Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:જૂનાગઢ એસટી ડિવિઝનને નવી 16 બસો મળી

    1 week ago

    ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે રાજ્યની તમામ 182 વિધાનસભા વિસ્તાર માટે કુલ 182 નવીન બસોની મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગરમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ ડિવિઝનને નવી 16 બસો મળી છે. આ 16 બસોને જૂનાગઢ ડિવિઝન હેઠળના 9 ડેપોમાં અલગ-અલગ નવા રૂટ પર ફાળવણી કરવામાં આવશે. જૂનાગઢ ડિવિઝનના વિભાગીય નિયામક વી.બી. ડાંગરે જણાવ્યુ કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે જૂનાગઢ સહિત રાજ્યના વિવિધ એસટી વિભાગમાં મળી કુલ 182 નવી બસોની ફાળવણી કરી છે. જેમાં જૂનાગઢ ડિવિઝનને કુલ 16 નવી બસો મળી છે. આ નવી ફાળવેલી બસને જૂનાગઢ ડિવિઝન હેઠળના 9 ડેપોમાંથી નવી બસની અમદાવાદ, જામનગર, ઓખા, ગોધરા સહિતના રૂટોમાં ફાળવણી કરવામાં આવશે. આ નવી બસને કારણે લોકોને નવા રૂટમાં સુવિધા પૂરી પાડી શકાશે અને વધુમાં વધુ એસટી મારફત અવર-જવર કરી શકશે. આગામી દિવસોમાં ધારાસભ્યના હસ્તે નવી બસોને લીલી ઝંડી આપીને નવા રૂટમાં શરૂ કરવામાં આવનાર છે એમ જણાવ્યુ છે. આ મુજબના નવા રૂટ શરૂ થશે જેતપુર - દિવ ધોરાજી - દાહોદ પોરબંદર - ભાવનગર પોરબંદર - રાજકોટ બાટવા - ગોધરા જૂનાગઢ - ભાવનગર મોટી મોણપરી - અમદાવાદ કેશોદ - દાહોદ માંગરોળ - નારાયણ સરોવર સોમનાથ - જામનગર સોમનાથ - ઓખા
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ખાસ‎:પોરબંદર યાર્ડમાં બારાડી પંથકમાંથી 400 કિલો સૂકા લાલ મરચાની આવક
    Next Article
    કમોસમી વરસાદ:રિદ્ધિ રેસીડેન્સી, પૂજા પાર્કમાં ચોમાસા જેવુ કિચકાણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment