Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહેરનામું:શામળાજીના મેશ્વો ડેમ પરનો રસ્તો 16 ઓગસ્ટ સુધી બંધ

    1 week ago

    શામળાજીમાં મેશ્વો જળાશય ખાતે મુખ્ય માટીપાળાથી હિંમતપુર સેડલ તરફ જતો અંદાજિત 2200 મીટર જેટલો રસ્તા પર શરૂ થઈ રહેલી કામગીરી અને સલામતીને ધ્યાનમાં રાખીને કલેક્ટરે તા.16-8-2026 સુધી વાહનોની અવરજવર બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને લોકોને આ રસ્તા નો ઉપયોગ ન કરવા અનુરોધ કરાયો છે. આ રસ્તાના નવીનીકરણ અંતર્ગત મેશ્વો ડેમ ખાતે મુખ્ય માટીપાળાથી હિંમતપુર સેડલ સુધીના આરસીસી રસ્તો બનાવવાનું, રસ્તાની બાજુમાં સાઈડ શોલ્ડર અને રસ્તાની બાજુમાં જરૂરી જગ્યાએ રોડ ફર્નિચર અને જરૂરી સાઈનબોર્ડ લગાવવાની કામગીરીનો સમાવેશ કરાયો છે. હાલ રોડ પ્રોટેકશનની કામગીરી વર્ક ઓર્ડર સ્ટેજ પર હોઈ તેની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે. ઉપરોક્ત કામગીરીમાં જરૂરી જગ્યાએ755 મીટર લંબાઈમાં ક્રેશ બેરિયરની કામગીરી કરવાનું આયોજન પણ કરાશે. રસ્તાની જમણી બાજુએ મોટા ડુંગર તથા ડાબી બાજુએ મેશ્વો ડેમ આવેલ હોઈ રસ્તાની કામગીરી દરમ્યાન રસ્તો અવરજવર હેતુસર બંધ કરવો જરૂરી જણાતા તા.16-8-2026 સુધી રસ્તો વાહનોની અવરજવર માટે બંધ કરવા જાહેરનામું બહાર પાડ્યું છે.
    Click here to Read More
    Previous Article
    આગામી ચોમાસાને પગલે કંટ્રોલ રૂમ શરૂ:વેરાવળ બંદરે સંભવિત તોફાનોને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું
    Next Article
    રોજ દિવસ દરમિયાન વીજ કાપ:નાયકા- કલોલી સહિત પાંચ ગામોમાં 3 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતા રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment