Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉદ્યોગમાં કાપ કે વેકેશન?, ગૂગલ ફોર્મ દ્વારા મંતવ્ય મંગાયા:સુરત ટેક્સટાઇલના 15% કારીગરો વતન રવાના; કારખાના એક પાળીમાં ચલાવવા કે અઠવાડિયે 2 રજા રાખવી તેની ચર્ચા

    3 days ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે સુરતના કાપડ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ખાસ કરીને દુબઈ ખાતે થતું કાપડનું એક્સપોર્ટ સંપૂર્ણપણે બંધ થઈ જતાં વિવર્સની હાલત કફોડી બની છે. કાચા માલ તરીકે વપરાતા યાર્નના ભાવોમાં અચાનક મોટો ઉછાળો આવતા ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો છે. બીજી તરફ મોંઘા ભાવનું કાપડ ખરીદવા બજારમાં કોઈ ગ્રાહક તૈયાર નથી અને કારીગરોનું પલાયન રોકવું પણ મુશ્કેલ બની રહ્યું છે. અત્યારે ઉદ્યોગ જગત ત્રણ તરફી માર સહન કરી રહ્યું છે. આ ગંભીર સ્થિતિમાં ઉદ્યોગને ટકાવી રાખવા માટે ફેડરેશન ઓફ વ્યુઅર્સ એસોસિએશન દ્વારા તમામ વિવર્સ પાસે ગૂગલ ફોર્મ દ્વારા મંતવ્યો મંગાવવામાં આવ્યા છે. જેમાં કારખાના એક પાળીમાં ચલાવવા, સપ્તાહમાં બે દિવસ રજા રાખવી કે એક મહિનો વેકેશન જાહેર કરવું તે અંગે મંથન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં અંદાજે 2000 જેટલા વિવર્સ પોતાનો પ્રતિસાદ આપી ચુક્યા છે અને આગામી દિવસોમાં બહુમતીના આધારે ઉદ્યોગના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવશે. ફેડરેશન ઓફ વિવર્સ એસો. ગૂગલ ફોર્મના આધારે નિર્ણય લેશે ઉદ્યોગને બચાવવા માટે વિવર્સના મંતવ્યો લેવા એક વિશેષ ગૂગલ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આ ફોર્મ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 800 થી 2000 જેટલા વિવર્સએ પોતાના પ્રતિભાવો ઓનલાઈન સબમિટ કરી દીધા છે. આગામી ત્રણ-ચાર દિવસમાં અન્ય વિવર્સના મંતવ્યો આવ્યા બાદ, બહુમતીના આધારે ઉદ્યોગના હિતમાં કોઈ મોટો અને સામૂહિક નિર્ણય લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ઉદ્યોગમાં કાપ કે વેકેશન સહિતના વિકલ્પો પર વિચારણા કાપડ ઉદ્યોગને કેવી રીતે ટકાવી રાખવો તે માટે અત્યારે ગંભીર મંથન ચાલી રહ્યું છે. ગૂગલ ફોર્મ દ્વારા લેવામાં આવી રહેલા મંતવ્યોમાં મુખ્યત્વે ત્રણ વિકલ્પો પર ચર્ચા થઈ રહી છે. કારખાનામાં ઉત્પાદનનો 25% થી 75% સુધીનો કાપ મૂકવો, અઠવાડિયામાં બે દિવસ રજા રાખવી અથવા તો એક પાળીમાં જ કામકાજ ચલાવવું. કેટલાક વિવર્સ એક મહિનો સંપૂર્ણ બંધ રાખવાની પણ વિચારણા કરી રહ્યા છે. આ તમામ પાસાઓ પર વ્યાપક ચર્ચા કર્યા બાદ જ અંતિમ નિર્ણય જાહેર કરાશે. યાર્નના ભાવમાં કૃત્રિમ વધારો અને ક્રૂડની માઠી અસર યાર્ન એ ક્રૂડની બાય-પ્રોડક્ટ હોવાથી ખાડી યુદ્ધને કારણે ક્રૂડના ભાવમાં વધારો થતા યાર્ન મોંઘુ થયું છે. જોકે, એસોસિએશનના પ્રમુખ અશોક જીરાવાળાના જણાવ્યા અનુસાર, યાર્ન ઉત્પાદકો દ્વારા કરવામાં આવેલો ભાવ વધારો કંઈક અંશે કૃત્રિમ પણ હોઈ શકે છે. ક્રૂડના ભાવ 90 ડોલરની આસપાસ હોવા છતાં જે રીતે યાર્નના ભાવ વધારવામાં આવ્યા છે, તેની સીધી અસર ઉત્પાદન પ્રક્રિયા પર પડી છે. મોંઘું યાર્ન લઈને સસ્તું કાપડ બનાવવું હવે વિવર્સ માટે અશક્ય બની રહ્યું છે. 3 લાખ જેટલા કારીગરો સુરત છોડીને વતનમાં રવાના સુરતના કાપડ ઉદ્યોગમાં અત્યારે અંદાજે 15 લાખ જેટલા શ્રમિકો કાર્યરત છે, પરંતુ આર્થિક તંગી અને કામના અભાવે પલાયન શરૂ થયું છે. અત્યાર સુધીમાં કુલ કારીગરોના 15 ટકા એટલે કે અંદાજે 3 લાખ જેટલા કારીગરો સુરત છોડીને વતનમાં પલાયન કરી ગયા હોવાનો અંદાજ છે. જો હજુ પણ સ્થિતિ નહીં સુધરે તો આગામી દિવસોમાં આ આંકડો વધી શકે છે. કારીગરોની આ ઘટ ઉદ્યોગ માટે લાંબા ગાળે મોટું નુકસાન સાબિત થઈ શકે તેમ છે. ગેસની તંગી અને કાળાબજારથી શ્રમિકોમાં ભારે હાલાકી કારીગરોના પલાયન પાછળનું એક મોટું કારણ રસોઈ ગેસની ઉભી થયેલી કૃત્રિમ અછત પણ છે. બજારમાં ગેસના બાટલા મળતા નથી અને જે મળી રહ્યા છે, તેના કાળાબજાર થઈ રહ્યા છે. છૂટક ગેસ ભરાવીને ગુજરાન ચલાવતા કારીગરો માટે રસોઈ બનાવવી હવે અત્યંત મોંઘી સાબિત થઈ રહી છે. ગેસની આ દિક્કતને કારણે પણ વધુ 15 ટકા શ્રમિકો શહેર છોડવાની તૈયારી કરી રહ્યા છે, જે કારખાનેદારો માટે માથાનો દુખાવો બની ગયો છે. કારીગરોને રોકવા 'મેસ' અને જમવાની વ્યવસ્થા પર ભાર વિવર્સ એસોસિએશન દ્વારા તમામ કારખાનેદારોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ પોતાના કારીગરોને સ્થળાંતર કરતા અટકાવે. આ માટે તેમને જમવાની વ્યવસ્થા અથવા ગેસ પૂરો પાડવાની રજૂઆત કરવામાં આવી છે. જો કારીગરોને જમવાની સુવિધા આપવામાં આવશે તો તેઓ સુરતમાં ટકી રહેશે. એકવાર કારીગરો મોટી સંખ્યામાં પલાયન થઈ જશે, તો ભવિષ્યમાં જ્યારે ઉદ્યોગ ફરી વેગ પકડશે ત્યારે મશીનો ચલાવવા માટે માણસોની ભારે અછત સર્જાવાની પૂરેપૂરી સંભાવના છે. છેલ્લા 20 દિવસથી કારખાનેદારો કારીગરોને સાચવી રહ્યા છે ભલે ઓર્ડર ઓછા હોય કે કામકાજ ઠપ્પ હોય, પરંતુ સુરતના ઉદાર કારખાનેદારો છેલ્લા 20 દિવસથી પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરીને કારીગરોને સાચવી રહ્યા છે. કારીગરોને આર્થિક મદદ અને અન્ય સવલતો આપીને રોકી રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. જોકે, સતત વધી રહેલી મોંઘવારી અને ગેસની અછતને કારણે કારખાનેદારો માટે પણ હવે તેમને સાચવી રાખવા મુશ્કેલ બની રહ્યા છે. આગામી દિવસોમાં જાહેર સભા યોજીને આ અંગે કોઈ નક્કર રસ્તો કાઢવામાં આવશે. યુદ્ધ વિરામ જ હવે વિવર્સ માટે એકમાત્ર આશાનું કિરણ અંતે, ઉદ્યોગ જગતના અગ્રણીઓ માને છે કે, જો ખાડી દેશો વચ્ચેનું યુદ્ધ જલ્દી નહીં અટકે તો સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ વધુ ઉંડી ખાઈમાં ધકેલાશે. ઈરાન અને અન્ય દેશો વચ્ચેના સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈન ખોરવાઈ છે. વિવર્સ અત્યારે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે આ યુદ્ધ તાત્કાલિક શાંત થાય, જેથી ક્રૂડ અને યાર્નના ભાવ સ્થિર થાય અને સુરતનું કાપડ ફરી એકવાર વિશ્વના બજારોમાં ધૂમ મચાવી શકે. વીવીંગ ખાતેદાર મિત્રો આગામી 28મી માર્ચ 2026 ને શનિવારે સવારે 10 કલાક સુધીમાં આપનો ક્લીયરકટ અભિપ્રાય ફોગવાને પાઠવશો, જેથી કરીને વણાટ ઉદ્યોગ માટે ભાવિ રણનીતિ નક્કી કરીને ફોગવાના સભ્યો, કારખાનેદારોને માર્ગદર્શિત કરી શકાય. 👇🏻👇🏻👇🏻 https://forms.gle/qXGuweM4dGsFJGgm7
    Click here to Read More
    Previous Article
    RSS ચીફ વૃંદાવનની મુલાકાતે , જીવનદીપ આશ્રમનું લોકાર્પણ કર્યું:સંતોને પગે લાગીને આશીર્વાદ લીધા, 24 રૂમનો 5મો આશ્રમ બન્યો
    Next Article
    મનપાની ચૂંટણી માટે AAP ના 12 ઉમેદવારોનું લિસ્ટ જાહેર:આમ આદમી પાર્ટીએ ભાવનગર મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment