Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અશાંતધારાની મંજૂરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત:"લાંચ લેનારાનો વરઘોડો કાઢો", અશાંત ધારાની 1500 ફાઈલોમાં 'વહીવટ' થયો હોવાનો ગંભીર આક્ષેપ, અશાંત ધારાના વિવાદમાં હિન્દુ સંગઠનોની ઉગ્ર માંગ

    14 hours ago

    એસ.પી.ની તપાસમાં જેનું પણ નામ ખુલશે તેના પર કાર્યવાહી થશે - કલેક્ટર ડો.મનીષ બંસલ 10 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ધરણા અને રામધૂનની ચેતવણી ​ભાવનગર શહેરમાં અશાંતધારા હેઠળ મિલકત ટ્રાન્સફરની પરવાનગી આપવામાં મોટાપાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો સાથે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ​સંગઠન દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ ભાવનગર પ્રાંત અધિકારીના ડ્રાઈવર દ્વારા મોટી રકમ લઈ અશાંતધારાની મંજૂરી અપાવી દેવાનો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા અને ટીવી માધ્યમોમાં વાયરલ થયો હતો, આ બાબતે સંગઠનના હોદ્દેદારોએ અગાઉ કલેક્ટરને મળીને તપાસની ખાતરી મેળવી હતી, પરંતુ 10 દિવસ વીતી જવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે, આ ​સંગઠનની મુખ્ય માંગણીઓ છે કે, ભ્રષ્ટાચારી તત્વોએ સત્તાનો દુરુપયોગ કરીને પોલીસ અને મામલતદારના નકારાત્મક અભિપ્રાય હોવા છતાં જે પરવાનગીઓ આપી છે, તેની ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ S.I.T. દ્વારા તપાસ કરવામાં આવે, અશાંતધારાના કાયદાનો ચુસ્તપણે અમલ થાય અને જવાબદારો સામે કાયદેસરના શિક્ષાત્મક પગલાં ભરાય, આ પત્રની નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા ધારાસભ્ય સેજલબેન પંડ્યા તથા પોલીસ અધિક્ષક ભાવનગર ઓને પણ રજુઆતની કોપી મોકલવામાં આવી છે, ​ભ્રષ્ટાચારીઓ દ્વારા કાયદા વિરુદ્ધ જઈને સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે જો તપાસમાં વિલંબ થશે તો કાયદાનું ગૌરવ જોખમાશે, ​આ રજૂઆત વખતે જિલ્લા અધ્યક્ષ ઉદયભાઈ દવે અને શહેર પ્રમુખ સંતોષભાઈ અરજાણી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા આ ગંભીર વીડિયો પુરાવા અને રજૂઆત પર શું પગલાં લેવામાં આવે છે, પૂર્વ હિન્દુ યુવા સંગઠન જિલ્લા પ્રમુખ અશોક ગોહિલએ જણાવ્યું હતું કે, ભાવનગર હિન્દુ યુવા સંગઠન તેમજ વિવિધ સંગઠનો દ્વારા અને ભાવનગરની હિન્દુ પ્રજા દ્વારા ભાવનગરના કલેક્ટરને એક આવેદન આપવાનો કાર્યક્રમ રાખેલો હતો, આવેદનનો મુખ્ય હેતુ હતો, જે 2023 ની અંદર અશાંત ધારો ભાવનગરની અંદર લાગ્યો હતો, ત્યાર પછીની ભાવનગરની અંદર 3000 ફાઈલો જે બની છે, એ ફાઈલોની અંદર એનકેન પ્રકારે નાણાકીય વહીવટ કરીને, રાજકીય લાગવગ કરીને 1500 જેવી એવી ફાઈલો છે જે પૈસા આપી, વહીવટ કરી અને જે દસ્તાવેજો થયા છે તેની પૂર્ણ ચકાસણી થાય, ​આજથી 8 દિવસ પહેલા એક ભાવનગર કલેક્ટર કચેરીના ડ્રાઈવર દ્વારા 14 લાખ રૂપિયાની જે લાંચ લીધી હતી, કલેક્ટરએ એને છૂટો કરી અને ત્યાર પછી બીજા કોઈ પગલાં લીધા હોય એવા ભાવનગરની પ્રજાની સમક્ષ નથી, તો અમારી હિન્દુ સમાજની એવી માંગણી છે કે આ જે ડ્રાઈવર છે તેની ઉપર ગુનો દાખલ થાય, એમાં જે જે જોડાયેલા હોય ઓફિસના અધિકારીઓથી માંડીને રાજકીય આગેવાનો, લાંચ લેવાવાળા અને દેવાવાળા ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને એનો પણ ભાવનગરની અંદર વરઘોડો નીકળવો જોઈએ એવી હિન્દુ સંગઠન અને ભાવનગરની હિન્દુ પ્રજાની લાગણી અને માંગણી છે, જો નહીં થાય, તો આગામી 10 દિવસ પછી ભાવનગરની કલેક્ટર કચેરીએ ભાવનગરનો હિન્દુ સમાજ ધરણા પર બેસશે અને રામધૂનનો કાર્યક્રમ કરશે. આ અંગે ભાવનગર કલેકટર ડો.મનીષ બંસલએ જણાવ્યું હતું કે, હિન્દૂ યુવા સંગઠન આવેદનપત્ર આપીને ગયા છે જેમાં વીડિયોની ઓડિયો વગેરે જે ડ્રાઇવરના વાયરલ થયા હતા, તો એના પ્રમાણે જે કન્સર્ન SDM હતા, જેમના ઉપર એલિગેશન એટલે જેમના નામે મીન્સ કે આ ચાલતું હતું, એ એસ.પી.ને એપ્લિકેશન કરી છે અને આ તપાસ એસ.પી.ને ત્યાં ચાલુ છે અને એમાં જે પણ નું નામ આવશે તો એના ઉપર મીન્સ કે કાર્યવાહી થશે, "વેરિફિકેશન એટલે કે કરવી પડે છે ને? પછી આ તપાસ થશે અને જે ડ્રાઈવરનો વીડિયો છે, તો ડ્રાઈવર તો આઉટસોર્સિંગનો હતો એટલા માટે છૂટો કરી દીધો છે આ કોઈ પરમેનેન્ટ સરકારી કર્મચારી હતો નહીં અને એમાં જે મીન્સ કે ડ્રાઈવરના બયાન લઈને, જે લાંચ આપનારના જે વીડિયો છે એનો બયાન લઈને જેનું પણ કોઈ નામ આવશે તો એના ઉપર કાર્યવાહી 100 ટકા થશે. વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ મીન્સ કે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને એમાં ક્યાં સુધી પહોંચ્યા છે, તો હું આ એટલે કે પર્સનલી એસ.પી. સાથે વાત નથી કરી કે ક્યાં સુધી પહોંચ્યા છે, પણ એની સાથે કંટીન્યુઅસ અમે લોકો ટચમાં છીએ. અને આ કહે છે કે ભાઈ 10-15 દિવસમાં તપાસ પૂરી કરીને અને જે પ્રમાણે એને એફ.આઈ.આર. માં કન્વર્ટ કરવાનો થશે તો એફ.આઈ.આર. માં કન્વર્ટ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    લીવઈન પાર્ટનરની હત્યા મામલે સુરજ ભુવાજીના જામીન રદ:યુવતીની હત્યા કરી પેટ્રોલ છાંટી લાશને સળગાવી નાખી'તી, હાઈકોર્ટે જામીન આપતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો
    Next Article
    હિંમતનગરમાં ચૈત્ર નવરાત્રીની શોભાયાત્રા નીકળી:શહેરના વિવિધ માર્ગો પર ફરી, ભક્તો મોટી સંખ્યામાં જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment