Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘેડમાં રસ્તા-ફાટક અને નદીના પાળા મુદ્દે ખેડૂતોનો આક્રોશ:​એરપોર્ટ વિસ્તરણ અને બંધ ફાટકથી હંટરપુર-બળોદરના ખેડૂતો પરેશાન: મેંઘલી નદીનો પાળો તૂટતાં 1500 કરોડના પેકેજ સામે ખેડૂતોએ ઉઠાવ્યા સવાલો

    10 hours ago

    ​કેશોદ, બળોદર અને ફાગરી સહિતના સીમાડાના વિસ્તારોમાં એરપોર્ટના વિસ્તરણ અને રેલવે ફાટક રાત્રે બંધ કરી દેવાતા સ્થાનિક ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સરકારી રેકોર્ડ પર ઉપલબ્ધ 33 ફૂટનો અગતરાઈથી મેસવાણનો પરંપરાગત રસ્તો બંધ હોવાથી ખેડૂતોને વાડીએ કે કેશોદ જવા ફાગરી થઈને 15 કિલોમીટર લાંબો ફેરો કરવો પડે છે, જેના કારણે કટોકટીના સમયે કે બીમારીમાં દવાખાને પહોંચવું અશક્ય બન્યું છે. આ ઉપરાંત મેંઘલી નદીનો મોટો સંરક્ષણ પાળો તૂટી જતાં 15 થી 20 ખેડૂતોની જમીન અને પાક ધોવાઈ જવાનું મોટું જોખમ ઊભું થયું છે. ચોમાસું માથે હોવા છતાં તંત્ર દ્વારા સમારકામ કરાયું નથી અને નદીમાં બાવળો સાફ કરવાનું કામ પણ 2 વર્ષથી અટકેલું છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા રૂ. 1500 કરોડના મોટા રાહત પેકેજનો કોઈ ઉપયોગ દેખાતો ન હોવાથી ખેડૂતોમાં વહીવટી ઉદાસીનતા સામે ભારે રોષ છે. જો બે-ચાર દિવસમાં પ્રશ્નો હલ નહીં થાય તો 100 ગામડાંના ખેડૂતો ભેગા થઈ ઉગ્ર આંદોલન કરશે. ​કેશોદના રહીશ ભીખુભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે સીમાડે આવેલું આ ફાટક વર્ષો જૂનું છે અને પહેલાં 24 કલાક ખુલ્લું રહેતું હતું, પરંતુ હવે રાતના 7 થી સવારના 7 વાગ્યા સુધી બંધ કરી દેવાય છે. આ મેસવાણ કેશોદના સીમાડાનો 33 ફૂટનો રસ્તો એકદમ સાંકડો અને ખરાબ થઈ ગયો હોવાથી, સરકાર નવો રસ્તો આપવાને બદલે આ જૂના રેકોર્ડ પરના રસ્તાને જ માપીને ખુલ્લો કરે અને ડામર કે સિમેન્ટનો પાકો રોડ બનાવી આપે તેવી અમારી નમ્ર વિનંતી છે. ​હંટરપુર ગામના સરપંચ મુનાભાઈએ જણાવ્યું હતું કે, નદીનો પાળો એવી રીતે તૂટ્યો છે કે તેમાંથી નકરા પથ્થરો નીકળી ગયા છે અને ગરીબ ખેડૂતો પાસે જાતે રિપેરિંગ કરવાના પૈસા નથી. ગયા વર્ષથી અત્યાર સુધી ઇરિગેશન વિભાગ સહિત ઉપરથી નીચે સુધી ઘણી રજૂઆતો કરી છતાં હજુ સુધી કોઈ અધિકારી જોવા સુદ્ધાં આવ્યા નથી કે 1 ડમ્પર માટી પણ નાખી નથી, જેથી ચોમાસું માથે હોવા છતાં આ કામ ક્યારે પૂરું થશે તે મોટો સવાલ છે. ​બળોદર ગ્રામના સરપંચના પ્રતિનિધિ દિલીપભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, એરપોર્ટ લંબાવાને કારણે ખેડૂતોને કોઈ બીમાર પડે ત્યારે રાતે આવવા-જવા માટે 13-14 કિલોમીટર ફરવું પડે છે અને રેલવેવાળા ઓર્ડર વિના ફાટક ખોલતા નથી. જો આવી ભયંકર સ્થિતિમાં માણસ મરી જાય તો જવાબદાર કોણ? અગતરાઈથી મેસવાણનો બંધ પડેલો 33 ફૂટનો જૂનો રસ્તો જો સરકાર સંપાદન કરીને ચાલુ કરી દે તો કેશોદ માત્ર 5 થી 6 કિલોમીટરમાં આવી જાય, જેના માટે ખેડૂતો જમીન આપવા પણ તૈયાર છે. ​ટીંબા વાનાભાઈ હાથિયા એ જણાવ્યું હતું કે, મેંઘલી નદીનો પાળો તૂટવાથી ખેડૂતોને અતિશય નુકસાન થઈ રહ્યું છે છતાં કોઈ રાજકારણી કે અધિકારી ધ્યાન આપતા નથી. સરકારે 1500 કરોડનું પેકેજ જાહેર તો કર્યું પણ એ ક્યાં વાપરવાનું છે તેની કોઈને khabar નથી, કારણ કે ખેડૂતોના હિતમાં કોઈ કામ કરવા માટે કોઈ અધિકારી અહીં ડોકાતો પણ નથી. ​ફાગળી ગામના ખેડૂત નાનજીભાઈ દેવધરિયાએ જણાવ્યું હતું કે, એરપોર્ટ વધવાને લીધે ગામનો મુખ્ય રસ્તો ખોરવાઈ ગયો છે અને 33 ફૂટનો જાહેર માર્ગ સકોડાઈ ગયો છે. વાડીએથી કેશોદ જવા 15 કિલોમીટરનો ધક્કો થાય છે, તેથી રાત્રિના સમયે દવાખાનાની સગવડતા માટે આ ફાટક કાયમી ખુલ્લું રાખી રસ્તો મોટો કરવામાં આવે તેવી અમારી માંગ છે. ​ખેડૂત વિરમભાઈ પાતાએ જણાવ્યું હતું કે નદીમાં બાવળો કાઢવાનું કામ થયું નથી અને દલિત સમાજના ખેડૂતનો પાળો તૂટતાં 15 થી 20 ખેડૂતો મુશ્કેલીમાં છે. અધિકારીઓ ગ્રાન્ટ કે મશીનરી નથી તેવા બહાના કાઢે છે, તો સરકારના 15 કરોડ રૂપિયા ક્યાં ગયા? જો આગામી દિવસોમાં ઘેડ વિસ્તારના 100 ગામડાંના ખેડૂતોના આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે, તો અમે સાંસદ મનસુખ માંડવિયા, ધારાસભ્ય અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી રૂબરૂ રજૂઆત કરી ન્યાય માંગીશું. ​કેશોદના ઇન્ચાર્જ પ્રાંત અધિકારી કિશન ગરસરે આ અંગે જણાવ્યું હતું કે, કેશોદ એરપોર્ટના વિસ્તરણને કારણે 2 રસ્તાઓ બંધ થયા હતા, જેના વિકલ્પરૂપે એરપોર્ટની ફરતે નવા રસ્તા માટે સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. હાલમાં લોકોને તકલીફ ન પડે તે માટે માટી-મોરમનું કામ કરી દેવાયું છે. આ ઉપરાંત, ફાટકથી થઈને એલપીજી ગોડાઉન પાસે નીકળતા અન્ય 1 રસ્તા માટે પણ સંપાદનની પ્રોસેસ ચાલુ છે, જેથી ભવિષ્યમાં લોકોને કેશોદ આવવા-જવા માટે સારો અને પાકો રસ્તો મળી રહે તેવા તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બે દિવસમાં 100 મીટર દોડનો નેશનલ રેકોર્ડ ત્રણ વખત તૂટ્યો:મોદીએ કહ્યું- ગરમીથી બચવા માટે છાશ, લસ્સી જેવા દેશી પીણાં પીતા રહો, 1000 વર્ષ જૂના તામ્ર પત્રો નેધરલેન્ડથી લાવવામાં આવ્યા
    Next Article
    ગોધરામાં ST બસની ટક્કરે યુવકનું મોત:CCTV ફૂટેજ સામે, પરિજનોનો પોલીસ પર આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment