Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં વીજ થાંભલામાં કરંટથી 16 વર્ષની કિશોરીનું મોત:કૃષિ યુનિવર્સિટી પાસે ઘટના, પિતાએ જીઈબીની બેદરકારી સામે ન્યાય માંગ્યો

    2 days ago

    નવસારીના કૃષિ યુનિવર્સિટી વિસ્તારમાં વીજ કંપનીની બેદરકારીને કારણે એક દુર્ઘટના બની છે. સરગમ એપાર્ટમેન્ટ પાસે વીજ થાંભલામાં કરંટ ઉતરતા ૧૬ વર્ષની આયુષી નાયકાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સ્થાનિકો દ્વારા અગાઉ કરાયેલી રજૂઆતો છતાં તંત્રએ ધ્યાન ન આપ્યાનો આક્ષેપ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દીપકભાઈ નાયકાની ૧૬ વર્ષની પુત્રી આયુષી રાત્રિના સમયે નજીકની દુકાને નાસ્તો લેવા ગઈ હતી. સરગમ એપાર્ટમેન્ટ પાસેથી પસાર થતી વખતે રસ્તામાં આવેલા વીજ થાંભલામાં અચાનક કરંટ ઉતર્યો હતો, જેના સંપર્કમાં આવતા આયુષી ઘટનાસ્થળે જ ઢળી પડી હતી. આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આયુષીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં મોડી રાત્રે ટૂંકી સારવાર બાદ તેનું અવસાન થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે. આ ઘટના બાદ આયુષીના પિતા દીપકભાઈ નાયકાએ વીજ કંપની (GEB) પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, "જીઈબીની બેદરકારીને કારણે મારી દીકરીનું મોત થયું છે. વાયર તૂટી જવાની સમસ્યા અંગે સ્થાનિકોએ અગાઉ પણ રજૂઆતો કરી હતી, પરંતુ તંત્રએ કોઈ ધ્યાન આપ્યું નહોતું. મારી દીકરીને હોસ્પિટલ લઈ ગયા અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઉતાવળે રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું. મારે માત્ર ન્યાય જોઈએ છે." સ્થાનિકોમાં પણ વીજ કંપની પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો અગાઉની ફરિયાદો પર ધ્યાન અપાયું હોત તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ચાણસ્માના ઝીલિયામાં ફાર્મ હાઉસ પર સશસ્ત્ર હુમલો, CCTV:8 ગાડીમાં 20 શખસ ધારીયા તલવાર સાથે ત્રાટક્યા, 112 જનરક્ષક વાનને પણ ઊભી પૂંછડીએ ભગાડી
    Next Article
    જામનગર દરબારગઢમાં વન-વેની કડક અમલવારી શરૂ:ટ્રાફિક હળવો બન્યો, નિયમ ભંગ કરનારા દંડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment