, 1008 મહામંડલેશ્વર રામબલીદાસ ત્યાગીજી મહારાજ (હનુમાન ટેકરી, સિરસાવન, ચિત્રકૂટધામ), ગુરુ પ્રદ્યુમન મહારાજ (ગાયત્રી આશ્રમ, સરડોઈ), સંત ચંદુબાપા, સંત નથ્યુરામબાપા (પાવનધામ, વડાલી કંપા), મહામંડલેશ્વર પૂરણ શરણદાસજી મહારાજ (રામજી મંદિર, ધનસુરા) અને પન્નાભાઈ પટેલ (રામજી મંદિર, રાજપુર)નો સમાવેશ થાય છે. પૂજ્ય મહંત રાધેકૃષ્ણ શાસ્ત્રીજી બાપુ વ્યાસપીઠેથી સંગીતમય સ્વરોમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાના પ્રથમ દિવસે તેમણે ભક્તજનોને જણાવ્યું કે, ભગવાન દ્વારિકાધીશ બાબા રામદેવજી મહારાજની આ કથા સામાન્ય નથી, પરંતુ સત્ય સનાતન ધર્મની કથા છે. શાસ્ત્રીજીએ વધુમાં જણાવ્યું કે આ કથા નિજિયાધર્મ, બીજ ધર્મ, સત્ ધર્મ, જતી સતીની કથા અને નિષ્કલંક પંથ તરીકે પણ ઓળખાય છે, જે યુગોથી પ્રચલિત છે. બાબા રામદેવજી મહારાજના જયકારા સાથે કથા મંડપ ગુંજી ઉઠ્યો હતો. શાસ્ત્રીજીએ કહ્યું કે સનાતન ધર્મ સત્ય, દયા, દાન અને તપ – આ ચાર મજબૂત સ્તંભો પર ટકેલો છે. કથાનું શ્રવણ કરવું એ પણ એક પ્રકારનું તપ છે, જે ભક્તના મનને અધ્યાત્મ તરફ વાળે છે, ભક્તિની શક્તિમાં વૃદ્ધિ કરે છે અને મનને શાંતિ પ્રદાન કરે છે. કથાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સપ્તાહ દરમિયાન ભક્તજનોને બાબા રામદેવજીના જીવન, તેમના પરચાઓ અને સત્ય સનાતન ધર્મના જ્ઞાનનું પાન કરવાની અમૂલ્ય તક મળશે. શાસ્ત્રીજીના શબ્દોમાં, "જ્યાં અલખનો ઓટલો હોય ત્યાં રોટલો પણ હોય અને ત્યાં બધું જ હોય, કારણ કે ભગવાનના નામમાં જ સર્વ સુખ સમાયેલું છે." કથાનું સંચાલન રમેશભાઈ ચોધરી કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પૂર્વ તૈયારી:EVM અને ચૂંટણી સામગ્રીનું વિતરણ કરાયું, જિલ્લામાં 18 ડિસ્પેચ સેન્ટર કાર્યરત કરાયા
    Next Article
    Controversy over poster in Bhavnagar | ભાવનગરમાં મસ્જિદ પર લાગેલા પોસ્ટરથી વિવાદ | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment