Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અવાજ વગર જ લાશો ઢાળી દેત આ ઝેરી ગેસ:જૈશ-એ-મોહમ્મદના આતંકીઓનો છાણ, મકાઈ લોટ, મટન અને કેમિકલથી 15 દિવસમાં ઘાતક વેપન તૈયાર કરવાનો હતો પ્લાન

    4 days ago

    ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા બનાસકાંઠાના પાલનપુર અને પાટણના સિદ્ધપુર વિસ્તારમાંથી પકડાયેલા જૈશ-એ-મોહમ્મદના 13 આતંકવાદીઓની તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે. આ આતંકીઓ ગુજરાતમાં કોઈ મોટી આત્મઘાતી ઘટનાને અંજામ આપવા માટે સિદ્ધપુર નજીક 8 વખત બોમ્બ બ્લાસ્ટનું ટેસ્ટિંગ તો કરતા જ હતા. તે સિવાય આતંકીઓએ જુદા-જુદા પુસ્તકોના આધારે ઝેરી વાયુ બનાવવા માટે નવી પદ્ધતિ વિકસાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. કાચની બરણીમાં મોતનો સામાન તૈયાર કરતા પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે, ઝડપાયેલા 13 આતંકવાદીઓ પૈકી 5 આતંકીઓ સીધા પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ અને સંગઠનના આકાઓ સાથે સતત સંપર્કમાં હતા. તેમની પાસેથી જૈશના મુખિયા મૌલાના અઝહર મસૂદને લખવામાં આવેલા પત્રો પણ મળી આવ્યા છે. આ આતંકીઓએ પાકિસ્તાની આકાઓના પુસ્તકો અને સામગ્રીના આધારે ઝેરી ગેસ બનાવવાની તાલીમ મેળવી હતી. આતંકીઓ કાચની એક હવાચુસ્ત બરણીમાં છાણ, મકાઈનો લોટ, મટનના ટુકડા અને કેટલાક ઘાતક કેમિકલ્સ મિક્સ કરી તેને 15 દિવસ સુધી જમીનની નીચે દાટી રાખતા હતા. આ પ્રક્રિયાથી બરણીની અંદર જીવલેણ ગેસ તૈયાર થતો હતો. જોકે, આ કેમિકલ વેપનનો ઉપયોગ તેઓ કયા ચોક્કસ ટાર્ગેટ પર કરવાના હતા તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. મદરેસાઓમાં બ્રેઇનવોશિંગ અને દેશવિરોધી સાહિત્યનું વિતરણ પૂછપરછ દરમિયાન એવી ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે કે, આતંકવાદી સંગઠન દ્વારા મોકલવામાં આવેલી સામગ્રીના આધારે 43 પુસ્તિકાઓ તૈયાર કરવામાં આવી હતી, જેનું જુદી-જુદી મદરેસાઓમાં ગુપ્ત રીતે વિતરણ કરવામાં આવતું હતું. આ આતંકીઓ મદરેસાઓમાં ભણતા માસૂમ કિશોરો અને તરુણોને ટાર્ગેટ કરતા હતા. જે યુવાનોમાં સહેજ પણ ઉગ્રવાદી માનસિકતા દેખાય, તેને ખાસ ‘દાવત’ (ભોજન સમારંભ)ના બહાને બોલાવી દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકના રસ્તે ધકેલવા માટે બ્રેઇનવોશ કરવામાં આવતું હતું. કાશ્મીરમાં લીધી હતી ટ્રેનિંગ ધરપકડ કરાયેલા આતંકીઓ પૈકી કેટલાક શાતિર તત્વો જમ્મુ-કાશ્મીર જઈને ઘાતક હથિયારો ચલાવવાની સઘન તાલીમ લઈને પરત ફર્યા હતા. તેમણે આગામી વર્ષોમાં ગુજરાતમાં બ્લાસ્ટ કરવા માટે વડોદરા અને ભરૂચ સહિતના વિસ્તારોમાં ગુપ્ત બેઠકો યોજી હોવાનું પણ સામે આવ્યું છે. આ નેટવર્કનો મુખ્ય આકા અમદાવાદ આસપાસના વિસ્તારોમાં મોટો ગાર્ડન ધરાવતી હોટલોમાં રોકાઈને નેટવર્ક ઓપરેટ કરતો હતો, જેની શોધખોળ ચાલુ છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) રાજ્યવ્યાપી નેટવર્કને તોડવા કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવાશે જૈશના આ મોડ્યુલના તાર માત્ર ગુજરાત પૂરતા સીમિત ન હોઈ, તેનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક હોવાની આશંકા સેવાઈ રહી છે. ગુજરાત ATSએ આ મામલે કેન્દ્રીય એજન્સીઓ અને અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન સાધી તપાસનો વ્યાપ વધાર્યો છે. અમદાવાદના એક શંકાસ્પદ યુવકને અટકાયતમાં લઈ પૂછપરછ શરૂ કરાઈ છે કે, તેણે કયા સંવેદનશીલ સ્થળોની રેકી કરી હતી. આ ઉપરાંત ભરૂચ, વડોદરા, અંકલેશ્વર અને સુરતની કેટલીક શંકાસ્પદ સંસ્થાઓ અને ત્યાં રહેતા યુવકોની ગતિવિધિઓ પર પણ એજન્સીઓએ કડક વોચ ગોઠવી દીધી છે. આ પણ વાંચો એરંડામાંથી બનતું રાઇઝિન કેવી અસર કરે?:કેમેસ્ટ્રી અને બાયોલોજીના એક્સપર્ટે જણાવી ઝેરની ઘાતકતા ગુજરાતમાંથી ISISના 3 આતંકી ઝડપાયા પછી રાઇઝિન ઝેરની ઘણી ચર્ચા થઇ. આતંકીઓ આ ઝેરનો ઉપયોગ કરી મોટેપાયે લોકોને મારી નાખવા માગતા હતા. સાયનાઇડ કરતાં પણ વધુ ખતરનાક ગણાતું આ ઝેર આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પ્રતિબંધિત છે. આ ઝેરને કેમિકલ વેપન્સ કન્વેન્શન એક્ટ 2000 હેઠળ કેમિકલ વોરફેર એજન્ટ ગણવામાં આવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3 જુલાઈઃ જૈશના 8 આતંકી ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા 3 જુલાઈએ ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીની ધરપકડ કરી હતી. આ શખસો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા. જે અંગેની બાતમી એટીએસને મળતા અલગ-અલગ 5 ટીમો બનાવીને મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ATS ટીમોએ ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને મધ્યપ્રદેશના દેવાસમાંથી 8 શખસની ધરપકડ કરી હતી. ત્યારબાદ ATSએ આતંકીઓની પૂછપરછ કરી હતી, જેમાં વધુ પાંચના નામ ખુલતા 16 જુલાઈએ ધરપકડ કરાઈ છે. તપાસમાં આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા હોવાનો એટીએસએ ઘટસ્ફોટ કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 'ખૂલ્લેઆમ કાફિરો કો મારેંગે, ફીર શરિયત હોગા', બે આતંકી ઝડપાયા 21 એપ્રિલ 2026ના ગુજરાત ATSએ કટ્ટરપંથી વિચાર ધરાવતા બે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું રચી ગઝવા એ હિન્દની સ્થાપના કરવાનું વિચારીને હુમલો કરવાની તૈયારી કરતા હતા. આરોપી આંતકવાદીઓ બોમ્બ બનાવવાની તૈયારીમાં હતા, દેશ વિરોધી પ્રવૃત્તિઓની ચેટ પણ મળી આવી હતી. જેમાં આરોપીએ લખ્યું છે કે, ખૂલ્લેઆમ કાફિરો કો મારેંગે, ફીર શરિયત હોગા. આરોપીઓ પાસેથી વાંધાજનક સાહિત્ય પણ મળી આવ્યા હતાં. (વાંચો સંપૂર્ણ સમાચાર) NIAએ 3 ISIS આતંકવાદી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી, મોટા આતંકી હુમલાનો ઈરાદો હતો 6 મે 2026ના નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ જાહેર સ્થળોએ નિર્દોષ લોકો પર સામૂહિક ઝેર આપવાના લક્ષ્ય સાથે જેહાદી બાયો-ટેરરિઝમ કાવતરામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. મુખ્ય આરોપી હૈદરાબાદ સ્થિત ડો. સૈયદ અહેમદ મોહિયુદ્દીન અને ઉત્તર પ્રદેશના અન્ય બે સહ-આરોપીઓ આઝાદ અને મોહમ્મદ સુહેલ વિરુદ્ધ અમદાવાદ સ્થિત NIAની સ્પેશિયલ કોર્ટમાં UAPA એક્ટ, BNS અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. એરંડાના બીજમાંથી સાઇનાઇડથી વધુ ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ કરી મોટા આતંકી હુમલાનો ઈરાદો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર) પાકિસ્તાનમાં 'ઓપરેશન ધુરંધર' ચાલુ:જૈશ-એ-મોહમ્મદનો ટોચનો કમાન્ડર મૌલાના સલમાન અઝહર ખતમ 30 એપ્રિલ 2026ના પાકિસ્તાનના બહાવલપુરથી મોટા સમાચાર સામે આવ્યા હતા. આતંકવાદી સંગઠન લશ્કર-એ- તૈયબા અને જૈશ-એ- મોહમ્મદના ટોચના કમાન્ડર મૌલાના સલમાન અઝહરનું શંકાસ્પદ મોત થયું હતું. શરૂઆતના રિપોર્ટ મુજબ સલમાન અઝહરનું મોત અકસ્માતે થયું. તે બહાવલપુરમાં તેના સંગઠનના માણસો સાથે ચાલીને જઈ રહ્યો હતો ત્યારે પૂરઝડપે ધસી આવેલી કારે તેને ઊડાડી દીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે મૌલાના સલમાન અઝહરનું સ્થળ પર જ મોત થયું. માનવામાં આવે છે કે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર પછી પણ 'ઓપરેશન ધુરંધર' ચાલી રહ્યું છે અને આ તેનો જ ભાગ હોઈ શકે છે. જૈશના નવેસરથી ઊભા માળખાંને પણ નષ્ટ કરવામાં આવી રહ્યું છે. બે દિવસ પહેલાં 27 એપ્રિલે ખૈબર પખ્તુનખ્વાહના જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર યુસુફ આફરીદીને ગોળીઓ મારીને શરીર ચારણી કરી દેવામાં આવ્યું હતું. આ બંને ઘટના નવી નથી. પહેલગામ હુમલા પછી 11 આતંકીઓ માર્યા ગયા છે અને તેના કારણે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના પાયા હચમચી ગયા છે. જોકે પાકિસ્તાન સરકાર જૈશે આ બાબતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.(વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    60 સેકન્ડ કૂતરાના રૂપમાં યમરાજ દેખાયા!:લિફ્ટમાં છોકરી પર અચાનક કૂતરો તૂટી પડ્યો, માલકણે પૂરી તાકાત લગાવી પણ કાબૂમાં ન આવ્યો; VIDEO જોતાં જ ધબકારો ચૂકી જશો
    Next Article
    સ્માર્ટ સિટી સુરતને પૂરમાં ધેકલતું સારોલી ખાડી કૌભાંડ:કલેક્ટર-મ્યુ.કમિશનરને રજૂઆત કરી છતાં એક વર્ષથી તંત્ર કુંભકર્ણની નિદ્રામાં, જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment