Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિહારના 15 જિલ્લામાં પૂર, 49.67 લાખ પ્રભાવિત:કેદારનાથ યાત્રા ત્રીજા દિવસે પણ અટકી, 500 યાત્રીઓ ફસાયા; યુપી-રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

    7 hours ago

    બિહારમાં 15 જિલ્લામાં 49.67 લાખથી વધુ લોકો પ્રભાવિત છે. ઉત્તર બિહારમાં નદીઓ લાલ નિશાનથી ઉપર વહી રહી છે. રાજ્યની 5 નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. હવામાન વિભાગે આજે પ્રદેશના 22 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડમાં કેદારનાથ પગપાળા માર્ગ પર ચીરબાસા પાસે પહાડી પરથી સતત પથ્થરો પડવાને કારણે કેદારનાથ યાત્રા ત્રીજા દિવસે પણ બંધ છે. સુરક્ષા દળોના જવાનોએ લગભગ 7 હજાર યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢીને ગૌરીકુંડ તરફ મોકલી દીધા છે. હાલમાં 500થી વધુ લોકો ફસાયેલા છે. રસ્તામાં ઠેર ઠેર ઘોડા-ખચ્ચરોના મૃતદેહ પણ પડેલા દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગે યુપીના 72 જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનમાં 17 સપ્ટેમ્બર સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. હરિયાણાના 8 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. પંજાબના 18 જિલ્લામાં આજે વરસાદની સંભાવના છે. સેટેલાઇટ મેપમાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં જિમ ટ્રેનરની 15 રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા:ચારમાંથી 2 ગોળી માથામાં વાગી; હિમાંશુ ભાઉ ગેંગે જવાબદારી લીધી
    Next Article
    CBSE Starts Month-Long Board Exam Preparation Programme For Class 10, 12 Students

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment