Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભદ્રેશ્વરમાં 16 વર્ષની સગીરાનો આપઘાત:લઘુમતી સમાજના યુવકનું પ્રેમ સંબંધ રાખવા દબાણ, ઘર બદલવા છતાં પીછો ન છોડ્યો; આરોપીની ધરપકડ

    9 hours ago

    શહેરના ભદ્રેશ્વર વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાએ ગળાફાંસો ખઈ આપઘાત કરી લીધો છે. ભૂતકાળમાં પાડોશમાં રહેતા સિદ્ધ ધર્મની યુવક દ્વારા યુવતીને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરવામાં આવતું હતું. વારંવાર યુવતીને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ ફરતો હોવાથી છેવટે કંટાળીને સગીરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પરિવારજનોએ વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તાત્કાલિક આરોપીની ધરપકડ કરી લીધી છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ એ.ડી ચાવડાએ જણાવ્યું હતું કે 16 વર્ષીય સગીરા દ્વારા ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવામાં આવી હતી જેમાં પરિવારજનોએ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પ્રેમ સંબંધ રાખવાનું દબાણ કરતો હોવાથી આખા કર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુજબ શહેરના ભદ્રેશ્વર વિસ્તારમાં 16 વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. ફેબ્રુઆરી મહિનામાં સગીરા ઘરે હાજર મળી આવી નહોતી ત્યારબાદ મોડી રાત્રે રખિયાલ વિસ્તારમાં રહેતા નસીમ ઉર્ફે અન્સારી નામનો યુવક તેને બાઈક પર ભદ્રેશ્વર બસ સ્ટેન્ડ પાસે ઉતારીને જતો રહ્યો હતો. આ બાબતે ફરિયાદ આપવામાં આવી હતી. 13 ઓગસ્ટના રોજ સગીરાના પરિવારજનો રોજિંદા કામે લાગી ગયા હતા ત્યારે સગીરાની માતા અને તેના ભાઈ બેન ઘરે હાજર નહોતા અને એકલી હાજર હતી ત્યારે તેણે ઉપરના રૂમમાં ગળાફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધી હતી. સાંજે જ્યારે પરિવારજનો ઘરે આવ્યા ત્યારે જાણ થઈ કે સગીરાએ આપઘાત કરી લીધો છે. જેથી આ બાબતે 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં તેઓ આવી પહોંચ્યા હતા અને તપાસ કરતા યુવતીને મૃત જાહેર કરી હતી. પ્રખ્યાલ વિસ્તારમાં રહેતો નસીમ નામનો યુવક અગાઉ સગીરાને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો અને જ્યારે ભદ્રેશ્વર છાપરા ખાતે રહેતા હતા ત્યારે ત્યાં આંટા ફેરા મારતો હતો અને પ્રેમ સંબંધ રાખવા માટે સગીરાને દબાણ કરતો હતો. સગીરા પ્રેમ સંબંધ રાખવા માટે ના પાડતી હોવા છતાં પણ તેને દબાણ કરી પરેશાન કરતો હતો. જેથી તેઓ ભદ્રેશ્વરમાં અન્ય જગ્યાએ રહેવા જતા રહ્યા હતા. અન્ય જગ્યાએ રહેવા ગયા હોવા છતાં પણ નસીમ ત્યાં આંટા ફેરા મારતો હતો અને સગીરાને વાતચીત કરવા માટે દબાણ કરતો હતો. જેથી નસીમ દ્વારા આપવામાં આવતા ત્રાસથી કંટાળી જઈ અને સગીરાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. વિધર્મી યુવક દ્વારા સગીરાને પ્રેમ સંબંધ માટે દબાણ કરવામાં આવતું હોવાના પગલે તાત્કાલિક ધોરણે બજરંગ દળ ના આગેવાન અને કાર્યકર્તાઓ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા અને તાત્કાલિક ગુનો નોંધી આરોપીની ધરપકડની માંગ કરી હતી જેથી એરપોર્ટ પોલીસે આમ અમને ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરી લીધી છે.
    Click here to Read More
    Previous Article
    બે દિવસ ભારે વરસાદની આગાહી:ગુજરાત માથે છ સિસ્ટમ સક્રિય, 9 જિલ્લામાં એલર્ટ, સુરતમાં ધાર્મિક મંચ પર અશ્લીલ ડાન્સ, ટેન્કર-કારની ટક્કરમાં 3 લોકોનાં મોત
    Next Article
    મનપાના સફાઈ કર્મચારીઓનો પડતર પ્રશ્નોને લઈ ઉગ્ર આક્રોશ:15 ઓગસ્ટે કાળી પટ્ટી પહેરી કાર્યક્રમમાં વિરોધ કરશે, દુર્વ્યવહાર કરનારા તમામ દોષિતોને સસ્પેન્ડ કરવા માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment