Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 15000 મેટ્રિક ટન કોલસો જપ્ત:‘સ્વાગત’માં ફરિયાદ નિવારણ બાદ રિવ્યૂ લેવાની સિસ્ટમ ચિંતન શિબિરમાં ચર્ચાઈ

    14 hours ago

    રાજ્ય સરકારની મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓએ વહીવટી પારદર્શિતા અને કડક નિર્ણયોનું પ્રેઝન્ટેશન જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયાએ રજૂ કર્યું હતું. જેમાં રાજકોટ વિશે જણાવ્યું હતું કે, વહીવટી તંત્રને લોકો સાથે સીધું જોડવા માટે રાજકોટ જિલ્લાએ ‘સ્વાગત ઓડિટ મિકેનિઝમ’ અમલી બનાવ્યું છે, જેમાં અરજદારોને ફોન કરીને તેમના પ્રશ્નોના નિકાલ અંગે સીધો પ્રતિભાવ લેવાય છે. ટેક્નોલોજીના ઉપયોગમાં બોટાદ જિલ્લો પણ આગળ રહ્યો છે, જ્યાં પોડકાસ્ટ દ્વારા વહીવટને પીપલ ફ્રેન્ડલી બનાવવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે થયેલી સર્જિકલ સ્ટ્રાઈક મુખ્ય રહી છે, જ્યાં BNSS-2023 સહિતના 17 કાયદાનો કડક ઉપયોગ કરી 15,000 મેટ્રિક ટન કોલસો જપ્ત કરી 2976 એકર જમીન મુક્ત કરાવાઈ છે. આ ઉપરાંત અલગ અલગ સ્થળોએ જાહેર સુરક્ષાને ધ્યાને રાખી ભયજનક દબાણો દૂર કરી અંદાજે 2325 કરોડ રૂપિયાની કિંમતી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. ‘સરપંચ સંવાદ’ અને ગામતળના પ્રશ્નોના નિરાકરણ દ્વારા છેલ્લાં બે વર્ષમાં 20 કરોડની 37 હેક્ટર જમીન દબાણમુક્ત કરાઈ. જામનગર જિલ્લામાં PM ગતિશક્તિ પોર્ટલ અને GIS ટેક્નોલોજીના માધ્યમથી જમીન ફાળવણીમાં સચોટતા લાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પરિણીતાને અપાયો ત્રાસ:પરિણીતાને ટાઢા પથરાની જેમ કામ કરે છે કહી ગાળાગાળી કરી
    Next Article
    હીટસ્ટ્રોક ન લાગે તેની તકેદારી:દરેક સરકારી કચેરી અને જાહેર સ્થળે છાંયા અને પાણીની વ્યવસ્થા કરવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment