Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારાસભ્યની રજૂઆત ફળી:વિરપુર – કરકોલીયા માર્ગ 1.50 કરોડ રૂપિયાના ખર્ચે રીસર્ફેસ થશે

    13 hours ago

    લાઠી તાલુકાના વિરપુર અને કરકોલીયા ગામોને જોડતો મહત્વનો માર્ગ હવે નવા રૂપમાં દેખાશે. લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્યના પ્રયત્નો અને રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી રજૂઆતોના પરિણામે વિરપુર–કરકોલીયા રોડના રીસર્ફેસિંગ માટે રૂપિયા 1.50 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. લાઠીના વિરપુર-કરકોલીયા માર્ગ આસપાસના અનેક ગામો માટે મુખ્ય અવરજવરનો રસ્તો ગણાય છે. આ માર્ગ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં હોવાને કારણે વાહનચાલકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને ચોમાસા દરમિયાન સ્થિતિ વધુ વિકટ બનતી હતી. આ પ્રશ્નને ગંભીરતાથી લઈ ધારાસભ્ય જનક તળાવીયાએ રાજ્ય સરકાર અને માર્ગ-મકાન વિભાગ સમક્ષ વારંવાર રજૂઆત કરી હતી. જેના પગલે સરકાર દ્વારા આ માર્ગના સુધારણા માટે રૂપિયા 1.50 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. મંજૂર થયેલી ગ્રાન્ટ હેઠળ રોડનું સંપૂર્ણ રીસર્ફેસિંગ કરવામાં આવશે. માર્ગની ગુણવત્તા સુધરતા વાહન વ્યવહાર વધુ સુરક્ષિત અને સરળ બનશે. સાથે જ ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનો સંપર્ક પણ મજબૂત બનશે અને લોકોનો સમય તેમજ ઈંધણનો ખર્ચ પણ ઘટશે.
    Click here to Read More
    Previous Article
    મારામારી:હરસુરપુર દેવળીયામાં બાઈક ચલાવવાની બાબતે મારામારી
    Next Article
    પ્રિય અન્નદાતા:પ્રાકૃતિક ખેતીથી સીતાફળનું સારૂ ઉત્પાદન મેળવી શકાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment