Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં સોમવતી અમાસ નિમિત્તે 160 બાળકોને ભોજન:જાયન્ટ્સ ગ્રુપ 'સાહેલી' દ્વારા શાહી ભોજનનો સેવાકીય પ્રોજેક્ટ યોજાયો

    12 घंटे पहले

    સોમવાર, 15 જૂન, 2026 ના રોજ 'સોમવતી અમાસ' ના પવિત્ર અવસરે જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરેન્દ્રનગર 'સાહેલી' દ્વારા એક પ્રેરણાદાયી સેવાકીય પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં આવેલી પ્રાથમિક શાળા નંબર 11 ના આશરે 160 જેટલા બાળકોને સંસ્થા તરફથી ભાવપૂર્વક ગરમાગરમ શાહી ભોજન પીરસવામાં આવ્યું હતું. ભોજનમાં લાડુ, દાળ-ભાત, શાક, પૂરી અને ભજીયાનો સમાવેશ થતો હતો. મનપસંદ ભોજન જમીને બાળકોના ચહેરા પર આનંદ અને સંતોષ જોવા મળ્યો હતો. આ ભોજન સમારોહના મુખ્ય દાતા તરીકે જાયન્ટ્સ મેમ્બર ઉષાબેન સેજપાલ રહ્યા હતા. તેમના આર્થિક સહયોગથી આ સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પડ્યું હતું. આ સેવાકીય પ્રોજેક્ટ દરમિયાન જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરેન્દ્રનગર 'સાહેલી' ના પ્રમુખ ઉમાબેન ધનેશા સહિત સાહેલી ગ્રુપના અન્ય હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ સભ્યોએ હાજર રહીને બાળકોને પ્રેમપૂર્વક ભોજન પીરસ્યું હતું. સમગ્ર પ્રોજેક્ટ ખૂબ જ સુંદર, વ્યવસ્થિત અને સફળ રહ્યો હતો. આ બદલ શાળા પરિવારે જાયન્ટ્સ સાહેલી ગ્રુપ અને દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દરેડ પરશુરામ મંદિર લાભાર્થે સમૂહ સત્યનારાયણ કથા યોજાઈ:બ્રહ્મ સોશિયલ ગ્રુપ અને પરશુરામ ધામ દ્વારા ભવ્ય આયોજન
    Next Article
    મોરબી જિલ્લામાં 18મીએ શાળા પ્રવેશોત્સવ:આંગણવાડીમાં 4268, બાલવાટિકામાં 9108, ધો. 9માં 6580, ડ્રોપ આઉટ 662 બાળકોને પ્રવેશ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment