Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમીન ચકાસણી રિપોર્ટથી ખાતરનો ખર્ચ ઘટશે:આગામી ચોમાસું સિઝનને લઇ પિલવાઈ પ્રયોગશાળામાં‎ ચકાસણી શરૂ, માત્ર રૂ. 15માં માટી અને પાણીનું પૃથ્થકરણ

    6 days ago

    ખેતીમાં રાસાયણિક ખાતરોનો આડેધડ વપરાશ ઘટાડવા અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવાના હેતુથી વિજાપુર તાલુકાના પિલવાઈ ખાતે જમીન ચકાસણી પ્રયોગશાળા સેમ્પલીંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રયોગશાળાનો લાભ મહેસાણા તેમજ પાટણ જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારો લઈ શકશે. ખેડૂતો પોતાના ખેતરની માટી અને સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતા પાણીના નમૂનાનું અહીં વૈજ્ઞાનિક પરીક્ષણ કરાવી શકશે. જમીન ચકાસણી દ્વારા ખેડૂતોને ખ્યાલ આવશે કે તેમની જમીનમાં કયા પોષક તત્વોની ઉણપ છે, જેથી તેઓ જરૂરિયાત મુજબનું જ ખાતર નાખીને ખેતી ખર્ચમાં મોટો ઘટાડો કરી શકશે. તેમજ પાકની ગુણવત્તા પણ સુધારી શકશે. ખેડૂતોએ નિયમ મુજબ માટી કે પાણીનો નમૂનો એકત્ર કરી પિલવાઈ સ્થિત મદદનીશ ખેતી નિયામકની કચેરી, જમીન ચકાસણી પ્રયોગશાળા ખાતે પહોંચાડવાનો રહેશે. ત્યાર બાદ લેબોરેટરી દ્વારા રિપોર્ટ તૈયાર કરી આપવામાં આવશે. જેના માટે સરકારના ધારાધોરણ મુજબ નમૂના દીઠ માત્ર રૂ.15 ફી ભરવાની રહેશે. જમીન અને પાણીના નમુના લેવા ગ્રામસેવકની પણ મદદ લઇ શકાશે. મદદનીશ ખેતી નિયામક (જમીન ચકાસણી પ્રયોગશાળા) દ્વારા જણાવાયું છે કે, જમીન અને પાણીની ગુણવત્તા જાણીને ખેતી કરવાથી ખાતરનો સપ્રમાણ ઉપયોગ થશે. આનાથી જમીનનું સ્વાસ્થ્ય જળવાશે અને ખેડૂતોની ખેતી વધુ નફાકારક બનશે. ભાસ્કર નોલેજ - રિપોર્ટથી જમીનના મુખ્ય 5 અને પાણીના મુખ્ય બે તત્વોની સ્થિતિ જાણી શકાશે જમીન અને પાણીના રિપોર્ટથી ખેડૂતોને મુખ્ય તત્વોની સ્થિતિ વિશે જાણકારી મળી રહેશે. માટીના નમુનાથી ખેડૂતની જમીનમાં નાઇટ્રોજન, ફોસફરસ, પોટાશ, ઓર્ગેનિક કાર્બન, પીએચ અને ઇસીની માત્રા કેટલી છે જાણકારી મળી રહેશે. રિપોર્ટમાં જે તત્વોનું પ્રમાણ વધુ આવે તે તત્વોના ખાતરોનો ઉપયોગ ટાળવો કે ઓછો કરવાનો રહેશે. અને જે તત્વોની માત્રા ઓછી આવી તો તે તત્વોના ખાતરનો ઉપયોગ કરવાનો રહેશે. જેને લઇ ખેડૂતોનો ખાતર પાછળનો આડેધડ ઉપયોગ અને ખર્ચ બંને ઘટશે. જેની સીધી અસર જમીનની ફળદ્રુપતા પર થશે. બીજી તરફ પાણીમાં રહેલાં પીએચ અને ઇસી તત્વની માહિતી મળશે. જેને લઇ ખેડૂતો જે પાણીનો ઉપયોગ કરી રહ્યા છે તે પિયત લાયક છે કે કેમ તેનો ખ્યાલ આવી શકશે.
    Click here to Read More
    Previous Article
    5 લાખથી વધુ લોકો માટે સુવિધા:પેન્શનરોને પોસ્ટમેન ઘરેબેઠાં હયાતીની ખરાઇનું પ્રમાણપત્ર બનાવીને આપશે
    Next Article
    સન્ડે ફોટો સ્ટોરી:કમાટીબાગમાં વિશ્વામિત્રીના કિનારે ભૂસ્ખલન બાદ આખરે 200 મીટર લાંબી અને 10 મીટર ઊંચી રિટેઇનિંગ વોલનું નિર્માણ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment