Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તસ્કરી:અમરેલીમાં નારાયણ મીલ વિસ્તારમાં તાળું તોડી રૂપિયા 1.51 લાખની ચોરી

    3 days ago

    અમરેલીના નારાયણ મીલ વિસ્તારમાં તાળું તોડી ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો છે. એક શખ્સે ઘરમાં પ્રવેશ કરીને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 1.51 લાખની ચોરી કરી લઈ જતાં પોલીસે ગુનો નોંધ્યો છે. મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ અમરેલી નારાયણ મીલ વિસ્રતારમાં રહેતા રાહુલભાઈ ઈશ્વરપ્રસાદી કુસ્વાહા (ઉ.વ.32) મજૂરી કામ કરે છે. ગત તા.15 માર્ચના તેમની પત્નીને માનતા ઉતારવા પંજાબ ગયા હતા, ગઈ કાલે તેઓ આવી જતા પોતાના પાસ રહેલી ચાવી દ્વારા તાળું નહીં ખુલતા તાળું તોડવાની ફરજ પડી હતી બાદ અંદર તમામ સામાન વિખરાયેલા પડેલો જોઈ તેઓએ સમાન ચેક કરતા અલગ અલગ જગ્યાએ રાખેલા સોનાનો ચેઇન, લોકેટ, સોનાની વીટી સહિત કુલ રૂ.1.51 લાખની મત્તાની ચોરી કરી ગયાની જાણકારી થઈ હતી. આ મામલે રાહુલભાઈએ ઇમરજન્સીમાં કોલ કરી માહિતી આપતા પોલીસ ટીમ પહોંચી ગઈ હતી, તપાસ બાદ ચોરી કરનાર ત્યાજ રહેતા અભિષેક કુસ્વાહાએ રાહુલભાઈના ઘરનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ચીરી કર્યાનું જણાતા તેને ઝડપી લઈ ગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:ખેડૂતોની વ્યથા; દર વર્ષે ઉનાળામાં માવઠુ કેરીનો પાક બગાડે છે હવે તો આંબા કાપી અન્ય પાક તરફ વળીશું
    Next Article
    તંત્ર નિંદ્રાધીન:અમરેલીમાં ઉદઘાટન બાદ 20 વર્ષથી અબ્દુલ કલામ બગીચો ખંઢેર બન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment