Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1500 કેદીઓએ નશામુક્તિનાં શપથ લીધા:રાજકોટ મધ્યસ્થ જેલમાં નશામુક્ત અભિયાન અંતર્ગત કેદી જાગૃતિ સેમિનાર યોજાયો, સનાતન સંત સમિતિના અધ્યક્ષ હાજર રહ્યા

    9 hours ago

    રાજકોટ મધ્યસ્થ જેલમાં ભારત સરકારના યુવા અને રમત ગમત મંત્રાલય તેમજ સુફી ઇસ્લામિક બોર્ડના સહયોગથી ‘નશામુક્ત અભિયાન કેદી જાગૃતિ સેમિનાર’નું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ 2047 સુધીમાં ભારતને નશામુક્ત બનાવવાના સ્વપ્નને સાકાર કરવાના ભાગરૂપે 2 ઓગસ્ટથી દેશભરમાં વિવિધ NGO દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 1500 થી વધુ બંદીવાન ભાઈઓને નશાથી થતા શારીરિક અને સામાજિક નુકસાન અંગે વિગતવાર માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા. તમામ બંદીવાનોએ જીવનમાં ક્યારેય નશો ન કરવાના શપથ પણ લીધા હતા. આ પ્રસંગે જેલ પોલીસ અધિક્ષક, પૂર્વ કુલપતિ, કાયદાના નિષ્ણાતો, સુફી અનવર શેખ અને વિવિધ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર જેલ અધિક્ષક વિરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નશામુક્ત ભારતના અભિયાનને આગળ ધપાવવા માટે જેલમાં બંદીવાન ભાઈઓ સાથે ચર્ચા કરી નશાથી થતી તકલીફો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જેમાં અનેક કેદીઓએ નશો નહીં કરવાના શપથ લીધા છે. આ અભિયાનને સતત વેગવંતું રાખવામાં આવશે. રાજકોટ મનપા દ્વારા ભરચોમાસામાં આજી અને ન્યારી ડેમ માટે સૌની યોજનાના પાણીની માંગ કરાઈ રાજકોટ મહાનગરમાં ચાલુ વર્ષે સંતોષકારક વરસાદ ન પડતાં શહેરના મુખ્ય જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ નથી. હાલ 29 ફૂટે ઓવરફ્લો થતા આજી-1 ડેમની સપાટી 22.23 ફૂટ છે અને તેમાં 464.20 એમસીએફટી પાણી ઉપલબ્ધ છે. જ્યારે 25.10 ફૂટની ઊંડાઈ ધરાવતા ન્યારી-1 ડેમની સપાટી 16.20 ફૂટ છે અને તેમાં 473.02 એમસીએફટી પાણીનો જથ્થો છે. વર્તમાન દૈનિક વિતરણ વ્યવસ્થા મુજબ બંને ડેમ આગામી 10 સપ્ટેમ્બર સુધી જ સાથ આપી શકે તેમ છે. અગાઉ મંજૂર કરાયેલા 400-400 એમસીએફટી જથ્થામાંથી આજી-1 ડેમમાં 300 એમસીએફટી અને ન્યારી-1 ડેમમાં 275 એમસીએફટી પાણી ઠાલવ્યા બાદ વરસાદની શક્યતા જણાતાં પમ્પિંગ બંધ કરાયું હતું. પરંતુ હવે વરસાદ ખેંચાતાં આજીમાં બાકી રહેલ 100 એમસીએફટી અને ન્યારીમાં 125 એમસીએફટી નર્મદાનું પાણી સૌની યોજના અંતર્ગત તત્કાલ છોડવા માટે મહાપાલિકા દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે. રાજકોટના લોકમેળાના સ્ટોલ અને પ્લોટનો કબ્જો આગામી સપ્તાહમાં વેપારીઓને સોંપાશે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાનાર જન્માષ્ટમીના લોકમેળા માટે સ્ટોલ અને પ્લોટના ડ્રો તથા હરરાજીથી રૂ. 3 કરોડથી વધુની આવક થયા બાદ હવે વેપારીઓને કબ્જો સોંપવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સંભવતઃ આગામી સપ્તાહમાં વેપારીઓને સ્ટોલ અને પ્લોટનો કબ્જો સોંપી દેવાશે, જ્યારે વધારાના 11 ખાણી-પીણીના સ્ટોલ આગામી 2 થી 3 દિવસમાં ફાળવવામાં આવશે. આ સિવાય મેળા માટે શોર્ટલીસ્ટ કરાયેલી 200 એન્ટ્રીઓમાંથી આકર્ષક નામ પસંદ કરી ટૂંક સમયમાં જાહેર કરાશે. મેળામાં ઉમટતી લાખોની જનમેદનીને ધ્યાને રાખીને તંત્ર દ્વારા સુરક્ષા, પાર્કિંગ, પીવાનું પાણી અને સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. સુરક્ષાના ભાગરૂપે ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરા, વોચટાવર અને ફાયર સેફટીનું માઇક્રોપ્લાનિંગ કરાયું છે. સાવચેતી માટે 2 કોરિડોર તૈયાર કરવામાં આવશે, જેના પર સીસીટીવી દ્વારા નજર રખાશે. લોકમેળાની વ્યવસ્થા માટે રેવન્યુ કર્મચારીઓના ઓર્ડર પણ ટૂંક સમયમાં ઈશ્યુ કરાશે. ધારાસભ્ય દર્શિતા શાહે સિવિલ હોસ્પિટલની મુલાકાતે, દર્દીઓના સગા સાથે યોગ્ય કાઉન્સિલિંગ કરવા આદેશ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય દર્શિતા શાહે મુલાકાત લીધી હતી. આ વિઝિટ દરમિયાન તેમણે હોસ્પિટલની વ્યવસ્થા અને આયોજન અંગે સુપ્રિન્ટેન્ડેન્ટ મોનાલી માકડીયા તથા વિવિધ વિભાગોના વડાઓ સાથે વિગતવાર પરામર્શ કર્યો હતો. તેમણે પ્રથમ ઈમરજન્સી અને ICU વોર્ડની મુલાકાત લઈ દર્દીઓની સ્થિતિ જાણી હતી. દર્દીઓના સગા સાથે યોગ્ય કાઉન્સિલિંગ કરવા રેસિડેન્ટ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત, શૌચાલયમાં સુધારા-વધારા કરવા માટે PIU વિભાગને નિર્દેશ આપ્યા હતા અને ICU વોર્ડમાં બેડની સંખ્યા વધારવા અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ OPD બિલ્ડિંગમાં કેશબારી અને દવાબારીની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. અંતમાં સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસ ખાતે બેઠક યોજી ઘટતી સુવિધાઓ તથા સાધનો અંગે માહિતી મેળવી હતી અને તેને વહેલી તકે પૂર્ણ કરાવવા સરકારમાં રજૂઆત કરવા ખાતરી આપી હતી. કલેક્ટર ઓમપ્રકાશે ખાખીજાળીયા ગામ અને ઉપલેટા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશે ખાખીજાળીયા ગામ અને ઉપલેટા પોલીસ સ્ટેશનની સ્થળ મુલાકાત લઈ વિવિધ કામગીરીની સઘન સમીક્ષા કરી હતી. આ ગામની મુલાકાત દરમિયાન તેઓએ ગ્રામ પંચાયતના દફતરની તપાસ કરીને પંચાયત મકાનની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. કલેક્ટરે ગામના વિકાસ, શિક્ષણ સુવિધા, આંગણવાડી તથા સ્થાનિક બાબતો પર સમીક્ષા કરવા સાથે વરસાદની સ્થિતિ, વસ્તી અને ખેડૂતો દ્વારા લેવાતા વિવિધ પાકો અંગે જાણકારી મેળવી હતી. આ તકે તેમણે હાજર અરજદારો સાથે રૂબરૂ વાતચીત કરી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. બાદમાં કલેક્ટર ઓમપ્રકાશે ઉપલેટા પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ તેના નિયત રજિસ્ટરો, હિસ્ટ્રીશીટરોની માહિતી અને બિલ્ડિંગની વિગતોની બારીકાઈથી તપાસ કરી હતી. પ્રોહિબિશન સંબંધિત કેસોમાં આરોપીઓ સામે વધુ રકમના જામીન લેવા તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    કડી નજીક મશીનમાં આવી જતા યુવકે બંને પગ ગુમાવ્યા:કોન્ટ્રાક્ટરના કહેવાથી ઈજાગ્રસ્તના ભાઈએ પોલીસને ખોટું નિવેદન આપ્યું, પીડિતના નિવેદનથી ભાંડો ફૂટ્યો
    Next Article
    કોઠારીયામાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત:3 લાખ લીટરનો ટાંકો છતાં 45 સોસાયટીના રહીશો ગંદુ પાણી પીવા મજબૂર, કોંગ્રેસ આગેવાને કહ્યું-મોટી વાતો થાય છે કામ થતા નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment